જ. 4 જાન્યુઆરી, 1925 અ. 19 જુલાઈ, 2018 હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ ગોપાલદાસનો જન્મ ઉત્તરપ્રદેશના પુરાવલી ગામમાં થયો હતો. તેમણે છ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમણે 1942માં હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી. ઇટાવાની કચેરીમાં ટાઇપિસ્ટ તરીકે કામ કર્યું પછી ટૉકીઝમાં નોકરી કરી. દિલ્હીમાં પણ ટાઇપિસ્ટની નોકરી કરી. નોકરી છૂટતાં કાનપુરની ડી.એ.વી. કૉલેજમાં ક્લાર્ક તરીકે […]
મહાભારતના સમયમાં કુરુવંશીઓના રાજ્યની રાજધાની. તે હાલના ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં ગંગા નદીના કાંઠે આવેલું હતું. દિલ્હીના ઈશાન ખૂણે આશરે ૯૧ કિમી.ના અંતરે આ પ્રાચીન નગરના અવશેષો મળ્યા છે. જોકે તેમનું ગંગા નદીના પ્રવાહથી ધોવાણ થયેલું જણાય છે. પુરાણકાળમાં અત્રિપુત્ર સોમ અહીંના વનમાં ફરતો હતો, ત્યારે તેણે કોઈ પક્ષીને ચાંચમાં હાથીને પકડીને ઊડી જતું જોયું, તેથી […]
જ. 3 જાન્યુઆરી, 1926 અ. 28 એપ્રિલ, 1991 તમિલ અને તેલુગુ ફિલ્મજગતનાં અભિનેત્રી પુષ્પાવલ્લીનો જન્મ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પેન્ટાપડુ ગામમાં થયો હતો. મૂળ નામ કંડાલા વેંકટ પુષ્પાવલ્લી તાયારમ્મા હતું, પરંતુ પુષ્પાવલ્લીના નામથી જ ફિલ્મજગતમાં જાણીતાં થયાં. ‘સંપૂર્ણ રામાયણ’ ચલચિત્રમાં બાળકલાકાર તરીકે બાળસીતાનું પાત્ર ભજવી, ફિલ્મી દુનિયામાં શ્રીગણેશ કર્યા. ત્યારપછી બાળકલાકાર તરીકે અન્ય ચિત્રોમાં પાત્ર […]