જ. ૪ ડિસેમ્બર, ૧૯૧૦ અ. ૧૭ જૂન, ૧૯૬૫ ૪૦ના દાયકાના સુપ્રસિદ્ધ અભિનેતા મોતીલાલ રાજવંશનો જન્મ સિમલામાં એક કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા શાળાનિરીક્ષક હતા. પરિવાર મૂળ દિલ્હીનો હતો એટલે દિલ્હીમાં બી.એ. સુધી અભ્યાસ કર્યો અને પછી તેઓ નૌકાદળમાં જોડાવા માટે મૌખિક પરીક્ષા આપવા મુંબઈ આવ્યા. નાદુરસ્ત તબિયતને કારણે પરીક્ષા ચૂકી ગયા. દરમિયાન એક મિત્ર […]
દીર્ઘ સાધના બાદ પ્રાપ્ત સિદ્ધિથી બંને સાધુઓ પ્રસન્ન હતા, કિંતુ એમનામાં સાધનાના ગૌરવને બદલે એનો ગર્વ જાગ્યો અને પ્રાપ્ત સિદ્ધિઓનો અહંકાર ઘેરી વળ્યો. એક વાર આ બંને સાધુઓ એક સ્થળે ભેગા થઈ ગયા. બંનેના અહમ્ ટકરાયા. તરત જ તેમના અનુયાયીઓ સામસામા આવી ગયા. સવાલ એ જાગ્યો કે આ બંને સાધુઓમાં કોની સાધના ચડિયાતી ગણાય ? […]
જ. ૩ ડિસેમ્બર, ૧૯૨૬ અ. ૨૪ ઑક્ટોબર, ૨૦૦૫ નાટ્યકાર, ચરિત્રકાર, પ્રવાસલેખક, સંપાદક અને વિવેચક. જન્મ પાદરા ગામમાં થયો હતો. ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થઈ ૧૯૫૦માં એમ.એ. અને ૧૯૬૧માં પીએચ.ડી. થયા. ૧૯૫૧થી ૧૯૭૦ સુધી સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાં પ્રાધ્યાપક તરીકે, ૧૯૭૦થી મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક અને પછી અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી. તેઓ ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ […]