ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : શતાબ્દીવંદના શ્રી નિરંજન ભગત – જીવન અને કવન વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા 25 જૂન 2026, ગુરુવાર સમય : સાંજના 5-00

22 June 2026

ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલાપ્રતિભા ઍવૉર્ડ 

જાણીતા ચિત્રકાર શ્રી વાસુદેવન અક્કિતમને શ્રી અમિત અંબાલાલના હસ્તે એનાયત થશે. 20 જૂન 2026, શનિવાર, સાંજના 5-30

15 June 2026

શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી

AI શિક્ષક નથી પણ શક્તિશાળી સાધન છે, પરંતુ AI વધુ નિર્ભરતા વિચારવાની અને વિશ્લેષણ કરવાની ક્ષમતા ઘટાડે છે. યોગ્ય માર્ગદર્શન સાથે AI શિક્ષણને વધુ અસરકારક બનાવી શકે છે અને ભવિષ્યના શિક્ષણમાં સર્જનાત્મકતા, ક્રિટિકલ થિંકિંગ અને સહકાર જેવી માનવીય બાબતોમાં AI વધુ મહત્ત્વપૂર્ણ બની શકે. વિષય : AI  અને શિક્ષણ વક્તા : શ્રી અર્પણ યાજ્ઞિક 13 જૂન, […]

08 June 2026

વાચન સમૃદ્ધિ

દુબઈ (Dubai; Dubayy)

સંયુક્ત આરબ અમીરાતનું સૌથી મોટું શહેર. તે 25° 18´ ઉ. અ. અને 55° 18´ પૂ. રે.ની આજુબાજુનો 3900 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, પરંતુ સમુદ્રના વિસ્તારનું નવીનીકરણ કર્યું હોવાથી તેનો વિસ્તાર 4,110 ચો.કિમી. થવા જાય છે. દુબઈ શહેરની વસ્તી (2026 મુજબ) આશરે 40 લાખ છે. આ શહેર આશરે 16 મીટરની સમુદ્ર સપાટી ધરાવે છે. […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

કાલેકી માઇકલ

જ. 22 જૂન, 1899 અ. 18 એપ્રિલ, 1970 પોલૅન્ડમાં જન્મેલા કાલેકી માઇકલ વિખ્યાત માર્કસવાદી અર્થશાસ્ત્રી હતા. તેમણે વૉર્સો શહેરના ઝેન્સ્ક પોલિટૅકનિકમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો, પણ પદવી પ્રાપ્ત કરે તે પહેલાં કૌટુંબિક સંજોગોને લીધે અભ્યાસ છોડી દેવો પડ્યો. હવે તેમણે ઘરે રહીને સ્વશિક્ષિત બનવાનો પ્રયત્ન કર્યો. અર્થશાસ્ત્રનાં પુસ્તકો વાંચીને તેમાં નિપુણતા મેળવી. 1929થી 1937 સુધી […]

લેખ

વ્યક્તિ વિશેષ

પ્રમુખને પક્ષી દેખાયું ત્યારે

1901થી 1909 સુધી અમેરિકાના પ્રમુખનો હોદ્દો સંભાળનાર થિયોડોર રૂઝવેલ્ટ(1858થી 1919)ની વિશેષતા એ હતી કે તેઓ વિશ્વના સમર્થ રાજનીતિજ્ઞોથી માંડીને સામાન્યમાં સામાન્ય નોકરો સુધી સહુ કોઈને સાચુકલા હૃદયનો પ્રેમ કરતા હતા. પ્રમુખ તરીકે એ ઑફિસે જવા નીકળે ત્યારે રસ્તામાં એમના નોકરોનાં નિવાસસ્થાન આવતાં હતાં. જો પોતાના નોકરોને એમની ઝૂંપડીની બહાર જોતા નહીં, તો એની ઝૂંપડીની બહાર […]

લેખ

પ્રસંગમાધુરી

વિષ્ણુ પ્રભાકર

જ. 21 જૂન, 1912 અ. 11 એપ્રિલ, 2009 હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ સાહિત્યકાર વિષ્ણુ પ્રભાકરનો જન્મ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના મીરાપુર ગામમાં થયો હતો. પિતા દુર્ગાપ્રસાદ અને માતા મહાદેવી. તેમનું પ્રાથમિક શિક્ષણ મીરાપુરમાં થયું. વધુ અભ્યાસ માટે મામાને ત્યાં હિસ્સાર ગયા. 1929માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સરકારી નોકરીમાં જોડાયા. નોકરી દરમિયાન હિન્દીમાં […]

લેખ

વ્યક્તિ વિશેષ

આંધ્રપ્રદેશ

ભારતમાં દક્ષિણ મધ્યપૂર્વમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે ૧૨° ૪૧´ થી ૧૯° ૦૭´ ઉ. અ. અને ૭૭° ૦૦´ થી ૮૪° ૪૦´ પૂ. રે. વચ્ચે આવેલો છે. જેનો વિસ્તાર ૧,૬૨,૯૬૭ ચો.કિમી. છે આ રાજ્યની ઉત્તરે તેલંગાણા, પશ્ચિમથી વાયવ્યે છત્તીસગઢ, ઉત્તરે ઓડિશા, પૂર્વે બંગાળનો ઉપસાગર, દક્ષિણે તમિળનાડુ જ્યારે પશ્ચિમે અને નૈઋત્યે કર્ણાટક રાજ્યની સીમા આવેલી […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

લક્ષ્મણરાવ કાશીનાથ કિર્લોસ્કર

જ. 20 જૂન, 1869 અ. 26 સપ્ટેમ્બર, 1956 વિખ્યાત  ઉદ્યોગપતિ તથા કિર્લોસ્કર ઔદ્યોગિક ગૃહના સંસ્થાપક લક્ષ્મણરાવ કિર્લોસ્કરનો જન્મ બેળગાંવ (કર્ણાટક) જિલ્લાના ગુર્લહોસૂરમાં થયો હતો. તેમને ઔપચારિક શિક્ષણમાં રસ ન હોવાથી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટસમાં ચિત્રકલાના અભ્યાસ માટે દાખલ થયા. તે આંશિક રંગઅંધત્વથી પીડાતા હોવાથી ચિત્રકલાનો અભ્યાસ છોડી મિકૅનિકલ ડ્રૉઇંગ અભ્યાસક્રમમાં જોડાયા. 1887માં […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો