વિદેશથી પ્રગટ થતું ત્રૈમાસિક ‘ગુર્જરી ડાયજેસ્ટ’ જુલાઈ, 2021થી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશિત કરે છે. તેમાં લલિતકલાવિષયક લેખો, વાર્તા, કવિતા, તત્વજ્ઞાન, સાંપ્રત પ્રવાહો વિશેના લેખો નિયમિત રીતે આવે છે. આ ત્રૈમાસિક કિશોર દેસાઈ અને ડૉ. કુમારપાળ દેસાઈના સંપાદન હેઠળ પ્રકાશિત થાય છે.

શિષ્ટ અને સંસ્કારી સાહિત્યનું વાંચન પીરસતા ત્રૈમાસિક ‘ગુર્જરી ડાયજેસ્ટ’માં દેવિકા ધ્રુવ, ગિરા કાનિટકર, જયંત બી. મહેતા, રેખા સિંધલ, ભરત ત્રિવેદી, મધુ ઠાકર, ક્રિષ્નાદિત્ય, નટવર ગાંધી, વૈભવ જોશી, વાસુદેવ ઇનામદાર, બાબુ સુથાર, જયશ્રી મર્ચન્ટ, વિપુલ કલ્યાણી વગેરે વિદેશમાં વસવાટ કરતાં ભારતીય લેખકોના લેખો પ્રકાશિત થાય છે.