ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠની પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ

શ્રી રતિલાલ બોરીસાગરના પ્રમુખપદે નામાભિધાનકવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ માતૃભાષા સંવર્ધન કેન્દ્રઆ પ્રસંગે શ્રી અમર ભટ્ટ કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠનાગીતોની પ્રસ્તુતિ કરશે તેમજ પ્રિયકાન્ત મણિયારનીજન્મશતાબ્દી નિમિત્તે કાવ્યાંજલિ અર્પણ કરશે1 ઑગસ્ટ, 2026, શનિવાર, સાંજના 5-30  

30 July 2026

કુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કાર

મનુ પારેખ:  કલાકૃતિ  :માધવી પારેખકુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કારજાણીતા ચિત્રકાર : મનુ પારેખ અને માધવી પારેખનેપરિચય : નિસર્ગ આહીર25 જુલાઈ 2026, શનિવાર, સાંજના 5-30

22 July 2026

બારીએથી વિશ્વ (પોડકાસ્ટ)

કલમના કસબી અને વિશ્વપ્રવાસી ડૉ. ભારતી રાણે સાથે દીપ્તિ જોષીનો સંવાદ 15 જુલાઈ, 2026, બુધવાર, સાંજના 5-30

10 July 2026

વાચન સમૃદ્ધિ

ઉત્તરપ્રદેશ

વસ્તીની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટું અને મહત્ત્વનું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે ૨૩° ૫૨´થી ૩૧° ૨૮´ ઉ. અ. અને ૭૭° ૦૩´થી ૮૪° ૩૯´ પૂ. રે.ની વચ્ચેનો ૨,૪૩,૨૮૬ ચો.કિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આ રાજ્યની વસ્તી ૨૪.૭૦ કરોડ (૨૦૨૬) છે. ભારતમાં વિસ્તારની દૃષ્ટિએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ચોથા ક્રમે ઉત્તરપ્રદેશ આવે છે. આ રાજ્યની પશ્ચિમે […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

રવિશંકર મહાશંકર રાવળ

જ. 1 ઑગસ્ટ, 1892 અ. 9 ડિસેમ્બર, 1977 અર્વાચીન ગુજરાતમાં કલાજાગૃતિનો પ્રસાર કરનાર ચિત્રકાર, ‘કુમાર’ માસિકના સ્થાપક અને લેખક રવિશંકર રાવળનો જન્મ ભાવનગરમાં થયો હતો. દસમા વર્ષે પિતાજી સાથે મહેસાણા આવ્યા અને નાનાં ચિત્રો બનાવવા લાગ્યા. ભાવનગરમાં ચિત્રકાર ભગવાનજીને ગુરુ બનાવ્યા. 1909માં મૅટ્રિક પાસ થયા. 1910માં ભાવનગરની શામળદાસ કૉલેજમાં આર્ટસમાં અભ્યાસ કર્યો પણ 1911માં અભ્યાસ […]

લેખ

વ્યક્તિ વિશેષ

દેશી ચાષ (Indian Roller or Blue Jay)

ભારતમાં ગુજરાતમાં જોવા મળતું એક સુંદર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Caracias benghalensis. હિંદી નામ ‘નીલકંઠ’ અથવા ‘સબજાક’ છે. તેનું બીજું નામ ‘લીલછા’ પણ છે. જોકે સામાન્ય રીતે તે ‘ચાષ’ નામે જાણીતું છે. આછા નીલ રંગનું આ પંખી લગભગ કબૂતરના કદનું, કાબરથી મોટું અને કાગડા કરતાં નાનું – 33 સેમી.નું હોય છે. કાશ્મીરી ચાષ […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

શંકર પિલ્લૈ

જ. 31 જુલાઈ, 1902 અ. 26 ડિસેમ્બર, 1989 વિખ્યાત કાર્ટૂનિસ્ટ, સમર્થ પત્રકાર અને ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટના સ્થાપક શંકર પિલ્લૈનો જન્મ કાયામકુલમ્, કેરળમાં થયો હતો.  ત્રિવેન્દ્રમની મહારાજા કૉલેજમાંથી વિજ્ઞાનના સ્નાતક થયા. ત્યારબાદ 1927માં કાયદાનું જ્ઞાન મેળવવા મુંબઈ ગયા પરંતુ થોડા જ સમયમાં અભ્યાસ છોડી દીધો. મુંબઈમાં અભ્યાસ દરમિયાન શોખ ખાતર તેઓ કાર્ટૂન ચિત્રો બનાવતા. ખાસ કરીને […]

લેખ

વ્યક્તિ વિશેષ

નિષ્ફળતાને નમવું નથી

પ્રસિદ્ધ ઉદ્યોગપતિ કિંગ કૅમ્પ જીલેટ એમની કારકિર્દીના પ્રારંભે એમના મિત્રો, સાથીઓ અને લોકોની ટીકા અને મજાકનું કારણ બન્યા હતા. અત્યંત ગરીબ એવા કિંગ કૅમ્પ જીલેટને એક વાર શેવિંગ કરતી વખતે અસ્તરા પર ભારે અણગમો થયો. અસ્તરાની ધાર નીકળી ચૂકી હતી અને લગભગ બુઠ્ઠા બની ગયેલા અસ્તરાથી માંડ માંડ શેવિંગ થતું હતું. આ દિવસે જીલેટે વિચાર્યું […]

લેખ

પ્રસંગમાધુરી

હેન્રી ફૉર્ડ

જ. 30 જુલાઈ, 1863 અ. 7 એપ્રિલ, 1947 વિશ્વના આરંભના અગ્રણી મોટરકાર ઉત્પાદક અને ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા હેન્રી ફૉર્ડનો જન્મ મિશિગનના ગ્રીનફીલ્ડ ટાઉનશિપમાં થયો હતો. તેમનું આગવું પ્રદાન તે તેમણે મોટરકારના જથ્થાબંધ ઉત્પાદનમાં 1913માં વિશ્વનો પ્રથમ ઍસેમ્બલી લાઇન પ્લાન્ટ આપ્યો તે છે. તેમનું કુટુંબ આયર્લૅન્ડથી આવીને વસ્યું હતું. 15 વર્ષની વયે શાળા છોડીને ડેટ્રોઇટમાં મશીનિસ્ટ […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો