ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુકલ, વ્યાખ્યાનશ્રેણી

વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમ વિષય : મારું પ્રિય પુસ્તક વક્તા : ભરત મહેતા (ગુજરાતી સાહિત્ય) મૃદુલા પારીખ (હિન્દી સાહિત્ય) સંજય ભાવે (મરાઠી સાહિત્ય) 23 એપ્રિલ 2026, ગુરુવાર, સાંજના 5-30

17 April 2026

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : નિરંજન ભગતના કાવ્યનો આસ્વાદ વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર ડૉ. પિંકી પડ્યા 24 એપ્રિલ 2026, શુક્રવાર સાંજ 5-00

08 April 2026

વિવેચક અને સંશોધક શ્રી યશવંત દોશી સ્મૃતિ-વ્યાખ્યાનશ્રેણી

વિષય ઑસ્ટ્રિયા : એક અનુભૂતિ – દૃશ્યશ્રાવ્ય પ્રસ્તુતિ વક્તા : ભારતી રાણે 17 એપ્રિલ, 2026, શુક્રવાર સાંજના 5-30

08 April 2026

વાચન સમૃદ્ધિ

અવકાશયાત્રી (અંતરીક્ષયાત્રી)

(Astronaut / Cosmonaut) અંતરીક્ષ-ઉડ્ડયન માટેની તાલીમ લીધેલ, અંતરીક્ષયાનનું સંચાલન કરનાર તેમ જ તેમાં પ્રવાસ કરનાર યાત્રી. રશિયામાં અવકાશયાત્રી અથવા અંતરીક્ષયાત્રીને ‘કૉસ્મોનૉટ’ (Cosmonaut) અને અમેરિકા તથા અન્ય દેશોમાં ‘ઍસ્ટ્રોનૉટ’ (Astronaut) કહે છે. અંતરીક્ષમાં ઉડ્ડયન દરમિયાન માનવીને ઘણી વિષમ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. અંતરીક્ષ-ઉડ્ડયનના ત્રણ તબક્કાઓ હોય છે : આવી વિષમ પરિસ્થિતિનો સામનો કરવા અંતરીક્ષયાત્રીમાં […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

મામા વરેરકર

જ. 27 એપ્રિલ, 1883 અ. 23 સપ્ટેમ્બર, 1964 મરાઠી સાહિત્યના અગ્રિમ સાહિત્યકાર અને નાટ્યકાર મામા વરેરકરનો જન્મ મહારાષ્ટ્રના ચિપલૂણમાં થયો હતો. તેમનું મૂળ નામ ભાર્ગવરામ વિઠ્ઠલ વરેરકર હતું. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માલવણમાં થયું હતું. તેઓ વૈદકનો અભ્યાસ કરવા રત્નાગિરિ ગયા હતા. ત્યાં કન્હોબા કીર્તિકર અને રાજારામ શાસ્ત્રી ભાગવતના સંપર્કથી અંગ્રેજી સાહિત્યની રચનાઓ, ભારતના […]

લેખ

વ્યક્તિ વિશેષ

દક્ષિણ ધ્રુવ

પૃથ્વીની કાલ્પનિક ધરી પૃથ્વીની ભૂમિસપાટીને જે બે સ્થાનોએ છેદે છે તે બે બિંદુઓને ધ્રુવો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ગોળા પર ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર તરફના બિંદુને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ તરફના બિંદુને દક્ષિણ ધ્રુવ કહેવાય છે. ઉત્તર ધ્રુવની આસપાસ આર્ક્ટિક મહાસાગર પથરાયેલો છે, જ્યારે દક્ષિણ ધ્રુવ ઍન્ટાર્ક્ટિકા ખંડથી આવૃત છે. દક્ષિણ ધ્રુવ શબ્દ […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

ચાર્લ્સ રિક્ટર

જ. 26 એપ્રિલ, 1900 અ. 30 સપ્ટેમ્બર, 1985 અમેરિકન સિસ્મૉલૉજિસ્ટ અને ભૌતિકશાસ્ત્રી. ધરતીકંપની તીવ્રતા માપવાના સ્કેલને રિક્ટર કહેવામાં આવે છે તે આ વૈજ્ઞાનિકના નામ પરથી આવેલ છે. ચાર્લ્સ ફ્રાંસિસ રિક્ટરનો જન્મ અમેરિકાના ઓહાયો રાજ્યના ઓવરપેકમાં થયેલો. તેઓ નાના હતા ત્યારે જ માતા-પિતા અલગ થઈ જતાં તેમને માતાની અટક રિક્ટર જ આપવામાં આવેલી. 1909માં તેઓ માતા […]

લેખ

વ્યક્તિ વિશેષ

દાદાની દરિયાની વાત

દરિયાકિનારે આવેલી ઊંચી ટેકરી પર ઝૂંપડીમાં રહેતો વૃદ્ધ હાગામુચી પ્રતિદિન નજર સામે હિલોળા લેતો સાગર આંખ ભરીને જોયા કરતો હતો. અતિ વૃદ્ધ હાગામુચીને બીજું કામ પણ શું હતું ? અને આ સાગરદર્શનનો આનંદ એટલો બધો હતો કે બીજું કામ કરવાની વૃત્તિ પણ ક્યાંથી થાય ? બાળપણમાં દાદા-દાદી પાસેથી દરિયાલાલની કેટલીય કથાઓ સાંભળી હતી અને ત્યારથી […]

લેખ

પ્રસંગમાધુરી

વિમલાતાઈ ઠકાર

જ. 25 એપ્રિલ, 1921 અ. 11 માર્ચ, 2009 અધ્યાત્મનો પુરસ્કાર કરનાર દાર્શનિક અને સંનિષ્ઠ જીવનસાધક વિમલાતાઈ ઠકારનો જન્મ રામનવમીના દિવસે નાગપુર, મહારાષ્ટ્રમાં થયો હતો. પિતાનું નામ બાપુસાહેબ, જેઓ વ્યવસાયે વકીલ હતા. માતાનું નામ ચંદ્રિકા, જેઓ ‘અક્કા’ના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતાં હતાં. પિતાની તેજસ્વિતાનો વારસો પુત્રી વિમલામાં પણ ઊતર્યો હતો. નાનાના પરિવારમાં સત્સંગનું વાતાવરણ હતું. […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો