ખડકમાંથી કોતરી કાઢેલાં અબુ સિમ્બલનાં મંદિરો. આ વિરાટકાય સ્થાપત્યો દુનિયાભરમાં વિરલ ગણાય છે. ૩૦૦૦ વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં બંધાયેલાં આ પથ્થરની વિરાટ મૂર્તિઓવાળાં મંદિરો આશ્ચર્યચકિત કરી દે છે. અબુ સિમ્બલનાં મંદિરો નાઇલ નદીના પશ્ચિમ કાંઠે આવેલાં છે. અત્યારે નદી ઉપર બાંધેલા બંધને લીધે ૫૫૦ કિમી. લાંબા નાસર સરોવરમાં તે અડધાં ડૂબેલાં છે. પોતાની […]
ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ત્રાવણકોરના રાજા રામ વર્માએ તે સમયે ભારત ખાતેના બ્રિટનના રાજકીય પ્રતિનિધિ રેસિડન્ટ જનરલ સ્ટુઅર્ટ ફ્રેઝરના સૂચનથી ૧૮૩૬માં ત્રિવેન્દ્રમમાં સ્થાપેલી ખગોલીય વેધશાળા. આ વેધશાળા ‘ત્રાવણકોર ઑબ્ઝર્વેટરી’ તરીકે ઓળખાય છે. આ વેધશાળાની ઇમારતનો નકશો તૈયાર કરવાની અને એના બાંધકામની જવાબદારી ચેન્નાઈના એક ઇજનેર કૅપ્ટન હૉર્સલેને સોંપવામાં આવી અને ૧૮૩૭માં એ તૈયાર થઈ ગયા પછી […]