રાજસ્થાનનો જિલ્લો તથા રાજસ્થાનનું પ્રાચીન ઐતિહાસિક શહેર અને પાટનગર. તે દિલ્હીથી નૈર્ઋત્યમાં આશરે ૨૫૯ કિમી. અંતરે આવેલું છે. જિલ્લાનો વિસ્તાર : ૧૧,૫૮૮ ચોકિમી., જિલ્લાની વસ્તી : ૬૬,૬૩,૯૭૧ (૨૦૧૧). તેની સ્થાપના (૧૭૨૮માં) મહારાજા સવાઈ જયસિંહે કરી હોવાથી આ શહેરનું નામ ‘જયપુર’ રાખવામાં આવ્યું હતું. ૧૮૮૩માં રાણી વિક્ટોરિયાના પ્રિન્સ આલ્બર્ટે આ શહેરની મુલાકાત લીધી હતી. શહેરનાં તમામ […]
જ. ૨૧ ઑક્ટોબર, ૧૯૦૬ અ. ૯ જાન્યુઆરી, ૨૦૦૦ ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ બૂચનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલમાં લીધું હતું. સંસ્કૃત અને અંગ્રેજી ભાષાસાહિત્ય સાથે ૧૯૨૭માં બી.એ. તથા તે પછી એમ.એ. થયા. ૧૯૩૦થી ૧૯૮૧ દરમિયાનનાં વર્ષોમાં તેઓએ વત્સલ અને વિદ્વાન શિક્ષક-અધ્યાપક તરીકે દક્ષિણામૂર્તિ વિનયમંદિર અને ઘરશાળા હાઈસ્કૂલ, ભાવનગરમાં તથા […]