ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

શ્રી કુમાર જયકીર્તિ પ્રેરિત અનેકાંત વ્યાખ્યાનમાળા

અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી ચિંતનપ્રેરક વ્યાખ્યાનશ્રેણી વિષય : પ્રભુ પાર્શ્વનાથનો આટલો પ્રભાવ કેમ ? વક્તા : શ્રી ચંદ્રકાંત મહેતા વિષય : પ્રભુપાર્શ્વનાથ-18 વિશેષતા સાથે એક અપૂર્વ દર્શન વક્તા : શ્રી કુમારપાળ દેસાઈ અતિથિવિશેષ : શ્રી ગૌરવભાઈ શેઠ તારીખ 28-2-2026, શનિાર, સાંજે 5-30

25 February 2026

માતૃભાષા દિવસે એક વિશિષ્ટ આયોજન

શિક્ષણવિદ શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાનશ્રેણી `શિક્ષક શ્રી રતિલાલ બોરીસાગર : અનુભવ અને પ્રાપ્તિ’ એ વિશે શ્રી રતિલાલ બોરીસાગર સાથે શ્રી મનસુખ સલ્લાનો સંવાદ 21 ફેબ્રુઆરી 2026, શનિવાર સાંજના 5-30

18 February 2026

શ્રી મનસુખભાઈ જે. મેદાણીપ્રેરિત

સમાજ-ઉત્કર્ષ ઍવૉર્ડ ગ્રામોત્થાનનાં અનેક કાર્યો કરનાર તથા કન્યાકેળવણીક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર `અમર ભારતી’ સંસ્થાનાં શ્રી રતનબહેન રાતડિયાને આ ઍવૉર્ડ એનાયત થશે. પ્રાસંગિક : શ્રી ચંદ્રવદન શાહ – શ્રી રમેશ તન્ના 14 ફેબ્રુઆરી, 2026 – શનિવાર – સાંજના 5-30

07 February 2026

વાચન સમૃદ્ધિ

અગિયારી

પારસી લોકોનું પવિત્ર ધર્મસ્થાન. અગિયારીમાંના તેમના પવિત્ર અગ્નિ(આતશ)ના પ્રકારો મુજબ ત્રણ દરજ્જા છે : ‘આતશે દાદગાહ’, ‘આતશે આદરાન’ અને ‘આતશે બહેરામ’. આતશની સેવા માટે નિયુક્ત થયેલા દસ્તૂર (ધર્મગુરુ) સિવાય કોઈ ગર્ભગૃહમાં જઈ શકતું નથી. અગિયારીની અંદર દર્શન કરવા માટે અન્ય ધર્મીઓને છૂટ હોતી નથી. સોની, લુહાર અને કુંભારની ભઠ્ઠીઓનો અગ્નિ એકત્ર કરીને તેના ઉપર જરથુષ્ટ્ર […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

લીલા મજુમદાર

જ. 26 ફેબ્રુઆરી, 1908 અ. 5 એપ્રિલ, 2007 બાળવાર્તાઓનાં પ્રખ્યાત બંગાળી લેખિકા લીલા મજુમદારનો જન્મ કૉલકાતામાં થયો હતો. તેમનું મૂળ વતન નાદિયામાં ચકધા. તેઓ પ્રમાદ રંજનરાયનાં પુત્રી, ઉપેન્દ્રકિશોરરાય ચૌધરીનાં ભાભી અને સુધીરકુમાર મજુમદારનાં પત્ની હતાં. તેમણે સેંટ જોન ડાયોસેસન (Diocesan) સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. અહીંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી […]

લેખ

વ્યક્તિ વિશેષ

તેહરાન

ઈરાનનું પાટનગર અને દેશના મધ્ય પ્રાંતનું વહીવટી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 35° 40´ ઉ. અ. અને 51° 26´ પૂ. રે.. અલ્બુર્ઝ પર્વતમાળાના દક્ષિણ ઢોળાવ પર તે આવેલું છે, જે તેને કાસ્પિયન સમુદ્રથી જુદું પાડે છે. તે સમુદ્રસપાટીથી આશરે 1200 મી. ઊંચાઈ પર જારુદ અને કરાજ નદીની વચ્ચે આવેલું છે. તેની દક્ષિણે ઈરાનનું મધ્યવર્તી મેદાન વિસ્તરેલું […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

જીવણલાલ દીવાન

જ. 25 ફેબ્રુઆરી, 1876 અ. 1 ડિસેમ્બર, 1952 સ્વાતંત્ર્યસૈનિક અને કેળવણીકાર જીવણલાલ દીવાનનો જન્મ અમદાવાદમાં થયો હતો. પિતા હરિપ્રસાદ અને માતા કૃષ્ણાબહેન. તેમણે 1884માં સ્કૂલની ફાઇનલ અને મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1899માં બી.એ.ની પરીક્ષામાં ગુજરાત કૉલેજમાં પ્રથમ નંબરે પાસ થયા. 1900માં ગુજરાત કૉલેજમાં ફેલો નિમાયા. ડિસેમ્બર, 1900માં ઉમરેઠની જ્યૂબિલી ઇન્સ્ટિટ્યૂટના હેડમાસ્તર બન્યા. 1901માં સૂરતની સરકારી […]

લેખ

વ્યક્તિ વિશેષ

હંમેશાં તારાને જુઓ

બિગબૅંગ (મહાવિસ્ફોટ) જેવા બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓનો અભ્યાસી અને સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની સ્ટિફન હૉકિંગના બાપદાદાનો વ્યવસાય તો ખેતીનો હતો. આર્થિક હાલત પણ સારી નહોતી. વળી નાના કદ અને સંકોચશીલ સ્વભાવને કારણે હૉકિંગે નિશાળ બદલી નાખી. મોર્ટર ન્યૂરોન ડિસિઝ (MND) અથવા ઍમિયો ટ્રૉફિક લેટર સ્કલેરોસિસ (ALS) રોગના જીવલેણ હુમલાને કારણે લગભગ બધાં અંગો લકવાગ્રસ્ત થવા છતાં હિંમત હાર્યા […]

લેખ

પ્રસંગમાધુરી

લવકુમાર ખાચર

જ. 24 ફેબ્રુઆરી, 1930 અ. 2 માર્ચ, 2015 પ્રકૃતિ સંરક્ષણ માટે કાર્ય કરનાર પક્ષીશાસ્ત્રી લવકુમાર ખાચરનો જન્મ જસદણમાં ભૂતપૂર્વ રાજવી પરિવારમાં થયો હતો. તેમનું બાળપણ હિંગોળગઢના પ્રાકૃતિક વાતાવરણમાં વીત્યું હતું. રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ  મેળવી સેન્ટ લુઇસ સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હીમાંથી બી.એસસી. કર્યું. તેમણે 1956માં રાજકુમાર કૉલેજમાં અધ્યાપન કર્યું હતું. તેમણે યુવાનો પ્રકૃતિસંરક્ષણમાં જોડાય એ […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો