ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : શતાબ્દીવંદના શ્રી નિરંજન ભગત : જીવન અને કવન વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા 9 જુલાઈ, 2026, ગુરુવાર સમય : સાંજના 5-00

04 July 2026

શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી

વિષય : કચ્છની સંત કવયિત્રીઓ વક્તા : શ્રી દર્શના ધોળખિયા 8 જુલાઈ, 2026, બુધવાર, સાંજના 5-30

04 July 2026

વિષય : My RADIO My LIFE

વક્તા : શ્રી મકરન્દ વાઈકર (પુણે) (ટેલિવિઝન, મોબાઇલ અને સોશિયલ મીડિયા પૂર્વે આપણા કુટુંબનાસભ્ય સમાન રેડિયો વિશેની ડૉક્યુમેન્ટરી. 36 દેશોમાં 80 ફિલ્મ ફેસ્ટિવલમાંરજૂ થયેલી આ વિષય પરની સર્વપ્રથમ ઍવૉર્ડવિજેતા ડૉક્યુમેન્ટરી) આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થયાના સંદર્ભમાં શ્રી ત્રિલોક સંઘાણીનું વક્તવ્ય 4 જુલાઈ, 2026 સમય : સાંજે – 5-00 વાગ્યે

01 July 2026

વાચન સમૃદ્ધિ

સોનેરી વાળનાં ઝુલ્ફાં

જ્હોન નામનો જુવાન એનાં સોનેરી વાળનાં ઝુલ્ફાં માટે બધે જાણીતો હતો. યુવતીઓને માટે એના આ સોનેરી વાળ આકર્ષણનું કેન્દ્ર હતા અને જ્હોન પણ પોતાની આ ખૂબીથી પૂરેપૂરો પરિચિત હતો. એ જાણતો હતો કે સોનેરી વાળને કારણે એનું મુખ અતિ સોહામણું લાગે છે. જ્હોનની ગરીબ માતા ઘરકામ કરીને એનું અને જ્હોનનું ભરણપોષણ કરતી હતી. એવામાં બન્યું […]

લેખ

પ્રસંગમાધુરી

રજનીકુમાર પંડ્યા

જ. 6 જુલાઈ, 1938 અ. 15 માર્ચ, 2025 ગુજરાતી પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનો જન્મ જેતપુરમાં થયો હતો. બાળપણ બીલખામાં વિતાવ્યું. પ્રાથમિક શિક્ષણ બીલખા, ચરખા, ગોપાલગ્રામ, ઢસા અને જેતપુરમાં લીધું હતું. ગુજરાત યુનિવર્સિટીમાંથી 1959માં બી.કૉમ. અને 1966માં બી.એ.ની પદવી મેળવી હતી. 1959-1966 સુધી સરકારી ઑડિટર તરીકે અને 1966-89 દરમિયાન બૅન્ક-મૅનેજર તરીકે કામ કર્યું હતું. ‘ઝબકાર’, […]

લેખ

વ્યક્તિ વિશેષ

ઇટાલી

દક્ષિણ યુરોપનું આલ્પ્સ ગિરિમાળાથી ભૂમધ્ય સમુદ્ર સુધી વિસ્તરેલું રાષ્ટ્ર. તે ૩૬°થી ૪૭° ઉ. અ. અને ૭°થી ૧૯° પૂ. રે. વચ્ચેનો ૩.૦૧ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાષ્ટ્રનો ઉત્તરનો ભાગ વધુ પહોળો, જ્યારે દક્ષિણનો ભાગ સાંકડો છે. તેની પશ્ચિમે લિગ્યુરિયન સમુદ્ર, ટાયર્હેનિયન સમુદ્ર અને ફ્રાન્સ; પૂર્વે એડ્રિયાટિક સમુદ્ર અને ઉત્તરે સ્વિટ્ઝર્લૅન્ડ, સ્લોવેનિયા અને […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

રાવુરી ભારદ્વાજ

જ. 5 જુલાઈ, 1927 અ. 18 ઑક્ટોબર, 2013 જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા, તેલુગુ નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર, કવિ અને વિવેચક રાવુરી ભારદ્વાજનો જન્મ કૃષ્ણા જિલ્લાના મોગુલુરુ ગામમાં થયો હતો. તેમણે ગુંટૂર જિલ્લાના પોતાના વતન તાડીકોન્ડા ગામમાં સાતમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ નાની-મોટી નોકરી કરી અને ઑલ ઇન્ડિયા રેડિયોમાં પણ કામ કર્યું હતું. ચૌદ વર્ષની ઉંમરે […]

લેખ

વ્યક્તિ વિશેષ

દૂધરાજ (The Paradise Flycatcher)

ભારતની શોભારૂપ, પરી જેવું સુંદર પંખી. તેનું શાસ્ત્રીય નામ Terpsiphone paradisi – ફળ મોનાર્ચિની છે. હિંદીમાં તેને ‘શાહ બુલબુલ’, ‘દૂધરાજ’, ‘હુસેની બુલબુલ’, માદાને ‘સુલતાના બુલબુલ’ એવાં વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. તલવાર જેવી લાંબી પૂંછડીને કારણે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તેને ‘તરવરિયો’ અને ભીલ લોકોની બોલીમાં તેને ‘તેજિયો ગોવાળ’ કહે છે. તે નાચણ પંખીના કુળનું પંખી […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

સાયરસ પલોનજી મિસ્ત્રી

જ. 4 જુલાઈ, 1968 અ. 4 સપ્ટેમ્બર, 2022 ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રીનો જન્મ મુંબઈમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેઓ ભારતીય અબજોપતિ અને બાંધકામ ઉદ્યોગપતિ પલોનજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. મિસ્ત્રીનું શિક્ષણ દક્ષિણ મુંબઈની પ્રતિષ્ઠિત કૅથેડ્રલ અને જોન કોનન સ્કૂલમાં થયું હતું. તેમણે ઇમ્પીરિયલ કૉલેજ, લંડનમાં અભ્યાસ કર્યો અને 1990માં લંડન યુનિવર્સિટીમાંથી સિવિલ […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો