દાલ સરોવર

જમ્મુ અને કાશ્મીર રાજ્યના પાટનગર શ્રીનગરના ઈશાન છેડે આવેલું સરોવર. કાશ્મીરી ભાષામાં ‘દાલ’ શબ્દનો અર્થ ‘સરોવર’ અને તિબેટી ભાષામાં ‘શાંત’ એવો થાય છે. અગાઉ જેલમ નદીમાં આવતા પૂરથી શ્રીનગર શહેરને નુકસાન થયા કરતું હતું તે સંકટમાંથી બચવા 1904માં નદીમાંથી સરોવરને જોડતી નહેર બનાવવામાં આવેલી. જ્યારે પણ પૂર આવે ત્યારે સરોવર છલોછલ ભરાઈ જાય છે. શ્રીનગરના […]

ભગત પૂરન સિંહ

જ. 4 જૂન, 1904 અ. 5 ઑગસ્ટ, 1992 લેખક, પર્યાવરણવિદ અને સમાજસેવી ભગત પૂરન સિંહનો જન્મ લુધિયાણા જિલ્લાના રાજેવાલ(રોહનો)માં થયો હતો. પિતા છિબ્બૂમલ્લ અને માતા મેહતાબ કૌર. બાળપણનું નામ રામજીદાસ હતું, પરંતુ તેમણે શીખ ધર્મ અપનાવ્યા પછી તેમનું નામ પૂરન સિંહ રાખવામાં આવ્યું. પિતાના અવસાન પછી તેમને ભણાવવા માટે માતાએ ઘરકામ કર્યાં. તેમણે દસમા ધોરણથી […]

યુવાનને સલાહ

નાટ્યલેખક, વિવેચક અને વીસમી સદીના અગ્રણી વિચારક જ્યોર્જ બર્નાર્ડ શૉ (ઈ. સ. 1856થી ઈ. સ. 1950) એમના હાજરજવાબીપણા માટે જાણીતા હતા. ક્યારેક માર્મિક વ્યંગથી એ લોકોને ચમત્કૃત કરી દેતા હતા તો ક્યારેક વિનોદી વાતાવરણ સર્જી દેતા. આને પરિણામે એ સર્વત્ર લોકપ્રિય હતા. એમણે કરેલી ઘણી રમૂજો સમાજમાં પ્રચલિત હતી. આથી તેઓ જ્યાં જાય, ત્યાં લોકો […]