શ્રી કુમારપાળ દેસાઈ


સાહિત્યકાર, પત્રકાર અને જૈનદર્શનના વિદ્વાન, ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી ભાષાસાહિત્ય ભવનના પૂર્વ અધ્યક્ષ અને વિનયન વિદ્યાશાખાના ડીન. ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૭માં પીએચ.ડી. થયા. ૧૦૦થી વધારે પુસ્તકો તેમની પાસેથી મળે છે. તેઓ સાહિત્ય, શિક્ષણ અને સામાજિક સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખનું પદ શોભાવે છે. જૈન રત્નના ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયા છે. ૨૦૦૪માં ભારત સરકારે પદ્મશ્રીથી તેમનું સન્માન કર્યું છે..