હૈદરાબાદ (ભારત)

આંધ્રપ્રદેશ તથા તેલંગણા રાજ્યનું પાટનગર. તે ૧૭° ૨૫´ ઉ. અ. અને ૭૮° ૩૦´ પૂ. રે.ની આજુબાજુનો ૫૬૨ ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની વસ્તી આશરે ૧,૧૨,૦૦,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે. તે ભારતનું મહત્ત્વનું શહેર તથા વેપારનું કેન્દ્ર છે. હૈદરાબાદની આબોહવા પ્રમાણમાં ગરમ અને સૂકી રહે છે. શિયાળા મધ્યમ રહે છે. સરેરાશ વરસાદ લગભગ ૯૦૦ મિમી. […]

આશારામ દલીચંદ શાહ

જ. 8 ફેબ્રુઆરી, 1842 અ. 26 માર્ચ, 1921 મોરબી, માળિયા, લાઠી રાજ્યોના કારભારી અને શિક્ષક આશારામનો જન્મ રાજકોટમાં. પિતા દલીચંદ અને માતા વખતબા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં થયું. 1859માં પ્રાંતમાં યોજાયેલી પ્રથમ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા પાસ કરી 17 વર્ષની ઉંમરે લીંબડીમાં શિક્ષક થયા. 1863માં જામનગર બદલી થઈ. 1865માં શિક્ષણ વિભાગમાંથી રાજીનામું આપી જામનગર […]

તૃણાહારી (Herbivore)

પોષણ માટે વનસ્પતિ પેશીઓ પર પૂર્ણપણે આધાર રાખનાર પ્રાણી. તૃણાહાર માટેનાં અનુકૂલનોમાં વાગોળનારાં (ruminant) પ્રાણીઓમાં ચતુષ્ખંડ જઠર; કૃન્તકો(rodent)માં સતત વૃદ્ધિ પામતા છેદક દાંત; ઢોર, ઘેટાં-બકરાં, અન્ય પશુઓ અને હાથીમાં ચૂર્ણ કરવા માટે વિશિષ્ટીકરણ પામેલી દાઢ; પાણીની ગોકળગાય અને ચૂષક મુખવાળા બિડાલ–મત્સ્ય(sucker mouthed catfish-Plecostomus)માં રેતન જીભ(rasping–tongue)નો સમાવેશ થાય છે. કેટલાંક તૃણાહારીઓ એકાહારી (monophagus) હોય છે, જે […]