શહીદ બંધુ સિંહ

જ. 1 મે, 1833 અ. 12 ઑગસ્ટ, 1858 ઉત્તરપ્રદેશના સ્વાતંત્ર્યસેનાની શહીદ બંધુ સિંહનો જન્મ ડુમરીમાં થયો હતો. તેઓ તારકુલાહા દેવીના અનન્ય ભક્ત હતા. માતૃભૂમિ પર શાસન કરનાર જુલમી અંગ્રેજોને હાંકી કાઢવાનું તેમણે બીડું ઝડપ્યું હતું. તેમણે પોતાનું રજવાડું છોડી દીધું અને જંગલમાં રહેવા લાગ્યા. તેમણે ગેરીલા પદ્ધતિથી અંગ્રેજોના નાકે દમ લાવી દીધો. જંગલમાંથી પસાર થતા […]

અસમ (આસામ)

ઈશાન ભારતમાં આવેલું મહત્ત્વનું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે ૨૨°.૧૯´થી ૨૮°.૧૬´ ઉ. અ. અને ૮૯°.૪૨´થી ૯૬°.૩૦´ પૂ. રે. વચ્ચેનો ૭૮,૪૩૮ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ૨૦૨૫ મુજબ આ રાજ્યની વસ્તી ૩.૫૬ કરોડ (આશરે) જેટલી છે. અસમ એટલે જેની સમાન કોઈ નથી એવો અસામાન્ય પ્રદેશ. પૂર્વ હિમાલય તથા બાંગ્લાદેશ વચ્ચેની એક સાંકડી ભૂમિપટ્ટી અસમને ભારત […]

દાદાસાહેબ ફાળકે

જ. 30 એપ્રિલ, 1870 અ. 16 ફેબ્રુઆરી, 1944 ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબનું મૂળ નામ ધૂંડીરાજ ફાળકે હતું. માતા દ્વારકાબાઈ અને પિતા ગોવિંદ સદાશિવ ફાળકે. પિતા સંસ્કૃતના પંડિત, ધાર્મિક ક્રિયાકાંડ કરાવતા એટલે દાદાસાહેબને પણ યજ્ઞ સહિત અન્ય ધાર્મિક ક્રિયાઓ શીખવી હતી. પિતાને મુંબઈની વિલ્સન કૉલેજમાં નોકરી મળતાં તેઓ કુટુંબ સાથે મુંબઈમાં સ્થાયી થયા. 1885માં દાદાસાહેબ જે. […]