ભારતમાં નવી રાષ્ટ્રીય કેળવણીના આદર્શોને મૂર્તિમંત કરતી ભાવનગરની શિક્ષણસંસ્થા. મહાત્મા ગાંધીની પ્રેરણા હેઠળ નઈ તાલીમની સંકલ્પના પણ હજુ સાકાર થઈ ન હતી, તે સમયે (1910) નાનાભાઈ ભટ્ટે શિક્ષણની નવી દૃષ્ટિ અને સૂઝથી પ્રેરાઈને આ સંસ્થા શરૂ કરી. આ સંસ્થાના આદ્યપ્રેરક મહાત્મા શ્રીમન્ નથુરામ શર્માના ઉપાસ્યદેવ દક્ષિણામૂર્તિ હોવાથી તેમના શિષ્યો હરગોવિંદદાસ પંડ્યા, ઓધવજીભાઈ અને નૃસિંહપ્રસાદ (નાનાભાઈ) […]
જ. 29 એપ્રિલ, 1848 અ. 2 ઑક્ટોબર, 1906 યુરોપીય પદ્ધતિથી તૈલરંગોમાં ભારતીય ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક વિષયોનાં વિશાળ ચિત્રો આલેખનાર અર્વાચીન ચિત્રકાર રવિ વર્માનો જન્મ ત્રાવણકોરના રાજકુટુંબમાં થયો હતો. રવિ વર્માના કાકા રાજ વર્મા અગ્રણી કલાકાર હતા. તેમનાં ચિત્રો અને સહવાસે રવિ વર્મા પર ઘણી અસર કરેલી. તેઓને બાળપણમાં કુળપરંપરા પ્રમાણે સંસ્કૃતનું શિક્ષણ મળ્યું હતું. […]