નોબેલ પારિતોષિક વિજેતા જર્મન ભૌતિકશાસ્ત્રી, ગણિતજ્ઞ તથા સાપેક્ષતાના સિદ્ધાંતના સ્થાપક આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતાના વતન જર્મનીમાં વસતા હતા. એ સમયે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મનીમાં નાઝી સત્તાનો ઉદય થયો અને હિટલરના નાઝીઓએ યહૂદી લોકો પર ભારે જુલમ આચર્યો. જર્મનીના નાઝી શાસને યહૂદી પ્રજા સામે એવો દુષ્પ્રચાર કર્યો કે અન્ય દેશોમાં પણ યહૂદીઓ અળખામણા બન્યા. એમના પર જાતજાતના […]
જ. 18 જુલાઈ, 1861 અ. 3 ઑક્ટોબર, 1923 ભારતનાં પ્રથમ મહિલાસ્નાતક અને પ્રથમ મહિલાડૉક્ટર કાદંબિની ગાંગુલીનો જન્મ ભાગલપુર બિહારમાં થયો હતો. તેમના પિતા વ્રજકિશોર બાસુ જમીનદાર હતા. તેઓ ઉદાર વિચારધારા ધરાવતા હોવાથી તે સમયના સામાજિક રૂઢિ-રિવાજ વિરુદ્ધ કાદંબિનીને શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું. તેણે પ્રાથમિક શિક્ષણ બંગા મહિલા વિદ્યાલયમાં લીધું હતું. 1878માં કૉલકાતા યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા […]
તુર્કસ્તાનનું મોટામાં મોટું નગર, મુખ્ય બંદર તથા ઉદ્યોગ, વ્યાપાર અને પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : ૪૧° ૧૦´ ઉ. અ. અને ૨૮° ૪૫´ પૂ. રે.. તે ભૂમધ્ય સમુદ્ર અને કાળા સમુદ્રને જોડતી બૉસ્ફરસની સામુદ્રધુનીના બંને કાંઠાઓ પર વસેલું છે. યુરોપ અને એશિયાને સાંકળતો આ એકમાત્ર જળમાર્ગ છે. બૉસ્ફરસ સામુદ્રધુનીની ઉપનદી ગોલ્ડન હૉર્ન આ નગરને બે […]