દેવાસ (શહેર)

દેવાસ જિલ્લાનું જિલ્લામથક અને શહેર છે. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : જે 22° 96´ ઉ. અ. અને 76° 06´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 50 ચો.કિમી. અને વસ્તી આશરે (2026 મુજબ) 4,30,000 છે. તે સમુદ્રની સપાટીથી 535 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ શહેર માલવાના ઉચ્ચપ્રદેશના સમતળ પ્રદેશમાં આવેલું છે. દક્ષિણે વિંધ્યાચળની હારમાળા ક્રમશઃ […]

બાલાઈચાંદ મુખોપાધ્યાય ‘બનફૂલ’

જ. 19 જુલાઈ, 1899 અ. 9 ફેબ્રુઆરી, 1979 બંગાળના સુપ્રસિદ્ધ લેખક, ડૉક્ટર અને ‘બનફૂલ’ના ઉપનામથી જાણીતા બાલાઈચંદનો જન્મ બિહારના કટિહાર જિલ્લાના મનિહારી ગામમાં થયો હતો. માતા મૃણાલિની દેવી અને પિતા સત્યચરણ. પ્રારંભિક શિક્ષણ મનિહારીમાં લીધું. 1918માં સાહેબગંજની રેલવે હાઈસ્કૂલમાંથી મૅટ્રિક પાસ થયા. શાળામાં તેમણે ‘વિકાસ’ નામની હસ્તલિખિત પત્રિકા શરૂ કરી હતી. હજારીબાગની કૉલેજમાંથી આઈ.એસ.સી. પાસ […]

સામે ચાલીને વિનાશ નોતરશો

નોબેલ પારિતોષિક વિજેતા જર્મન ભૌતિકશાસ્ત્રી, ગણિતજ્ઞ તથા સાપેક્ષતાના સિદ્ધાંતના સ્થાપક આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતાના વતન જર્મનીમાં વસતા હતા. એ સમયે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મનીમાં નાઝી સત્તાનો ઉદય થયો અને હિટલરના નાઝીઓએ યહૂદી લોકો પર ભારે જુલમ આચર્યો. જર્મનીના નાઝી શાસને યહૂદી પ્રજા સામે એવો દુષ્પ્રચાર કર્યો કે અન્ય દેશોમાં પણ યહૂદીઓ અળખામણા બન્યા. એમના પર જાતજાતના […]