ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

શ્રીમતી કુંદનબહેન અંબાલાલ કલા ગૌરવ પુરસ્કાર

જીવનની પ્રભાવકતાને આલેખતાં ચિત્રકાર અર્પિતા સિંહને સ્લાઇડ-શૉ સાથે વક્તવ્ય
અર્પિતા સિંહ પરિચય એસ્થર ડેવિડ, નિસર્ગ આહીર | વક્તવ્ય : અમિત અંબાલાલ, કુમારપાળ દેસાઈ

03 October 2024

પરિભાષાકોશ ગ્રંથ વિમોચન

વિખ્યાત કૅન્સર નિષ્ણાત અને ભાષાવિદ ડૉ. શિલીન શુક્લ દ્વારા તૈયાર થયેલા પરિભાષાકોશનું બે ભાગમાં પ્રાગટ્ય

તારીખ : 1 ઑક્ટોબર 2024
સમય : સાંજના 5.30

27 September 2024

શ્રી ચંદ્રવદન મહેતા ઍવૉર્ડ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે શ્રી ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિ દ્વારા ગુજરાતના નાટ્યસર્જક શ્રી મધુ રાયને શ્રી ચંદ્રવદન મહેતા ઍવૉર્ડ અર્પણ થશે. નાટ્યસર્જન વિશે શ્રી મહેન્દ્રસિંહ પરમાર, અન્ય સાહિત્યસર્જન વિશે શ્રી કિરીટ દૂધાત વાત કરશે

05 March 2024

વાચન સમૃદ્ધિ

જમનોત્રી

જમના નદીના ઊગમસ્થાને આવેલું તીર્થક્ષેત્ર. જૂના વખતમાં તે ગઢવાલ રાજ્યનો ભાગ હતો; પરંતુ હવે તે ઉત્તરાખંડના ઉત્તર કાશી જિલ્લાનો ભાગ ગણાય છે. તે સમુદ્રની સપાટીથી આશરે ૬૩૧૬ મીટર ઊંચાઈ પર, હિમાલય પર્વતશ્રેણીના બંદરપૂંછ શિખરની પશ્ચિમે ૧૦ કિમી. અંતરે આવેલું છે. બંદરપૂંછ શિખર બારે માસ હિમાચ્છાદિત હોય છે અને આ હિમનદીમાંથી જમના નદીનો પ્રવાહ શરૂ થાય […]

લેખ

ગુજરાતી વિશ્વકોશ

દેનિસ દીદેરો

જ. ૫ ઑક્ટોબર, ૧૭૧૩ અ. ૩૧ જુલાઈ, ૧૭૮૪ ફ્રેન્ચ વિશ્વકોશકાર, નવલકથાકાર, નાટ્યકલાના મીમાંસક અને ફિલસૂફ. ૧૭૩૨માં એમ.એ.ની ઉપાધિ મેળવી પણ ૧૭૪૨ સુધીનો દસકો ગરીબાઈ અને મુશ્કેલીઓમાં પસાર થયો. ત્યારબાદ અંગ્રેજી ભાષાની જાણકારી મેળવી. ધર્મની બાબતમાં તેમનો અભિગમ જુનવાણી સમાજથી અલગ રહેતો અને ક્યારેક તેમના કઠોર અભિપ્રાયો આપતા તેથી જેલવાસ પણ ભોગવવો પડ્યો. ગુનાની કબૂલાત કરવાથી […]

લેખ

વ્યક્તિ વિશેષ

મોહનિદ્રા : જીવન અને મૃત્યુમાં !

વિશ્વવિજેતા શહેનશાહ સિકંદર અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. એની બાજુમાં એની માતા તરફડી રહેલા પુત્રને જોઈને આક્રંદ કરતી હતી. જગત-વિજેતાની આવી દયનીય સ્થિતિ ! પોતાની શક્તિથી અનેકને મોતને ઘાટ ઉતારનાર સિકંદર ખુદ પોતાના મોત સામે આવીને ઊભો હતો. એની માતાએ આંખોમાં આંસુ સાથે રૂંધાયેલા કંઠે પૂછ્યું, ‘અરે ! મારા લાડકા પુત્ર સિકંદર ! તારા વિના […]

લેખ

પ્રસંગમાધુરી

મહેન્દ્ર પંડ્યા

જ. ૪ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૨૮ ઑગસ્ટ, ૨૦૧૫ ગુજરાતના જાણીતા શિલ્પકાર મહેન્દ્ર પંડ્યાનો જન્મ ભરૂચ જિલ્લાના રાજપીપળામાં થયો હતો. પિતાનું નામ ધીરજરામ તલાટી હતું. તેમનો ઉછેર કુદરતના સાન્નિધ્યમાં થયો હતો. શિલ્પ સાથે લગાવ હોવાથી મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં શિલ્પવિભાગમાં જોડાયા. ૧૯૫૫માં સ્નાતક અને ૧૯૫૮માં અનુસ્નાતક થયા. અહીં શંખો ચૌધરી અને પ્રદોષ દાસગુપ્તા […]

લેખ

વ્યક્તિ વિશેષ

શણ

લાંબા, મૃદુ અને ચળકાટવાળા રેસાઓ ધરાવતી શાકીય કે અર્ધક્ષુપ એકવર્ષાયુ વનસ્પતિ. શણની મોટી છૂંછ અને બોર છૂંછ નામની વનસ્પતિઓની અન્નવાહક પેશીમાંથી આ રેસા પ્રાપ્ત થાય છે. મોટી છૂંછ ૨.૪ મી.થી ૩ મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. તેના પર પીળાં પુષ્પો અને ગોળ શિંગો થાય છે. બોર છૂંછની શિંગો થોડી લાંબી હોય છે અને રેસા થોડી […]

લેખ

ગુજરાતી બાળવિશ્વકોશ

ઍલેકઝાન્ડર મૅકમિલન

જ. ૩ ઑક્ટોબર, ૧૮૧૮ અ. ૨૬ જાન્યુઆરી, ૧૮૯૬ તેઓ  સ્કૉટલૅન્ડના પુસ્તક-વિક્રેતા અને પ્રકાશક હતા. તેમના મોટા ભાઈ ડેનિયલ સાથે મળીને તેઓએ ‘મૅકમિલન ઍન્ડ કંપની’ નામની મોટી પ્રકાશન-સંસ્થાનો વિકાસ કર્યો હતો. જેમાં પાઠ્યપુસ્તકો, વૈજ્ઞાનિક જર્નલ, વૈજ્ઞાનિક ગ્રંથો, સાહિત્યિક કૃતિઓ તથા ઉચ્ચ કોટિનાં સામયિકોનાં વિવિધસર પ્રકાશન કર્યાં હતાં. મૅકમિલન બંધુઓએ કેમ્બ્રિજમાં પુસ્તકો વેચવાની દુકાનથી શરૂઆત કરી, જેને […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો