જ. 15 જુલાઈ 1903 અ. 2 ઑક્ટોબર 1975 ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ અને મદ્રાસ (ચેન્નાઈ) રાજ્યના ત્રીજા મુખ્યપ્રધાન કામરાજ કુમારસ્વામીનો જન્મ તમિલનાડુના વિરુધુનગરમાં થયો હતો. છ વર્ષની વયે પિતાને ગુમાવ્યા હતા. તેઓ 1920માં કૉંગ્રેસમાં જોડાયા. તેમણે નાગપુર ધ્વજ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તેમણે ચેન્નાઈમાં તલવાર સત્યાગ્રહ શરૂ કર્યો. મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેઓ બે […]
મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલું પ્રવાસધામ. તે ભારતનાં શિલ્પસ્થાપત્ય માટે વિશ્વવિખ્યાત છે. ભૌગોલિક સ્થાન : તે ઔરંગાબાદ(૧૯° ૫૦´ ઉ. અ. અને ૭૫° ૧૫´ પૂ. રે.)થી ઈશાનમાં ૨૯ કિમી.ને અંતરે આવેલું છે. આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. અહીં આવેલા પશ્ચિમ ઘાટના પહાડોમાં ગુફાઓ છે. ગુફાઓની અંદર તેમ જ બહાર પથ્થરોને કોતરીને શિલ્પો કંડારવામાં આવેલાં છે. […]
જ. 14 જુલાઈ 1937 અ. 4 જાન્યુઆરી 2015 ગુજરાતી રંગભૂમિ અને ચલચિત્રોના જાણીતા અભિનેતા, નિર્દેશક અને નિર્માતા ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ ઇન્દોરમાં. મૂળ વતન સાબરકાંઠા જિલ્લાનું કૂકડિયા ગામ. પિતા જેઠાલાલ ત્રિવેદી ઉજજૈન ખાતે નોકરી કરતા હતા. એટલે પ્રાથમિક શિક્ષણ ઉજજૈનમાં થયું. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. પિતાના અવસાન પછી મોટા ભાઈ ભાલચંદ્ર પાસે મુંબઈ ગયા. મુંબઈમાં […]