ઇંગ્લૅન્ડનો રાજા જ્યોર્જ (તૃતીય) ક્રોધી સ્વભાવ ધરાવતો હતો. નાની નાની વાતમાં એ અત્યંત ગુસ્સે થઈ જતો અને એ વ્યક્તિને આકરી સજા ફરમાવતો હતો. એક વાર ઇંગ્લૅન્ડનો રાજા જ્યોર્જ (તૃતીય) બીમાર પડ્યો. એના ક્રોધી સ્વભાવને લીધે નગરનો એકે ડૉક્ટર એની ચિકિત્સા કરવા રાજી નહોતો. સૌને ભય હતો કે એની ચિકિત્સા કરવા જતાં એને સહેજે પીડા થાય, […]
જ. 7 મે, 1861 અ. 7 ઑગસ્ટ, 1941 આધુનિક ભારતના સર્વશ્રેષ્ઠ બંગાળી કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નવલકથાકાર, સમાજસુધારક, ચિત્રકાર અને સંગીત રચયિતા. જ્યારે 1913માં ‘ગીતાંજલિ’ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો ત્યારે આ નોબેલ પુરસ્કાર મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા. મૂળ અટક ઠાકુર. જન્મ કૉલકાતામાં જોડાસાંકાની ઠાકુરવાડીમાં. સાતમે વર્ષે બ્રિટિશ પરંપરાની નૉર્મલ સ્કૂલમાં ભણવા મૂક્યા પણ […]
એશિયામાં સૌથી મોટું ગણાતું કંબોડિયાનું વિશાળ મંદિર-સંકુલ. ઈ. સ. ૧૮૫૮માં હેન્રી મૌહાઉટ નામના ફ્રેન્ચ પ્રકૃતિવિજ્ઞાનીએ કંબોડિયાનાં જંગલો વચ્ચે એક એવું મંદિર શોધી કાઢ્યું જેની ભવ્યતા ગ્રીસ કે રોમમાં મળી આવેલી ઇમારતો કરતાં પણ ચડિયાતી હતી. થોડા જ સમયમાં જાણવા મળ્યું કે અંગકોરવાટ નામે ઓળખાતું એ મંદિર એકલુંઅટૂલું નથી, પણ લગભગ ૪૫ ચોરસ કિમી.ના વિસ્તારમાં બંધાયેલાં […]