|
ગુજરાતી વિશ્વકોશના પચીસ
ગ્રંથોની શ્રેણી પૂરી થાય તે પહેલાં આ ટ્રસ્ટે
અનેકવિધ ભાવિ યોજનાઓ કરી છે. જેમાં બાળવિશ્વકોશન
અને ચરિત્રકોશનું કામ ચાલી રહ્યું છે.
આયુર્વિજ્ઞાન(તબીબીશાસ્ત્ર)ને લગતા લેખોનો સંચય
કરીને પણ પુસ્તક પ્રગટ કરવાની યોજના છે. જેમ કે આ
ટ્રસ્ટ તરફથી કેન્સર વિશેનું સચિત્ર પેસ્તક
પ્રગટ થયું છે. જેની ચાર આવૃત્તિ થઈ છે. તે રીતે
બીજા રોગો વિશેના પુસ્તકો પણ પ્રગટ કરવાની યોજના
છે. પરિભાષિક કોશ, નાટ્યકોશ, સમાનવિજ્ઞાન કોશ,
જૈવવિજ્ઞાનકોશ, ભૌતિકવિજ્ઞાનકોશ, ધર્મતત્વકોશ જેવા
વિવિધ વિષયના કોષો પણ પ્રગટ કરવાની યોજના છે.
ગુજરાત સરકાર તરફથી બહાર પડતા
ગેઝેટિયરનું કામ પણ સરકાર તરફથી ગુજરાત વિશ્વકોશ
ટ્રસ્ટને સોપાયું છે. પ્રક્રિયા ચાલુ છે.
વિશ્વકોશના દરેક ખંડને અંતે પરિભાષા
મૂકવામાં આવી છે. આ પરિભાષા ગુજરાતી-અંગ્રેજી અને અંગ્રેજી-ગુજરાતી એમ
મૂકેલી છે. વિશ્વકોશના દરેક ગ્રંથની પરિભાષા ભેગી કરી ને તેનો સર્વગ્રાહી કોશ બનાવવાનું કાર્ય કરે છે. આ પરિશુદ્ધ પરિભાષાકોશનું પણ કામ ચાલુ
થઈ ગયું છે.
|