બરકત વિરાણી ‘બેફામ’

જ. ૨૫ નવેમ્બર, ૧૯૨૩ અ. ૨ જાન્યુઆરી, ૧૯૯૪ ‘બેફામ’ ઉપનામથી જાણીતા બરકત વિરાણીનું પૂરું નામ બરકતઅલી ગુલામહુસેન વિરાણી છે. તેઓ તેમની ગઝલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ધાંધળી ગામે થયો હતો. બાળપણથી જ તેમને સાહિત્યમાં ઊંડો રસ હોવાથી ૧૪ વર્ષની વયે તેમણે ગઝલ લખી હતી. તેમનું પ્રાથમિક અને માધ્યમિક […]

શિશુવિહાર

સ્વ. માનભાઈ ભટ્ટ દ્વારા ઈ. સ. ૧૯૩૯માં શરૂ થયેલ બાળકેળવણીની સંસ્થા. ‘શિશુવિહાર’ સંસ્થા અને માનભાઈ એક સિક્કાની બે બાજુઓ જેવા છે. ઈ. સ. ૧૯૩૮માં નાના પાયે શિશુવિહારની તેમણે શરૂઆત કરેલી. પાછળથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી તરફથી ઘણી મોટી જમીન દાનમાં મળી. આજે તો આ સંસ્થામાં અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. અહીં પ્રાથમિક શાળા, વિનયમંદિર, સંગીતવર્ગો, રંગભૂમિ-પ્રવૃત્તિ વગેરે સાથે […]

મહિપાલ ચંદ્ર ભંડારી

જ. ૨૪ નવેમ્બર, ૧૯૧૯ અ. ૧૫ મે, ૨૦૦૫ ભારતીય ચલચિત્રોના જાણીતા અદાકાર અને રાજસ્થાની ફિલ્મના પ્રથમ અભિનેતા. તેમનો જન્મ જોધપુર, રાજસ્થાનમાં થયેલો, જ્યાં તેમણે શાળાકીય શિક્ષણ મેળવી જસવંત ગવર્નમેન્ટ કૉલેજ, જોધપુરમાંથી સાહિત્યના વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી. નાનપણથી જ અભિનય પ્રત્યેની રુચિને લીધે બાળકલાકાર તરીકે કામ કરી ૧૯૪૦ના દસકામાં મુંબઈ આવ્યા. ૧૯૪૨ ‘નઝરાના’ ફિલ્મથી પદાર્પણ […]