ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

ડાયસ્પોરા ગુજરાતી સાહિત્ય સંશોધન કેન્દ્ર

ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણું બ્લૉગ આયોજિત કાવ્યસંગીત અને કાવ્યપઠનનો કાર્યક્રમ શબ્દની આંખે, સૂરની પાંખે સંયોજક : કેતન ભટ્ટ | સંચાલક : રઈશ મનીઆર કાવ્યસંગીત : તલ જાગીરદાર બ્રહ્મભટ્ટ, જન્મેજય વૈદ્ય, વાદ્યસંગત : જિતાર્થ વોરા કાવ્યપઠન:  અનિલ ચાવડા, દીપક ઝાલા `અદ્વૈત’, મેઘાવિની રાવલ `હેલી’, પ્રણવ જોશી `બેખુદ’ રશ્મિ અગ્નિહોત્રી, સપના વિજાપુરા સંકલન : જયશ્રી વિનુ મરચંટ – […]

19 December 2025

વિશ્વા

વિષય : જ્ઞાન, ભક્તિ અને કર્મ સંદર્ભે શ્રી હનુમાનજીનું દર્શન | વક્તા : અનિતા તન્ના | સહુભાઈ-બહેનોને હાર્દિક નિમંત્રણ | 23 ડિસેમ્બર  2025 | મંગળવાર, સાંજના 5-00

18 December 2025

શ્રી ભદ્રંકર વિદ્યાદીપ જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી

સહરાથી સપ્તર્ષિ | ઉદય ઠક્કરની કાવ્યયાત્રા | કવિતાનું નાટ્યપઠન, સંગોષ્ઠિ અને સંગીતમય રજૂઆત | પ્રસ્તુતિ : અમર ભટ્ટ, અર્ચન ત્રિવેદી અને ઉદય ઠક્કર | પ્રાસંગિક : કુમારપાળ દેસાઈ | શનિવાર,  13-12-2025 – સાંજે 5-30 |

10 December 2025

વાચન સમૃદ્ધિ

હસ્તપ્રત

હાથે કરેલા કોઈ લખાણવાળી મૂળ પ્રત (મૅન્યુસ્ક્રિપ્ટ). સદીઓ પહેલાં મુદ્રણયંત્રની શોધ થઈ નહોતી. એ સમયમાં કવિઓ–વિદ્વાનો હાથ વડે ગ્રંથો લખતા. તેમની હસ્તપ્રતોની લહિયાઓ નકલો કરતા અને પેઢી-દર-પેઢી હસ્તપ્રતો જળવાઈ રહેતી. આવી હસ્તપ્રતો દ્વારા પ્રાચીન ઇતિહાસ તથા સંસ્કૃતિ વિશેની ઘણી માહિતી પ્રાપ્ત થાય છે. ગ્રંથકાર પહેલાં કાચું લખાણ પથ્થરની કે લાકડાની પાટી પર કરતા. આમાં સુધારા […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

મહાવીર ત્યાગી

જ. 31 ડિસેમ્બર, 1899 અ. 22 મે, 1980 ઉત્તરપ્રદેશના અગ્રણી લોકનેતા, સ્વાતંત્ર્યસૈનિક, રચનાત્મક કાર્યકર મહાવીર ત્યાગીનો જન્મ ધબરસી, ઉત્તરપ્રદેશમાં થયો હતો. પિતાનું નામ શિવનાથસિંહ અને માતાનું નામ જાનકીદેવી હતું. તેમનો વ્યવસાય ખેતી હતો. પ્રાથમિક શિક્ષણ પોતાની ગામની શાળામાં લીધું અને માધ્યમિક શિક્ષણ લેવા મેરઠ ગયા. ત્યારબાદ તેઓ ભારતીય લશ્કરમાં જોડાયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઈરાનના યુદ્ધક્ષેત્રે […]

લેખ

વ્યક્તિ વિશેષ

તૃષ્ણાની દોડ

પ્રાતઃકાળના ખુશનુમા વાતાવરણમાં જાગ્યા પછી તમે આસપાસ વહેતા પવનનો આભાર માન્યો છે ખરો ? એણે બક્ષેલી જિંદગી માટે સહેજે ઉપકારભાવ સેવ્યો છે ખરો ? આમ તો આ હવા વિના આપણે ત્રણ મિનિટથી વધુ જીવી શકીએ તેમ નથી, છતાં એના પ્રત્યે આદરભાવ સેવ્યો છે ખરો ? ક્યારેય તમે ભોજન કે નિદ્રાને ‘થૅન્ક યૂ’ કહ્યું છે ખરું […]

લેખ

આજનો વિચાર

રુડ્યાર્ડ કિપ્લિંગ

જ. 30 ડિસેમ્બર, 1865 અ. 18 જાન્યુઆરી, 1936 અંગ્રેજ કવિ, નવલકથાકાર અને વાર્તાકાર રુડ્યાર્ડ કિપ્લિંગનો જન્મ મુંબઈમાં થયો હતો. ઓગણીસમી સદીના અંગ્રેજ કથા- સર્જકોમાં તેઓ આગવું સ્થાન ધરાવે છે. પિતા જ્હોન કિપ્લિંગ અને માતા ઍલિસ કિપ્લિંગ. પિતા તે સમયે મુંબઈ યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગના વડા હતા. રુડ્યાર્ડ કિપ્લિંગે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઇંગ્લૅન્ડમાં લીધું. ઉચ્ચશિક્ષણ મેળવવા […]

લેખ

વ્યક્તિ વિશેષ

તાપી (નદી)

પશ્ચિમ ભારત અને ગુજરાતની એક મોટી નદી. પુરાણકથા મુજબ ‘તાપી’ શબ્દ સૂર્યપુત્રી ‘તપતી’ પરથી ઊતરી આવ્યો છે. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં મહાદેવની ટેકરીઓમાં આવેલ એક સરોવરમાંથી તે નીકળે છે. તેની કુલ લંબાઈ 752 કિમી તથા સ્રાવ વિસ્તાર 75,000 ચોકિમી. છે. અતિવૃષ્ટિના સમયમાં દર કલાકે તે 9,12,00,000 ક્યૂબિક મીટર અને સૂકી ઋતુ દરમિયાન 19,000 ક્યૂબિક મીટર પાણી […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

રામાનંદ સાગર

જ. 29 ડિસેમ્બર, 1917 અ. 12 ડિસેમ્બર, 2005 ફિલ્મ અને ટીવી સિરિયલ ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક, પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક રામાનંદ સાગરનું મૂળ નામ તો ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું હતું. પિતા દીનાનાથ ચોપરા સાહિત્યકાર હોવાથી બાળપણથી જ રામાનંદ પર સાહિત્યસર્જનના સંસ્કાર પડેલા. પ્રાથમિક અને […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો