ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠની પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ

શ્રી રતિલાલ બોરીસાગરના પ્રમુખપદે નામાભિધાનકવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ માતૃભાષા સંવર્ધન કેન્દ્રઆ પ્રસંગે શ્રી અમર ભટ્ટ કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠનાગીતોની પ્રસ્તુતિ કરશે તેમજ પ્રિયકાન્ત મણિયારનીજન્મશતાબ્દી નિમિત્તે કાવ્યાંજલિ અર્પણ કરશે1 ઑગસ્ટ, 2026, શનિવાર, સાંજના 5-30  

30 July 2026

કુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કાર

મનુ પારેખ:  કલાકૃતિ  :માધવી પારેખકુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કારજાણીતા ચિત્રકાર : મનુ પારેખ અને માધવી પારેખનેપરિચય : નિસર્ગ આહીર25 જુલાઈ 2026, શનિવાર, સાંજના 5-30

22 July 2026

બારીએથી વિશ્વ (પોડકાસ્ટ)

કલમના કસબી અને વિશ્વપ્રવાસી ડૉ. ભારતી રાણે સાથે દીપ્તિ જોષીનો સંવાદ 15 જુલાઈ, 2026, બુધવાર, સાંજના 5-30

10 July 2026

વાચન સમૃદ્ધિ

નિષ્ફળતાને નમવું નથી

પ્રસિદ્ધ ઉદ્યોગપતિ કિંગ કૅમ્પ જીલેટ એમની કારકિર્દીના પ્રારંભે એમના મિત્રો, સાથીઓ અને લોકોની ટીકા અને મજાકનું કારણ બન્યા હતા. અત્યંત ગરીબ એવા કિંગ કૅમ્પ જીલેટને એક વાર શેવિંગ કરતી વખતે અસ્તરા પર ભારે અણગમો થયો. અસ્તરાની ધાર નીકળી ચૂકી હતી અને લગભગ બુઠ્ઠા બની ગયેલા અસ્તરાથી માંડ માંડ શેવિંગ થતું હતું. આ દિવસે જીલેટે વિચાર્યું […]

લેખ

પ્રસંગમાધુરી

હેન્રી ફૉર્ડ

જ. 30 જુલાઈ, 1863 અ. 7 એપ્રિલ, 1947 વિશ્વના આરંભના અગ્રણી મોટરકાર ઉત્પાદક અને ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા હેન્રી ફૉર્ડનો જન્મ મિશિગનના ગ્રીનફીલ્ડ ટાઉનશિપમાં થયો હતો. તેમનું આગવું પ્રદાન તે તેમણે મોટરકારના જથ્થાબંધ ઉત્પાદનમાં 1913માં વિશ્વનો પ્રથમ ઍસેમ્બલી લાઇન પ્લાન્ટ આપ્યો તે છે. તેમનું કુટુંબ આયર્લૅન્ડથી આવીને વસ્યું હતું. 15 વર્ષની વયે શાળા છોડીને ડેટ્રોઇટમાં મશીનિસ્ટ […]

લેખ

વ્યક્તિ વિશેષ

ઉત્તર ધ્રુવ

પૃથ્વીના ગોળાની ધરીના ઉત્તર છેડા પરનું સ્થાન. પૃથ્વીના ગોળા પર ઉત્તરના અને દક્ષિણના છેડે બે હિમાચ્છાદિત વિસ્તારો આવેલા છે. તેની કોઈ ચોક્કસ સીમા નથી. ઉત્તર વિસ્તાર ઉત્તર ધ્રુવ તરીકે ઓળખાય છે. આ વિશાળ વિસ્તાર ૧,૪૨,૦૦,૦૦૦ ચો.કિમી. જેટલો છે. અહીં દરિયાની મહત્તમ ઊંડાઈ ૪,૧૦૦ મીટરની છે. આ વિસ્તારની નજીકમાં અનેક ભૂમિભાગો આવેલા છે. તેમાં નૉર્વે, રશિયા, […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

ઇસિડૉર આઇઝક રબી

જ. 29 જુલાઈ, 1898 અ. 11 જાન્યુઆરી, 1988 અમેરિકન ભૌતિકશાસ્ત્રી ઇસિડૉર રબીનો જન્મ રૈમાનોવ ઑસ્ટ્રિયામાં એક યહૂદી પરિવારમાં થયો હતો. પિતાનું નામ ડેવિડ રૉબર્ટ અને માતાનું નામ જેનેટ ટાઇગે, 1899માં પરિવાર સાથે અમેરિકામાં સ્થળાંતર કર્યું. શાળાનો અભ્યાસ ન્યૂયૉર્કમાં કર્યા બાદ 1919માં ત્યાંની કોર્નેલ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતકની અને 1923માં અનુસ્નાતકની પદવી મેળવી અને 1927માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી […]

લેખ

વ્યક્તિ વિશેષ

દેવરિયા

: ઉત્તરપ્રદેશ રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. તે 26° 6´ ઉ. અ.થી 26° 48´ ઉ. અ. અને 83° 21´ પૂ. રે.થી 84° 16´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કુશીનગર જિલ્લો, પૂર્વમાં બિહાર રાજ્યના ગોપાલગંજ અને શિવાન જિલ્લા, દક્ષિણે મઉ અને બલિયા જિલ્લા જ્યારે પશ્ચિમે ગોરખપુર જિલ્લો આવેલા છે. તે સમુદ્રની […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

નામવર સિંહ

જ. 28 જુલાઈ, 1926 અ. 19 ફેબ્રુઆરી, 2019 હિન્દી સાહિત્યના પ્રખ્યાત વિવેચક, સંપાદક, પ્રાધ્યાપક નામવર સિંહનો જન્મ ઉત્તરપ્રદેશના જીયનપુર ગામમાં થયો હતો. ઘરમાંથી શિક્ષણ અને સાહિત્યના સંસ્કાર મળ્યા હતા. તેઓ અભ્યાસ માટે બનારસ ગયા. એ જ વર્ષે ‘ક્ષત્રિયમિત્ર’ સામયિકમાં ‘દીવાલી’ કવિતા છપાઈ. તેમણે રવીન્દ્ર સાહિત્ય અને સંગીતનો અભ્યાસ કર્યો હતો. તેઓ 1949માં બી. એ. અને […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો