જ. 6 જૂન 1917 અ. 5 ઑક્ટોબર 1978 ગુજરાતના નીડર પત્રકાર અને તંત્રી રમણલાલ શેઠનો જન્મ પંચમહાલ જિલ્લાના વેજલપુરમાં થયો હતો. તેમણેબી.એસસી.નો અભ્યાસ પૂરો કરીને વિવિધ વ્યવસાયો કર્યા હતા. પછી એમણે પત્રકારત્વના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. એમણે વડોદરામાં ‘સયાજીવિજય’ ખરીદ્યું. 1951માં વડોદરાથી ‘લોકસત્તા’ દૈનિક શરૂ કરી એની સાથે ‘સયાજીવિજય’ને ભેળવી દીધું. તેમણે થોડો વખત ‘ગુજરાત સમાચાર’માં […]
રોગના ઉપચાર માટેનું ભારતનું અતિપ્રાચીન શાસ્ત્ર. જેમ ચાર વેદો છે તેમ ચાર ઉપવેદો છે. તેમાં આયુર્વેદનો પણ સમાવેશ થાય છે. વેદની જેમ આયુર્વેદની ઉત્પત્તિને દિવ્ય માનવામાં આવે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ – એ ચારેયમાં આયુર્વેદનું વર્ણન મળી આવે છે. વેદોની રચના થઈ ત્યારથી આયુર્વેદ મળે છે. એમાં આવતા સંદર્ભો પરથી તે સમયે તૂટેલા […]
જ. 5 જૂન, 1865 અ. 18 એપ્રિલ, 1948 શ્રી અરવિંદો ઘોષ સાથે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં અગ્રેસર સતીશચંદ્ર મુખર્જીનો જન્મ બાંદીપુર, પશ્ચિમ બંગાળમાં થયો હતો. કૉલકાતાના ભવાનીપુરમાં દક્ષિણ ઉપનગરીય શાળાના વિદ્યાર્થી તરીકે, સતીશચંદ્રને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસેથી પ્રેરણા મળી હતી. 1886માં તેઓ પ્રેસિડેન્સી કૉલેજમાં જોડાયા અને 1890માં તેમણે એમ.એ. અને બી.એલ.ની ડિગ્રી મેળવી અને […]