અગિયારી

પારસી લોકોનું પવિત્ર ધર્મસ્થાન. અગિયારીમાંના તેમના પવિત્ર અગ્નિ(આતશ)ના પ્રકારો મુજબ ત્રણ દરજ્જા છે : ‘આતશે દાદગાહ’, ‘આતશે આદરાન’ અને ‘આતશે બહેરામ’. આતશની સેવા માટે નિયુક્ત થયેલા દસ્તૂર (ધર્મગુરુ) સિવાય કોઈ ગર્ભગૃહમાં જઈ શકતું નથી. અગિયારીની અંદર દર્શન કરવા માટે અન્ય ધર્મીઓને છૂટ હોતી નથી. સોની, લુહાર અને કુંભારની ભઠ્ઠીઓનો અગ્નિ એકત્ર કરીને તેના ઉપર જરથુષ્ટ્ર […]

લીલા મજુમદાર

જ. 26 ફેબ્રુઆરી, 1908 અ. 5 એપ્રિલ, 2007 બાળવાર્તાઓનાં પ્રખ્યાત બંગાળી લેખિકા લીલા મજુમદારનો જન્મ કૉલકાતામાં થયો હતો. તેમનું મૂળ વતન નાદિયામાં ચકધા. તેઓ પ્રમાદ રંજનરાયનાં પુત્રી, ઉપેન્દ્રકિશોરરાય ચૌધરીનાં ભાભી અને સુધીરકુમાર મજુમદારનાં પત્ની હતાં. તેમણે સેંટ જોન ડાયોસેસન (Diocesan) સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. અહીંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી […]

તેહરાન

ઈરાનનું પાટનગર અને દેશના મધ્ય પ્રાંતનું વહીવટી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 35° 40´ ઉ. અ. અને 51° 26´ પૂ. રે.. અલ્બુર્ઝ પર્વતમાળાના દક્ષિણ ઢોળાવ પર તે આવેલું છે, જે તેને કાસ્પિયન સમુદ્રથી જુદું પાડે છે. તે સમુદ્રસપાટીથી આશરે 1200 મી. ઊંચાઈ પર જારુદ અને કરાજ નદીની વચ્ચે આવેલું છે. તેની દક્ષિણે ઈરાનનું મધ્યવર્તી મેદાન વિસ્તરેલું […]