કરુણાશંકર કુબેરજી ભટ્ટ

જ. ૨૨ ઑગસ્ટ, ૧૮૭૩ અ. ૨ ઑક્ટોબર, ૧૯૪૩ શિક્ષણ દ્વારા સંસ્કારિંસચન કરનાર આજીવન ઉત્તમ કોટિના શિક્ષક કરુણાશંકર ભટ્ટનો જન્મ સારસા(જિ.આણંદ)માં થયો હતો. તેમણે બાવીસ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. માતા દિવાળીબા અને મામા કેશવરામનો તેમના ઘડતરમાં મહત્ત્વનો ફાળો રહ્યો. પ્રાથમિક શિક્ષણ મેળવી તેઓ વડોદરાની પુરુષ અધ્યાપન પાઠશાળામાં જોડાયા. આચાર્ય મણિશંકર ભટ્ટ ‘કાન્ત’ને લીધે તેમણે અંગ્રેજી […]

સૂરજમુખી (સૂર્યમુખી)

દ્વિદળી વર્ગમાં આવેલો દિવસભર સૂર્યની સન્મુખ રહેતો પીળાં પુષ્પો ધરાવતો ઊંચો છોડ. સૂરજમુખી(સૂર્યમુખી)ની ૬૦થી વધારે જાતો થાય છે. કેટલીક એકવર્ષીય તો કેટલીક બહુવર્ષીય જાતો હોય છે. સૂર્યમુખીનો ઉદભવ ઉત્તર અમેરિકામાં થયો હતો. ત્યારબાદ તેના છોડને યુરોપમાં અને અન્ય દેશોમાં પણ લઈ જવામાં આવ્યો. રશિયામાં સૂર્યમુખીની ખેતી સૌથી મોટા પ્રમાણમાં થાય છે. સૂર્યમુખીનો છોડ ૧થી ૩ […]

ઇસ્મત ચુગતાઇ

જ. ૨૧ ઑગસ્ટ, ૧૯૧૫ અ. ૨૪ ઑક્ટોબર, ૧૯૯૧ ભારતીય ઉર્દૂ નવલકથાકાર, ટૂંકી વાર્તા-લેખિકા અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતાં લેખિકા. ઇસ્મત ચુગતાઇનો જન્મ ઉત્તરપ્રદેશના બદાયૂંમાં થયો હતો. નાનપણથી જ બંડખોર સ્વભાવ ધરાવતાં ઇસ્મતે ઘર અને સમાજનો ઉગ્ર વિરોધ છતાં શાળા અને કૉલેજનું પણ શિક્ષણ લીધું. ૧૯૩૮માં લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી અને ૧૯૩૯માં અલીગઢ યુનિવર્સિટીમાંથી બી.ઍડ્.ની ડિગ્રી […]