ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ

જ. ૧૯ ડિસેમ્બર, ૧૮૮૭ અ. ૫ ડિસેમ્બર, ૧૯૫૧ ગોપાળદાસ દેસાઈ ગાંધીવાદી, રાજનૈતિક અને સમાજસેવક હતા. તેઓ દરબાર ગોપાળદાસ તરીકે જાણીતા હતા. તેઓ સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંઓ પૈકી ઢસા રજવાડાના રાજા હતા, પણ બ્રિટિશ રાજથી ભારતની સ્વતંત્રતા માટે રાજપાટ છોડનાર પ્રથમ રાજવી હતા. તેમના પાલક પિતા અંબઈદાસ પછી તેઓ ઢસાની ગાદીએ આવ્યા હતા. તેમના નાનાજીએ તેઓને દત્તક […]

શેરડી

ધાન્ય કુળની એક ઊંચા તૃણસ્વરૂપવાળી વનસ્પતિ. તેના સાંઠા જુદી જુદી જાડાઈ અને આછા કે ઘેરા લીલાથી માંડી ઘેરો પીળો, રતાશ પડતો કે જાંબલી રંગ ધરાવે છે. આ સાંઠામાં રેસા ઓછા અને ખાંડ (સુક્રોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ) વધારે હોય છે. તેનાં પાન સાદાં, મોટાં, લાંબાં-સાંકડાં, પટ્ટી આકારનાં અને એકાંતરે ગોઠવાયેલાં હોય છે. પુષ્પોનો સમૂહ મોટો અને […]

અયોધ્યાનાથ (એ.એન.)

ખોસલા ———- જ. ૧૮ ડિસેમ્બર, ૧૮૯૨ અ. ૨૯ મે, ૧૯૮૪ સિંચાઈ ઇજનેરીના પ્રખર તજજ્ઞ અને ઉચ્ચકોટિના સિવિલ ઇજનેર અયોધ્યાનાથ ખોસલાનો જન્મ જલંધરમાં થયો હતો. ઇજનેરી વિદ્યાનો ઉચ્ચ અભ્યાસ તેમણે રૂરકીની ધ થૉમ્સન કૉલેજ ઑવ્ સિવિલ એન્જિનિયરિંગમાંથી કર્યો હતો. ૧૯૫૩માં તેમણે ભારત સરકારના સિંચાઈ અને વીજળી મંત્રાલયના ખાસ સચિવ તરીકે સેવા આપી હતી. બંધો અંગે તેમણે […]