પરિભાષાકોશ ગ્રંથ વિમોચન


વિખ્યાત કૅન્સર નિષ્ણાત અને ભાષાવિદ ડૉ. શિલીન શુક્લ દ્વારા તૈયાર થયેલા પરિભાષાકોશનું બે ભાગમાં પ્રાગટ્ય

તારીખ : 1 ઑક્ટોબર 2024 સમય : સાંજના 5.30

સ્થળ : ગુજરાત વિશ્વકોશ ભવન, શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ, રમેશપાર્કની બાજુમાં, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ

અતિથિ વિશેષ : ડૉ. પંકજ શાહ અને ડૉ. ઉર્વીશ વસાવડા

પરિભાષાકોશ વિશે : તબીબી વિદ્યાશાખા સાથે જોડાયેલા શબ્દોનો આ કોશ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશિત કરી રહ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આ પ્રકારની પ્રવૃત્તિમાં વર્ષોથી કાર્યરત છે અને તેણે આ પ્રકારનાં નોંધપાત્ર પ્રકાશનો કરેલ છે. સ્વ. ડૉ. શિલીન શુક્લ વિશ્વકોશ સાથે ઘણા વખતથી જોડાયેલા હતા અને તેમનું એક સ્વપ્ન હતું તે આ તબીબી વિદ્યાશાખાના શબ્દોનો પરિભાષાકોશ. આ કાર્ય માટે તેમણે અકલ્પનીય મહેનત કરીને આખો પરિભાષાકોશ તૈયાર કર્યો, પણ કમનસીબે છેલ્લું થોડું કામ બાકી હતું ત્યાં તેમણે અણધારી વિદાય લીધી. હવે તેમની એક ઇચ્છાની પૂર્તિ તરીકે આ પ્રકાશન થવા જઈ રહ્યું છે એ આનંદની વાત છે. આ પરિભાષાકોશ એ માત્ર શબ્દોનું ભાષાંતર જ નથી, પણ તે વિશે વિગતે માહિતી પણ આપે છે.આ કોશમાંથી પસાર થનાર દરેકને શિલીનભાઈના સંસ્કૃતના જ્ઞાન અને આ કોશ માટેની તેમની પ્રતિબદ્ધતાની અનુભૂતિ જરૂર થશે. આમાંથી પસાર થનાર એ જોઈ શકશે કે એમણે માત્ર અર્થ અને વિવરણ જ નથી આપ્યાં, પણ એ વિશે ખૂબ જ વિગતથી સમજણ આપી છે. મોટા ભાગે જે શબ્દ હોયતેના પર્યાયવાચી શબ્દોની પણ વિશદ છણાવટ કરી છે. આમ, સાચા અર્થમાં પરિભાષાકોશ એન્સાઇક્લોપીડિયા બની રહે તેમ છે.