ડૉ. પ્રમોદ કરણ સેઠી

જ. ૨૮ નવેમ્બર, ૧૯૨૭ અ. ૬ જાન્યુઆરી, ૨૦૦૮ વિશ્વભરમાં પ્રખ્યાત ‘જયપુર પગ’ના જનક ડૉ. પ્રમોદનો જન્મ બનારસ, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેઓએ ઈ.સ. ૧૯૪૯માં સરોજિની નાયડુ મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ. કર્યું હતું. ત્યારબાદ તેઓએ જનરલ સર્જન ૧૯૫૨ અને રૉયલ કૉલેજ ઑફ સર્જનમાંથી ૧૯૫૪માં એફ.આર.સી.એસ.(FRCS)ની ડિગ્રી લીધી હતી. અભ્યાસ પૂર્ણ કરી તેઓ ભારત પાછા આવી જયપુરની સવાઈ માનિંસહ […]

રોજ સોનેરી સવાર ઊગે છે !

સવારે નિદ્રાત્યાગ કરતી વખતે તમારી મન:સ્થિતિ કેવી હોય છે ? કેટલીક વ્યક્તિઓ પથારીમાંથી ઊઠતાં પૂર્વે ઘણો લાંબો સમય આળસ સાથે આળોટ્યા કરે છે. કેટલાક જાગ્યા પછી પથારીમાં પડ્યા પડ્યા તંદ્રાવસ્થામાં અધકચરાં સ્વપ્નોની મોહનિદ્રામાં ડૂબી જતા હોય છે. કોઈકને વળી ઊંઘ પૂરી થયા બાદ પથારીમાં પડ્યા પડ્યા લાંબા સમય સુધી આસપાસના અવાજો સાંભળવાની આદત હોય છે. […]

રમેશ પારેખ

જ. ૨૭ નવેમ્બર, ૧૯૪૦ અ. ૧૭ મે, ૨૦૦૬ ગુજરાતી સાહિત્યના અગ્રણી ગીતકવિ, વાર્તાકાર અને બાળસાહિત્યકાર રમેશ પારેખનો જન્મ અમરેલીમાં મોહનલાલ અને નર્મદાબહેનને ત્યાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન અમરેલીમાં જ લીધેલું. ૧૯૫૮માં મૅટ્રિક થયા. ૧૯૬૦થી જિલ્લા પંચાયત,  અમરેલી સાથે સંલગ્ન. માતા અને જન્મભૂમિ માટેનો પ્રેમ તેમની સર્જકતાનાં પ્રેરક બળો રહ્યાં છે. નાનપણથી જ […]