જ. ૨૫ નવેમ્બર, ૧૯૨૩ અ. ૨ જાન્યુઆરી, ૧૯૯૪ ‘બેફામ’ ઉપનામથી જાણીતા બરકત વિરાણીનું પૂરું નામ બરકતઅલી ગુલામહુસેન વિરાણી છે. તેઓ તેમની ગઝલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ધાંધળી ગામે થયો હતો. બાળપણથી જ તેમને સાહિત્યમાં ઊંડો રસ હોવાથી ૧૪ વર્ષની વયે તેમણે ગઝલ લખી હતી. તેમનું પ્રાથમિક અને માધ્યમિક […]
સ્વ. માનભાઈ ભટ્ટ દ્વારા ઈ. સ. ૧૯૩૯માં શરૂ થયેલ બાળકેળવણીની સંસ્થા. ‘શિશુવિહાર’ સંસ્થા અને માનભાઈ એક સિક્કાની બે બાજુઓ જેવા છે. ઈ. સ. ૧૯૩૮માં નાના પાયે શિશુવિહારની તેમણે શરૂઆત કરેલી. પાછળથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી તરફથી ઘણી મોટી જમીન દાનમાં મળી. આજે તો આ સંસ્થામાં અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. અહીં પ્રાથમિક શાળા, વિનયમંદિર, સંગીતવર્ગો, રંગભૂમિ-પ્રવૃત્તિ વગેરે સાથે […]