ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : નિરંજન ભગતના કાવ્યનો આસ્વાદ વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર ડૉ. પિંકી પડ્યા 24 એપ્રિલ 2026, શુક્રવાર સાંજ 5-00

08 April 2026

વિવેચક અને સંશોધક શ્રી યશવંત દોશી સ્મૃતિ-વ્યાખ્યાનશ્રેણી

વિષય ઑસ્ટ્રિયા : એક અનુભૂતિ – દૃશ્યશ્રાવ્ય પ્રસ્તુતિ વક્તા : ભારતી રાણે 17 એપ્રિલ, 2026, શુક્રવાર સાંજના 5-30

08 April 2026

બારીએથી વિશ્વ

ઑનલાઈનના પ્રથમ પોડકાસ્ટમાં ડૉ. વિનોદકુમાર ગોયલ `ઊંઘની સમસ્યા, ઉકેલ અને સ્લીપ થૅરપી’ વિશે શ્રી ત્રિલોક સંઘાણીના રસપ્રદ પ્રશ્નોના ઉત્તર આપશે. 15 એપ્રિલ 2026, બુધવાર, સાંજના 5-30

08 April 2026

વાચન સમૃદ્ધિ

અંબાજી

એક પ્રખ્યાત શક્તિપીઠ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા અને આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું તે પ્રસિદ્ધ યાત્રાધામ છે. ભૌગોલિક સ્થાન : 24° 19´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે.. ભારતના વિભિન્ન પ્રદેશોની માફક ગુજરાત પણ શક્તિની સાધના અને ઉપાસનાનું કેન્દ્ર છે. ગુજરાતનાં દેવીની ઉપાસનાનાં અનેક પવિત્ર સ્થળોમાં અંબિકા, કાલિકા અને શ્રીબાલા બહુચરા મુખ્ય છે. આ […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

હસરત જયપુરી

જ. 15 એપ્રિલ, 1922 અ. 17 સપ્ટેમ્બર, 1999 હિન્દી ફિલ્મજગતના કવિ અને શાયર હસરત જયપુરીનો જન્મ જયપુરમાં થયો હતો. એમનું મૂળ નામ ઇકબાલ હુસૈન જયપુરી હતું. બાળપણમાં જયપુરમાં માધ્યમિક શિક્ષણ એક અંગ્રેજી માધ્યમની શાળામાં લીધું, પરંતુ એમના નાના શાયર ફિદા હુસૈન ફિદા પાસે ઉર્દૂ તથા ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું. શાયરી પ્રત્યે એમનો લગાવ સહજ બન્યો. […]

લેખ

વ્યક્તિ વિશેષ

થેબિત

ટેલિસ્કોપ વડે ચંદ્રને નિહાળતાં જોવા મળતો એક ગર્ત (crater). ચંદ્રની સપાટી ઉપર ‘મેર નુબિયમ’ નામનો સમતલ વિસ્તાર આવેલો છે. તેની જમણી તરફ ‘સીધી દીવાલ’ (Straight Wall) તરીકે ઓળખાતી વિખ્યાત રચના આવેલી છે. આ દીવાલની જમણી તરફ ચંદ્રની નૈર્ઋત્યે થેબિત આવેલો છે. તેનું ચોક્કસ સ્થાન 22° દક્ષિણ અને 4° પશ્ર્ચિમ રેખાંશ પર છે. થેબિત થેબિત વાસ્તવમાં […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

અમૃત કેશવ નાયક

જ. 14 એપ્રિલ, 1877 અ. 18 જુલાઈ, 1907 ગુજરાતી, પારસી અને ઉર્દૂ રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક અને લેખક અમૃત નાયકનો જન્મ અમદાવાદમાં વૈશાખ સુદ એકમ, વિ. સં. 1933ના રોજ થયો હતો. કાળુપુર વિસ્તારની દુર્ગામાતાની પોળમાં ઊછર્યા. ગુજરાતી બે ધોરણ દરિયાપુરની શાળામાં અને ઉર્દૂ બે ધોરણ કાળુપુરની શાળામાં ભણ્યા. કૌટુંબિક પરિસ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડવો પડ્યો. […]

લેખ

વ્યક્તિ વિશેષ

પંદર કલાકનો પદાર્થપાઠ

અમેરિકન નૌકાદળની ‘બાયા એસ.એસ.318’ નામની સબમરીનમાં 1945ના માર્ચમાં રોબર્ટ મૂર એના બીજા સાથી 88 સૈનિકો સાથે 376 ફૂટ નીચે પાણીમાં  પસાર થતો હતો. એ સમયે ટેલિસ્કોપથી જોતાં જાણ થઈ કે જાપાનનાં ત્રણ યુદ્ધજહાજો એમના તરફ ધસી રહ્યાં છે. અમેરિકન સબમરીને ત્રણ ટોરપીડો છોડીને એના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યાંત્રિક ખામીને કારણે અમેરિકન ટોરપીડો […]

લેખ

પ્રસંગમાધુરી

સ્વામી વિદ્યાપ્રકાશાનંદ ગિરિ

જ. 13 એપ્રિલ, 1914 અ. 10 એપ્રિલ, 1998 વેદાંતભેરીના સ્થાપક, મલયાલ સ્વામીના શિષ્ય અને આધ્યાત્મિક ગુરુ વિદ્યાપ્રકાશાનંદ ગિરિનો જન્મ મછલીપટ્ટનમ્ માં થયો હતો. પિતા આનંદમોહન અને માતા સુશીલા. તેમણે 13 વર્ષની ઉંમરે વિજયવાડામાં મૅટ્રિક પૂર્ણ કર્યું. 1933માં મછલીપટ્ટનમ્ ની નોબલ કૉલેજમાંથી બી.એ. થયા. વારાણસી જઈને હિન્દી વિદ્યાપીઠમાંથી કોવિદની પદવી મેળવી. એક દિવસ તેઓ ગંગાસ્નાન કરતા હતા ત્યારે […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો