ઘેલુભાઈ નાયક

જ. 19 જૂન, 1924 અ. 16 જાન્યુઆરી, 2015 ડાંગના ગાંધી તરીકે ઓળખાતા સ્વાતંત્ર્યસેનાની ઘેલુભાઈનો જન્મ ગણદેવી તાલુકાના કોલવા ગામમાં થયો હતો. પિતાનું નામ ગુલાબભાઈ અને માતાનું નામ લક્ષ્મીબહેન. તેઓ અગિયાર વર્ષના હતા ત્યારે ગાંધીજી અમલસાડની રેંટિયાશાળામાં આવ્યા હતા. ગાંધીજીને મળ્યા પછી તેઓ ગાંધીજીથી પ્રભાવિત થયા હતા. તેમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોશિયલ સાયન્સ, મુંબઈમાંથી અનુસ્નાતકની પદવી […]

ડર શેનો ?

એલિનૉર રૂઝવેલ્ટ (1884થી 1962) અમેરિકાનાં પ્રખર માનવતાવાદી અગ્રણી, કુશળ લેખિકા અને અમેરિકાના રાજકારણમાં આગવી પ્રતિભા ધરાવનાર મહિલા હતાં. માતા-પિતાનું અકાળ અવસાન થતાં એમનો ઉછેર માતામહીએ કર્યો. એ પછી ચાર વખત અમેરિકાના પ્રમુખ બનનાર ફ્રેન્કલિન રૂઝવેલ્ટ સાથે એમનાં લગ્ન થયાં અને એ જાણીતાં થયાં, તેથી એમના પર નિંદા અને ટીકાઓનો વરસાદ વરસવા લાગ્યો. એમના દુશ્મનોએ એમની […]

કમલા સોહોની

જ. 18 જૂન 1911 અ. 28 જૂન 1998 ફિલ્ડ્સ બાયૉકેમિસ્ટ્રીના વૈજ્ઞાનિક, બ્રિટિશ યુનિવર્સિટીમાં વિજ્ઞાનમાં પીએચ.ડી. મેળવનારાં પ્રથમ ભારતીય મહિલા કમલા સોહોનીનો જન્મ ઇન્દોરમાં થયો હતો. બૉમ્બે યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં પછી તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં સંશોધન ફેલોશિપ માટે અરજી કરી, પરંતુ તત્કાલીન નિયામક અને નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો. સી. વી. રામને તેમની અરજીને નકારી કાઢી. […]