ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

વિવેચક અને સંશોધક શ્રી યશવંત દોશી સ્મૃતિ-વ્યાખ્યાનશ્રેણી

વિષય : પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની  | વક્તા : નટવર ગાંધી પ્રાસ્તાવિક : નીતિન શુક્લ 17 જાન્યુઆરી, 2026 | શનિવાર |  સાંજના 5-30

10 January 2026

શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી

ગુજરાતી વિશ્વકોશના પ્રણેતા અને સંપાદક પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકરની પુણ્યસ્મૃતિએ વ્યાખ્યાન વિષય : જીવનલક્ષ્યની શોધમાં | વક્તા : પૂજ્ય શ્રી અક્ષરત્સલસ્વામી 24 જાન્યુઆરી 2026 | શનિવાર, સાંજના 5-30

10 January 2026

શ્રી પી. જી. શાહની સ્મૃતિમાં આયોજિત વ્યાખ્યાન

વિષય : અધ્યાત્મ અને વિજ્ઞાન  વક્તા : ડૉ. પંકજ જોશી (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ખગોળ ભૌતિકશાસ્ત્રી) 13 જાન્યુઆરી, 2026 | મંગળવાર, સાંજના 5-30

06 January 2026

વાચન સમૃદ્ધિ

સૌથી મહત્ત્વની સંપત્તિ

ઈ. સ. 1936માં અમેરિકાના ઉદ્યોગપતિ ચાર્લ્સ સ્ક્વૈબે એક વ્યક્તિની સલાહકાર તરીકે નિમણૂક કરી. એને મહિનાના પચીસ હજાર ડૉલરનો પગાર આપવાનું નક્કી કર્યું. માત્ર સલાહ આપવા માટે કંઈ આટલો મોટો પગાર હોય ખરો ? પરંતુ આ કરોડાધિપતિ માનતો હતો કે જીવનમાં એક સલાહ અનેક સમસ્યાઓને ઉકેલી આપે છે. કોઈ અનુભવી આ મૂંઝવણનું મૂળ કારણ શોધીને સતત […]

લેખ

પ્રસંગમાધુરી

મેજર મોહિત શર્મા

જ. 13 જાન્યુઆરી, 1978 અ. 21 માર્ચ, 2009 અપૂર્વ પરાક્રમ કરી શહીદ થનાર મેજર મોહિત શર્માનો જન્મ રોહતકમાં થયો હતો. પિતા રાજેન્દ્રપ્રસાદ અને માતા સુશીલા. પરિવારમાં સહુ ‘ચિન્ટુ’ કહેતા અને સાથીઓ તેમને ‘માઈક’ કહેતા. તેમનું શાળેય શિક્ષણ માનવસ્થલી સ્કૂલ, દિલ્હી, હોલી એન્જલ્સ સ્કૂલ, સાહિબાબાદ અને દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાઝિયાબાદમાં થયું હતું. 1995માં રાષ્ટ્રીય સંરક્ષણ એકૅડેમી(NDA)માં […]

લેખ

વ્યક્તિ વિશેષ

હાથી

જમીન પર વસતું સૌથી મહાકાય, સૂંઢવાળું સસ્તન પ્રાણી. હાથીની બે જાતિઓ છે : ૧. એશિયન હાથી, ૨. આફ્રિકન હાથી. એશિયન હાથી તે ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિયામ, મલાયા અને સુમાત્રામાં વસતા હાથી. ભારતમાં ઉત્તરાખંડ, આસામ, ઝારખંડ, ઓડિશા, કર્ણાટક, કેરળ વગેરે રાજ્યોમાં હાથી વસે છે. ભારતીય હાથીની ઊંચાઈ ૨.૫થી ૩ મીટર, લંબાઈ ૮ મીટર (સૂંઢથી પૂંછડી સુધીની) […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

મહર્ષિ મહેશ યોગી

જ. 12 જાન્યુઆરી, 1911 અ. 5 ફેબ્રુઆરી, 2008 ભાવાતીત ધ્યાનના સમર્થ પુરસ્કર્તા અને વિખ્યાત યોગી. તેમના પૂર્વજીવન વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. તેમણે 1942માં અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી ભૌતિકશાસ્ત્રમાં ઉપાધિ મેળવી અને થોડા સમય માટે કારખાનાંઓમાં કામ કર્યા પછી જ્ઞાનસાધના અને યોગસાધના માટે હિમાલય જતા રહ્યા હતા. ત્યાં તેર વર્ષો સુધી બાબા ગુરુદેવ(બ્રહ્માનંદ સરસ્વતી)ના માર્ગદર્શન હેઠળ અધ્યયન […]

લેખ

વ્યક્તિ વિશેષ

તાંજાવુર (તાંજોર)

ભારતના અગ્નિખૂણે આવેલા તમિળનાડુ રાજ્યનો એક જિલ્લો, જિલ્લામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 10° 48´ ઉ. અ. અને 79° 09´ પૂ. રે.. આ જિલ્લાની ઉત્તરે આરિયાલુર, ઈશાને નાગપટ્ટિનમ્, પૂર્વમાં થિરુવરુર, દક્ષિણે પાલ્કની સામુદ્રધુની, નૈઋત્યે પુડુકોટ્ટાઈ, પશ્ચિમે તિરુચિરાપલ્લી જિલ્લા આવેલા છે. જિલ્લાનું ક્ષેત્રફળ 3476 ચોકિમી. તથા કુલ વસ્તી 26,30,000 (2025, આશરે) છે. ચક્રવાતને કારણે […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

કુન્દનિકા કાપડિયા

જ. 11 જાન્યુઆરી, 1927 અ. 30 એપ્રિલ, 2020 ગુજરાતી સાહિત્યનાં અગ્રગણ્ય નવલકથાકાર, નવલિકાકાર અને નિબંધકાર કુન્દનિકા કાપડિયાનો જન્મ લીંબડીમાં થયો હતો. પિતા નરોત્તમદાસ અને માતા રંભાબહેન. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પંચમહાલના ગોધરામાં થયું હતું. તેમણે ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી 1948માં બી.એ.ની પદવી મેળવી. તેમણે 1942માં ‘હિંદ છોડો’ લડતમાં ભાગ લીધો હતો, આથી તેમને જેલ પણ […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો