પ્રહલાદ પારેખ

જ. ૨૨ ઑક્ટોબર, ૧૯૧૨ અ. ૨ જાન્યુઆરી, ૧૯૬૨ અર્વાચીન યુગના સૌન્દર્યનિષ્ઠ કવિતાના સર્જક પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં જેઠાલાલ અને મંગળાબહેનને ત્યાં થયો હતો. પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં લીધું. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદીનો તેમના ઘડતરમાં નોંધપાત્ર ફાળો હતો. ઈ. સ. ૧૯૩૦ની સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાવા અભ્યાસ છોડ્યો, જેલવાસ ભોગવ્યો, પાછો અભ્યાસ કર્યો. દક્ષિણામૂર્તિની ‘વિનીત’ની પરીક્ષામાં […]

જયપુર

રાજસ્થાનનો જિલ્લો તથા રાજસ્થાનનું પ્રાચીન ઐતિહાસિક શહેર અને પાટનગર. તે દિલ્હીથી નૈર્ઋત્યમાં આશરે ૨૫૯ કિમી. અંતરે આવેલું છે. જિલ્લાનો વિસ્તાર : ૧૧,૫૮૮ ચોકિમી., જિલ્લાની વસ્તી : ૬૬,૬૩,૯૭૧ (૨૦૧૧). તેની સ્થાપના (૧૭૨૮માં) મહારાજા સવાઈ જયસિંહે કરી હોવાથી આ શહેરનું નામ ‘જયપુર’ રાખવામાં આવ્યું હતું. ૧૮૮૩માં રાણી વિક્ટોરિયાના પ્રિન્સ આલ્બર્ટે આ શહેરની મુલાકાત લીધી હતી. શહેરનાં તમામ […]

નટવરલાલ પ્રભુલાલ બૂચ

જ. ૨૧ ઑક્ટોબર, ૧૯૦૬ અ. ૯ જાન્યુઆરી, ૨૦૦૦ ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ બૂચનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલમાં લીધું હતું. સંસ્કૃત અને  અંગ્રેજી ભાષાસાહિત્ય સાથે ૧૯૨૭માં બી.એ. તથા તે પછી  એમ.એ. થયા. ૧૯૩૦થી ૧૯૮૧ દરમિયાનનાં વર્ષોમાં તેઓએ વત્સલ અને વિદ્વાન શિક્ષક-અધ્યાપક તરીકે દક્ષિણામૂર્તિ વિનયમંદિર અને ઘરશાળા હાઈસ્કૂલ, ભાવનગરમાં તથા […]