કૃષ્ણાસ્વામી સુંદરજી

જ. 28 એપ્રિલ, 1930 અ. 8 ફેબ્રુઆરી, 1999 ભારતીય સેનાના પૂર્વસેનાધ્યક્ષ કૃષ્ણાસ્વામી સુંદરજીનો જન્મ તમિળનાડુના ચેંગલપેટમાં તમિળ હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું સાચું નામ કૃષ્ણાસ્વામી સુંદરરાજન હતું, પરંતુ તેઓ ‘સુંદરજી’ના હુલામણા નામે જાણીતા હતા. મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાંથી ડિગ્રી મેળવ્યા પહેલાં જ તેમણે સેનામાં પ્રવેશ લઈ લીધો હતો. ત્યારપછી તેમણે તમિળનાડુના વેલિંગટનમાં રક્ષા સેવા સ્ટાફ […]

અવકાશયાત્રી (અંતરીક્ષયાત્રી)

(Astronaut / Cosmonaut) અંતરીક્ષ-ઉડ્ડયન માટેની તાલીમ લીધેલ, અંતરીક્ષયાનનું સંચાલન કરનાર તેમ જ તેમાં પ્રવાસ કરનાર યાત્રી. રશિયામાં અવકાશયાત્રી અથવા અંતરીક્ષયાત્રીને ‘કૉસ્મોનૉટ’ (Cosmonaut) અને અમેરિકા તથા અન્ય દેશોમાં ‘ઍસ્ટ્રોનૉટ’ (Astronaut) કહે છે. અંતરીક્ષમાં ઉડ્ડયન દરમિયાન માનવીને ઘણી વિષમ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. અંતરીક્ષ-ઉડ્ડયનના ત્રણ તબક્કાઓ હોય છે : આવી વિષમ પરિસ્થિતિનો સામનો કરવા અંતરીક્ષયાત્રીમાં […]

મામા વરેરકર

જ. 27 એપ્રિલ, 1883 અ. 23 સપ્ટેમ્બર, 1964 મરાઠી સાહિત્યના અગ્રિમ સાહિત્યકાર અને નાટ્યકાર મામા વરેરકરનો જન્મ મહારાષ્ટ્રના ચિપલૂણમાં થયો હતો. તેમનું મૂળ નામ ભાર્ગવરામ વિઠ્ઠલ વરેરકર હતું. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માલવણમાં થયું હતું. તેઓ વૈદકનો અભ્યાસ કરવા રત્નાગિરિ ગયા હતા. ત્યાં કન્હોબા કીર્તિકર અને રાજારામ શાસ્ત્રી ભાગવતના સંપર્કથી અંગ્રેજી સાહિત્યની રચનાઓ, ભારતના […]