ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

કુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કાર

મનુ પારેખ:  કલાકૃતિ  :માધવી પારેખકુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કારજાણીતા ચિત્રકાર : મનુ પારેખ અને માધવી પારેખનેપરિચય : નિસર્ગ આહીર25 જુલાઈ 2026, શનિવાર, સાંજના 5-30

22 July 2026

બારીએથી વિશ્વ (પોડકાસ્ટ)

કલમના કસબી અને વિશ્વપ્રવાસી ડૉ. ભારતી રાણે સાથે દીપ્તિ જોષીનો સંવાદ 15 જુલાઈ, 2026, બુધવાર, સાંજના 5-30

10 July 2026

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : શતાબ્દીવંદના શ્રી નિરંજન ભગત : જીવન અને કવન વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા 9 જુલાઈ, 2026, ગુરુવાર સમય : સાંજના 5-00

04 July 2026

વાચન સમૃદ્ધિ

ઈથિયોપિયા

દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં રાતા સમુદ્રને અડીને આવેલો પ્રાચીન પહાડી દેશ. તે ૯° ઉ. અ. અને ૩૯° પૂ. રે.ની આજુબાજુનો આશરે ૧૧.૩૦ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ઈથિયોપિયાની ઉત્તરે ઇરિટ્રીઆ, ઈશાને જીબોટી, પૂર્વે સોમાલીઆ અને સોમાલીલૅન્ડ, દક્ષિણે કેન્યા, પશ્ચિમે સુદાન તેમજ નૈઋત્યે દક્ષિણ સુદાન દેશો સીમા ધરાવે છે. જીબોટી દેશ પાસે રાતો સમુદ્ર અને દક્ષિણે […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

બાબુભાઈ પ્રાણજીવન વૈદ્ય

જ. 23 જુલાઈ, 1909 અ. 12 ડિસેમ્બર, 1979 ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, સામાજિક અને રાજકીય કાર્યકર બાબુભાઈ વૈદ્યનો જન્મ દ્વારકામાં થયો હતો. તેમના પિતા દ્વારકામાં સરકારી ડૉક્ટર હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ જેતપુર અને પાદરાની શાળામાં અને માધ્યમિક શિક્ષણ જેતપુરમાં થયું હતું. 1927-1930 દરમિયાન જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો પણ વચ્ચે એક વર્ષ વડોદરાની કૉલેજમાં […]

લેખ

વ્યક્તિ વિશેષ

દેવાસ

મધ્યપ્રદેશના ઉજજૈન વિભાગનો જિલ્લો. તે 22° 57´ ઉ. અ. અને 76° 03´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાથી વિંધ્યાચળ હારમાળાનો પ્રારંભ થાય છે. જિલ્લાની ઉત્તરે માલવાનો ઉચ્ચપ્રદેશ આવેલો છે, જ્યારે દક્ષિણે નર્મદા નદીનો ખીણવિસ્તાર આવેલો છે. દક્ષિણે નર્મદા નદી વહે છે. આ જિલ્લાની પૂર્વે શેહોર જિલ્લો, દક્ષિણે હરડા અને ખંડવા જિલ્લાઓ, પશ્ચિમે ખારગોન અને […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

મનુભાઈ મહેતા

જ. 22 જુલાઈ, 1868 અ. 14 ઑક્ટોબર, 1946 વડોદરા અને બિકાનેર રાજ્યના દીવાન અને પ્રાધ્યાપક મનુભાઈ મહેતાનો જન્મ સૂરતમાં વડનગરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા નંદશંકર અને માતા નંદા ગૌરી. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથાના લેખક નંદશંકર મહેતાના તેઓ પુત્ર હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ લુણાવાડામાં અને માધ્યમિક શિક્ષણ ભાવનગર તથા મુંબઈમાં થયું હતું. મુંબઈની ઍલ્ફિન્સ્ટન […]

લેખ

વ્યક્તિ વિશેષ

અસલી ચહેરાનો પ્રભાવ

અમેરિકાના નાનકડા ગામમાં વસતા જેન ઑટ્રીએ ગામડામાંથી શહેરમાં આવીને પહેલું કામ એ કર્યું કે ન્યૂયૉર્ક જેવા મહાનગરને છાજે એવી ભાષા બોલવાનો પ્રયાસ કર્યો. એની વાતચીતમાં આવી જતી ટેક્સાસ રાજ્યની બોલીની લઢણ સભાનપણે દૂર કરી. ગામડાનો પોશાક છોડીને મહાનગરના માનવીને શોભે એવો ઠસ્સાદાર પોશાક સજી-ધજીને પહેરવા લાગ્યો, એટલું જ નહીં પણ પોતે જાણે ન્યૂયૉર્કનો વતની છે […]

લેખ

પ્રસંગમાધુરી

આનંદ બક્ષી

જ. 21 જુલાઈ, 1930 અ. 30 માર્ચ, 2002 હિન્દી ફિલ્મજગતના ખ્યાતનામ કવિ-ગીતકાર આનંદ બક્ષીનો જન્મ રાવલપિંડી, પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ ભારતના ભાગલા સમયે એમના પરિવારે જીવ બચાવીને દિલ્હી ભાગી આવવું પડ્યું હતું. કવિતા લખવાનો શોખ આનંદ પ્રકાશ બક્ષીને કિશોર વયથી હતો. થોડો સમય ભારત નેવીમાં તથા ત્યાંથી ભારતીય આર્મીમાં કામ કર્યું, પરંતુ એમના કવિજીવને બંધનયુક્ત […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો