જેના પરથી પ્રકાશના કિરણનું પરાવર્તન થઈ શકે એવી ચકચકિત કાચની સપાટી ધરાવતું ફલક. અરીસામાં કાચની લીસી સમતલ સપાટી પાછળ સામાન્ય રીતે ધાતુનું પાતળું આવરણ ચડાવવામાં આવે છે. સમતલ અરીસાની સામે કોઈ વસ્તુ મૂકવાથી તેનું પ્રતિબિંબ અરીસાની અંદર દેખાય છે. વસ્તુ અરીસાથી જેટલી દૂર હોય તેટલું દૂર તેનું પ્રતિબિંબ અરીસાની અંદર હોવાનો ભાસ થાય છે. પ્રતિબિંબનું […]
જ. 18 એપ્રિલ, 1858 અ. 9 નવેમ્બર, 1962 સમાજસુધારક અને કેળવણીકાર ભારતરત્ન ધોંડો કેશવ કર્વેનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના શેરવલી-મુરુડ ખાતે થયો હતો. તેમણે શાળેય શિક્ષણ મુરુડ અને રત્નાગિરિમાં પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગણિત સાથે સ્નાતક થયા અને પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં ગણિતના અધ્યાપક બન્યા હતા. તેઓ વિધવા પુનર્લગ્ન અને વિધવા શિક્ષણના પ્રણેતા હતા. […]
બંગાળના ઉપસાગર, મ્યાનમાર અને પાકિસ્તાનમાં આવેલા જ્વાળામુખીઓ. ભારતીય ઉપખંડના મુખ્ય ભૂમિભાગમાં કોઈ ક્રિયાશીલ જ્વાળામુખી આવેલા નથી. મલાયા શાખાના ક્રિયાશીલ જ્વાળામુખી – સુંદા હારમાળા – ને જો ઉત્તર તરફ લંબાવવામાં આવે તો આ વિસ્તારના થોડા સુપ્ત અથવા મૃત જ્વાળામુખી સાથે જોડાઈ જાય. આંદામાન ટાપુઓની પૂર્વમાં 12° 15´ ઉ. અક્ષાંશ, 93° 54´ પૂ. રેખાંશ પર, બંગાળના ઉપસાગરમાં […]