ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : નિરંજન ભગતના કાવ્યનો આસ્વાદ વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર ડૉ. પિંકી પડ્યા 24 એપ્રિલ 2026, શુક્રવાર સાંજ 5-00

08 April 2026

વિવેચક અને સંશોધક શ્રી યશવંત દોશી સ્મૃતિ-વ્યાખ્યાનશ્રેણી

વિષય ઑસ્ટ્રિયા : એક અનુભૂતિ – દૃશ્યશ્રાવ્ય પ્રસ્તુતિ વક્તા : ભારતી રાણે 17 એપ્રિલ, 2026, શુક્રવાર સાંજના 5-30

08 April 2026

બારીએથી વિશ્વ

ઑનલાઈનના પ્રથમ પોડકાસ્ટમાં ડૉ. વિનોદકુમાર ગોયલ `ઊંઘની સમસ્યા, ઉકેલ અને સ્લીપ થૅરપી’ વિશે શ્રી ત્રિલોક સંઘાણીના રસપ્રદ પ્રશ્નોના ઉત્તર આપશે. 15 એપ્રિલ 2026, બુધવાર, સાંજના 5-30

08 April 2026

વાચન સમૃદ્ધિ

પંદર કલાકનો પદાર્થપાઠ

અમેરિકન નૌકાદળની ‘બાયા એસ.એસ.318’ નામની સબમરીનમાં 1945ના માર્ચમાં રોબર્ટ મૂર એના બીજા સાથી 88 સૈનિકો સાથે 376 ફૂટ નીચે પાણીમાં  પસાર થતો હતો. એ સમયે ટેલિસ્કોપથી જોતાં જાણ થઈ કે જાપાનનાં ત્રણ યુદ્ધજહાજો એમના તરફ ધસી રહ્યાં છે. અમેરિકન સબમરીને ત્રણ ટોરપીડો છોડીને એના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યાંત્રિક ખામીને કારણે અમેરિકન ટોરપીડો […]

લેખ

પ્રસંગમાધુરી

સ્વામી વિદ્યાપ્રકાશાનંદ ગિરિ

જ. 13 એપ્રિલ, 1914 અ. 10 એપ્રિલ, 1998 વેદાંતભેરીના સ્થાપક, મલયાલ સ્વામીના શિષ્ય અને આધ્યાત્મિક ગુરુ વિદ્યાપ્રકાશાનંદ ગિરિનો જન્મ મછલીપટ્ટનમ્ માં થયો હતો. પિતા આનંદમોહન અને માતા સુશીલા. તેમણે 13 વર્ષની ઉંમરે વિજયવાડામાં મૅટ્રિક પૂર્ણ કર્યું. 1933માં મછલીપટ્ટનમ્ ની નોબલ કૉલેજમાંથી બી.એ. થયા. વારાણસી જઈને હિન્દી વિદ્યાપીઠમાંથી કોવિદની પદવી મેળવી. એક દિવસ તેઓ ગંગાસ્નાન કરતા હતા ત્યારે […]

લેખ

વ્યક્તિ વિશેષ

અશ્મિલ (Fossils)

કોઈ કુદરતી ઘટનાને પરિણામે સચવાઈ રહેલા પ્રાચીન કાળના પ્રાણી કે વનસ્પતિના નિશાનીરૂપ અવશેષો. તે કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર ઉદ્ભવેલા જીવન વિશેની માહિતી આપે છે. ૪૦૦ કરોડ વર્ષો પહેલાંનું, જૂનામાં જૂનું બૅક્ટેરિયાનું અશ્મિલ મળી આવ્યું છે. દુનિયાના દરેક ભાગમાંથી – વિશેષે જળકૃત ખડકોમાંથી – અશ્મિલ મળી આવે છે. સામાન્ય રીતે પ્રાણી મરી જાય તે પછી […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

અમીર ખાં

જ. 12 એપ્રિલ, 1912 અ. 13 ફેબ્રુઆરી, 1974 ઇન્દોર ઘરાનાનો આરંભ કરનાર. ઉસ્તાદ અમીર ખાંના  પિતા શાહમીર ખાં ઉત્તમ સારંગીવાદક અને વીણાવાદક હતા. તેમના દાદા બહાદુર શાહ ઝફરના દરબારમાં ગાતા. શરૂઆતમાં પિતાએ તેમને સારંગી શીખવા પ્રેર્યા, પણ અમીર ખાંએ કંઠ્ય સંગીતમાં જ રુચિ દાખવી. સ્વયં શિક્ષિત સંગીતકાર તરીકે તેમણે પોતાની આગવી ગાયકીને વિકસાવી. અમીર ખાંએ […]

લેખ

વ્યક્તિ વિશેષ

થીબ્ઝ (ગ્રીસ)

ભૌગોલિક સ્થાન : તે આશરે 380 19’ ઉ અ. અને 230 19’  પૂ. રે. છે. થીબ્ઝ પ્રાચીન ગ્રીસના મધ્ય ભાગમાં આવેલ બોએશિયા વિસ્તારનું એક મહત્ત્વનું નગર હતું. તે ઍથેન્સથી ઉત્તરમાં 48 કિમી. દૂર આવેલું હતું. તે સમુદ્ર સપાટીથી 180 મીટર ઊંચાઈ ધરાવે છે. એ બોએશિયન લીગનું અગ્રણી રાજ્ય હતું. દંતકથા પ્રમાણે ફીનિશિયાના રાજા કેડમસે એની […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

કસ્તૂરબા

જ. 11 એપ્રિલ, 1869 અ. 22 ફેબ્રુઆરી, 1944 ગાંધીજીનાં પત્ની, વિનમ્ર છતાં મક્કમ સ્વાતંત્ર્યસેનાની કસ્તૂરબાનો જન્મ પોરબંદરમાં થયો હતો. પિતા ગોકુળદાસ કાપડિયા અને માતા વ્રજકુંવરબા. સાત વર્ષની ઉંમરે તેમની સગાઈ મોહનદાસ ગાંધી સાથે થઈ અને તેર વર્ષે લગ્ન થયાં. તેમણે આજીવન ગાંધીજીને સાથ અને હૂંફ આપ્યાં. તેઓ ગાંધીજીની સાથે દક્ષિણ આફ્રિકા ગયાં. વર્ષો સુધી ત્યાં […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો