એ. એમ. અહમદી

જ. 25 માર્ચ, 1932 અ. 2 માર્ચ, 2023 ભારતની સર્વોચ્ચ અદાલતના 26મા પૂર્વમુખ્યન્યાયમૂર્તિ એ. એમ. અહમદીનો જન્મ સૂરતમાં થયો હતો. પિતા અવિભક્ત મુંબઈ રાજ્યમાં સિનિયર ડિવિઝનમાં સિવિલ જજ હોવાથી તેમની અવારનવાર બદલીઓ થતી. આથી અહમદીએ મુંબઈ રાજ્યનાં જુદાં જુદાં શહેરોમાંથી શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું. ગુજરાત કૉલેજમાંથી ઇન્ટર આર્ટસની પરીક્ષા પસાર કર્યા બાદ અમદાવાદની સર એલ. […]

ત્ર્યંબક

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું પ્રખ્યાત તીર્થક્ષેત્ર. તે નાસિકની નૈઋત્ય દિશામાં શહેરથી આશરે 29 કિમી. પર બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં આવેલું છે. તેની કુલ વસ્તી 18,000 (2026, આશરે) છે. પાંચસો વર્ષ પૂર્વે આ સ્થળે કોઈ વસવાટ હતો નહિ. ધીમે ધીમે ત્યાં એક ગામડું ઊભું થયું, જેનું નામ ત્ર્યંબક પાડવામાં આવ્યું. આ નામ પરથી જ આ તીર્થક્ષેત્ર ત્ર્યંબકેશ્વર […]

પી. વી. નરસિંહ ભારતી

જ. 24 માર્ચ, 1924 અ. 11 મે, 1978 તમિળ સિનેમાના જાણીતા અભિનેતા અને ગાયક પી. વી. નરસિંહ ભારતીનો જન્મ મદુરાઈના સૌરાષ્ટ્ર વણકર સમાજમાં થયેલો. તેમના પૂર્વજોએ સદીઓ પહેલાં ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી સ્થાળાંતર કરેલું. વણાટકામ સાથે સંકળાયેલા કુટુંબમાં નરસિંહ ભારતીનો ઉછેર થયો. 11 વર્ષની ઉંમરે તેઓ ‘boys’ company માટે મંચ પર સ્ત્રીપાત્રો ભજવી જાણતા. તે સમયે […]