કાન્તિલાલ રાઠોડ

જ. ૧૨ ડિસેમ્બર, ૧૯૨૪ અ. ૨૮ સપ્ટેમ્બર, ૧૯૮૮ કાર્ટૂનચિત્રોના પ્રથમ ભારતીય નિર્માતા, સંખ્યાની દૃષ્ટિએ ઓછી પણ ઉત્તમ ફિલ્મો બનાવનાર વ્યક્તિ. તેમનો ઉછેર બંગાળી વાતાવરણમાં થયેલો. તેમણે શાંતિનિકેતનમાં કલાનો અભ્યાસ કર્યો અને પછી અમેરિકા ગયા. આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ શિકાગોમાં તેમણે ઍનિમેશન – કાર્ટૂન ચલચિત્રનો અભ્યાસ કર્યો. ૧૯૫૪થી ૫૬ દરમિયાન અમેરિકાની સાઇરેક્યુસ યુનિવર્સિટીમાં દસ્તાવેજી ચલચિત્ર-નિર્માણ અને સંપાદન […]

‘પીડ પરાઈ જાણે રે’

છત્રપતિ શિવાજીના મુખ્ય સલાહકાર અને સેનાપતિ પેશ્વા બાજીરાવ હતા. એક વીરપુરુષ તરીકે તેઓ જેટલા પ્રસિદ્ધ હતા, એટલી જ ખ્યાતિ એક સજ્જન પુરુષ તરીકે તેમને વરી હતી. પરાક્રમી બાજીરાવ પેશ્વાએ માળવા પર આક્રમણ કરીને વિશાળ પ્રદેશ પર વિજય મેળવ્યો. યુદ્ધવિજય બાદ એમની સેના પાછી ફરતી હતી, ત્યારે રસ્તામાં સેના માટેનું અનાજ ખૂટી પડ્યું. એમણે સેનાના એક […]

માણેકશા સોરાબશા

કોમિસરિયત ————– જ. ૧૧ ડિસેમ્બર, ૧૮૮૧ અ. ૨૫ મે, ૧૯૭૨ ગુજરાતના ઇતિહાસ લેખનક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરનાર માણેકશાનો જન્મ મુંબઈમાં પારસી કુટુંબમાં થયો હતો. ગુજરાતનો ઇતિહાસ આલેખનારા અલ્પસંખ્યક ઇતિહાસવિદોમાંના તેઓ એક હતા. તેમણે કૉલેજનું શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં લીધું. ૧૯૦૩માં બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને ૧૯૦૫માં એમ.એ. થયા. બી.એ.માં પ્રથમ વર્ગ મેળવ્યો હોવાથી […]