(રાજા) રવિ વર્મા

જ. 29 એપ્રિલ, 1848 અ. 2 ઑક્ટોબર, 1906 યુરોપીય પદ્ધતિથી તૈલરંગોમાં ભારતીય ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક વિષયોનાં વિશાળ ચિત્રો આલેખનાર અર્વાચીન ચિત્રકાર રવિ વર્માનો જન્મ ત્રાવણકોરના રાજકુટુંબમાં થયો હતો. રવિ વર્માના કાકા રાજ વર્મા અગ્રણી કલાકાર હતા. તેમનાં ચિત્રો અને સહવાસે રવિ વર્મા પર ઘણી અસર કરેલી. તેઓને બાળપણમાં કુળપરંપરા પ્રમાણે સંસ્કૃતનું શિક્ષણ મળ્યું હતું. […]

બીમારીનો સ્થાયી ઇલાજ

જર્મનીના પ્રજાપ્રેમી સમ્રાટ જ્યોર્જ જોસેફ વેશપલટો કરીને પોતાના રાજ્યમાં ઘૂમતા હતા. એક દિવસ એક નાનકડી ગલીમાંથી પસાર થતા હતા, ત્યારે એક ચીંથરેહાલ યુવકે એમને રસ્તામાં થોભાવીને કહ્યું, ‘‘અરે ભાઈ, મારી માતા લાંબા સમયથી બીમાર છે. એની સારવારમાં મારું સઘળું ધન ખર્ચાઈ ગયું છે. જો હવે તમે મને થોડી રકમ આપો, તો અંતિમ વખત એનો ઇલાજ […]

કૃષ્ણાસ્વામી સુંદરજી

જ. 28 એપ્રિલ, 1930 અ. 8 ફેબ્રુઆરી, 1999 ભારતીય સેનાના પૂર્વસેનાધ્યક્ષ કૃષ્ણાસ્વામી સુંદરજીનો જન્મ તમિળનાડુના ચેંગલપેટમાં તમિળ હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું સાચું નામ કૃષ્ણાસ્વામી સુંદરરાજન હતું, પરંતુ તેઓ ‘સુંદરજી’ના હુલામણા નામે જાણીતા હતા. મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાંથી ડિગ્રી મેળવ્યા પહેલાં જ તેમણે સેનામાં પ્રવેશ લઈ લીધો હતો. ત્યારપછી તેમણે તમિળનાડુના વેલિંગટનમાં રક્ષા સેવા સ્ટાફ […]