મલ્હારરાવ હોલકર

જ. 16 માર્ચ, 1693 અ. 20 મે, 1766 ઇન્દોરના પ્રથમ મહારાજા મલ્હારરાવ હોલકરનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના મુરુમ ગામમાં ખાંડુજી હોલકરને ત્યાં થયો હતો. તેમનું મૂળ વતન ખેડ તાલુકાનું વફગાંવ હતું, પરંતુ હોલ ગામમાં આવી સ્થાયી થયા આથી હોલકર કહેવાયા. 1696માં પિતાનું અવસાન થયું ત્યારે તેઓ ત્રણ વર્ષના હતા. માતા એમને લઈને ખાનદેશના તાલોદ ગામમાં […]

ત્રિપોલી (લિબિયા)

: લિબિયાનું પાટનગર અને દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 24´ ઉ. અ. અને 13° 11´ પૂ. રે.. તે દેશના ઉત્તર-પશ્ચિમ કિનારે ટ્યૂનિશિયાની સરહદથી 200 કિમી. દૂર ભૂમધ્ય સાગર પર આવેલ છે. વસ્તી 12,10,000 (2026, આશરે). લિબિયાનું મહત્ત્વનું બંદર હોવા ઉપરાંત ખેતપેદાશોના વ્યાપાર માટે તે મુખ્ય બજાર-કેન્દ્ર પણ છે. તેની ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ખનિજતેલ-શુદ્ધીકરણ, […]

મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન

જ. 15 માર્ચ, 1977 અ. 28 નવેમ્બર, 2008 2008ના મુંબઈના આતંકી હુમલા દરમિયાન ફક્ત 31 વર્ષે શહીદ થનારા ભારતીય સેનાના અધિકારી મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન બૅંગાલુરુમાં રહેતા મલયાલી નાયર પરિવારમાંથી હતા, જ્યાં તેઓ કેરળના કોઝિકોડથી સ્થળાંતરિત થયા હતા. તેઓ નિવૃત્ત ઇસરો અધિકારી કે. ઉન્નીકૃષ્ણન અને ધનલક્ષ્મી ઉન્નીકૃષ્ણના એકમાત્ર પુત્ર હતા. મેજરે બૅંગાલુરુની ફ્રેન્ક એન્થોની પબ્લિક સ્કૂલમાં […]