Categories
વાચન સમૃદ્ધિ

ટેસ્ટ પોસ્ટ

ફક્જ્લ્ફ્ક્લજ્ફ જ્ફદ્સ્લ ફ્જ્લ્ક્ફ્જસ્દ્લ ફલ્જ્ફદ્સ્લ્ક ફ્જદ્સ્લ્ક્ફ્સફદ્સ્ન્ફદ્સ

ફ્નદ્સ્લ્જ્ફસ્લ્ક્ફ્જ અસ્જ્ફ

મ્વ્લ્દ્સ્ફ્ક્જ્સેઓફ્ર્જ્દ્સ્લ સ્દ્ફ્દ્સ

Categories
વાચન સમૃદ્ધિ

ઈર્ષા પરાજિત થઈ

સમગ્ર યુરોપમાં પ્રસિદ્ધ એવા માઇકલૅન્જેલોની ખ્યાતિ સાંભળીને એક ચિત્રકાર સતત બેચેન રહેતો હતો. ઍન્જેલોની લોકપ્રિયતા જેમ જેમ વધતી જતી, તેમ તેમ આ ચિત્રકારનો એના પ્રત્યેનો દ્વેષ વૃદ્ધિ પામતો. એ વિચારતો કે લોકો સમજ્યા વિના માઇકલૅન્જેલોની ચિત્રકલાનાં વખાણ કરે છે. જો એ સાચા કલાપારખુ હોય, તો એમને માઇકલૅન્જેલોનાં ચિત્રોમાં ઘણી ગંભીર ક્ષતિઓ જોવા મળે.

એક દિવસ આ ચિત્રકારે વિચાર્યું કે એક એવું ચિત્ર બનાવું કે જેથી લોકો માઇકલૅન્જેલોને ભૂલી જાય અને સમગ્ર યુરોપમાં કલાકાર તરીકે મારી નામના થાય. એણે સુંદર યુવતીનું ચિત્ર બનાવવાનું શરુ કર્યું અને માઇકલૅન્જેલોને માત કરવાની ધૂન સાથે કામ કરવા લાગ્યો. ચિત્ર પૂર્ણ થયું. ચિત્રકારે એ જોયું, પણ એને એમ લાગ્યું કે આમાં કંઈક ખામી છે ! યુવતીના સૌંદર્યના અનુભવમાં કશુંક ખૂટે કે ખટકે છે. ઘણો વિચાર કર્યો, પરંતુ પોતાના ચિત્રની ક્ષતિ એ જાતે ખોળી શક્યો નહીં.

એવામાં એક કલાપ્રેમી આ બાજુથી પસાર થતો હતો. એ આ ચિત્રકાર પાસે આવ્યો. આ ચિત્રકારે માઇકલૅન્જેલોને અગાઉ ક્યારેય જોયો નહોતો, તેથી એણે વિચાર્યું કે આ કલાપ્રેમીની સલાહ લઉં, કદાચ  પોતાની ભૂલની ભાળ મળે. એણે એ કલાપ્રેમીને વાત કરી, ત્યારે એણે હાથમાં પીંછી લીધી અને યુવતીની બંને આંખોમાં કાળું ટપકું કર્યું. આંખની કીકી લાગતાં જ ચિત્ર સજીવ થઈ ગયું. એટલે પેલા ચિત્રકારે ઍન્જેલોને કહ્યું, ‘તમારો ખૂબ આભાર. તમે સોનામાં સુગંધ ભેળવી આપી. તમે છો કોણ ?’

એણે કહ્યું, ‘મારું નામ માઇકલૅન્જેલો છે.’

આ સાંભળી ચિત્રકાર હેરાન-પરેશાન થઈ ગયો. એ બોલ્યો, ‘ભાઈ, મને ક્ષમા કરો. તમારી કીર્તિ અને કલા પ્રત્યેની ઈર્ષ્યાથી તમને પરાજિત કરવા માટે હું આ ચિત્ર દોરતો હતો, પરંતુ આજે તમારી કલાદૃષ્ટિ અને સૌજન્ય જોઈને ખરેખર શરિંમદો બન્યો છું.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ઉત્પલ દત્ત

જ. ૨૯ માર્ચ, ૧૯૨૯ અ. ૧૯ ઑગસ્ટ, ૧૯૯૩

ભારતીય અભિનેતા, નિર્દેશક, લેખક અને નાટ્યકાર. તેમનો જન્મ બારીસાલ, બંગાળ(હાલ બાંગ્લાદેશ)માં થયો હતો. પ્રારંભિક શિક્ષણ સેંટ એડમંડ સ્કૂલ, શિલાંગમાં પ્રાપ્ત કરી ૧૯૪૫માં સેંટ ઝેવિયર્સ કૉલેજિયેટ સ્કૂલ, કૉલકાતાથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ ૧૯૪૯માં કલકત્તા વિશ્વવિદ્યાલયની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી.

શાળાના અભ્યાસ દરમિયાન ૧૯૪૩માં શેક્સપિયરના ‘હૅમ્લેટ’માં ઘોરખોદિયાની ભૂમિકા દ્વારા નાટ્યક્ષેત્રમાં પદાર્પણ કર્યું. ૧૯૪૭માં ‘ધ શેક્સપિયરીયન’ નામે નાટકમંડળી શરૂ કરી. ૧૯૪૯માં તેમણે ‘લિટલ થિયેટર ગ્રૂપ’ની સ્થાપના કરી.  શેક્સપિયર, બર્નાર્ડ શૉ, ટાગોર, ઇબ્સન અને ગોર્કીનાં નાટકોનું નિર્માણ કર્યું. ૧૯૫૦માં ન્યૂ એમ્પાયર ખાતે ઇબ્સનનું ‘ઘોસ્ટ્સ’ નાટક બંગાળીમાં ભજવી બંગાળી રંગભૂમિમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ ટાગોરનું ‘અચલાયતન’, ગિરીશચંદ્ર ઘોષનું ‘સિરાજુદૌલા’, માઇકલ મધુસૂદનનાં ૧૯મી સદીનાં નાટકો બંગાળી ભાષામાં રજૂ કર્યાં. ૧૯૫૧માં ‘ઇપ્ટા’(ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન)માં જોડાયા, પણ સમયાંતરે મતભેદો સર્જાતાં ઇપ્ટા છોડી દીધું.

૧૯૫૯માં ‘રેપરટરી થિયેટર મૂવમેન્ટ’થી બંગાળી રંગભૂમિમાં નવો ચીલો પાડ્યો. ૧૯૬૮માં ‘રાઇફલ’ નાટક દ્વારા ‘જાત્રા’ના પારંપરિક સ્વરૂપમાં નાટકો લખવાં-ભજવવાં શરૂ કર્યાં, જેમાં ‘નીલરક્ત’, ‘બૈશાખી મેઘ’, ‘મુક્તિદીક્ષા’, ‘બીબીઘર’ વગેરે જાણીતાં છે. તેમણે કેટલીક બંગાળી ફિલ્મોમાં અભિનય કરેલો જેમાં સત્યજિત રેની ફિલ્મો પણ છે. જોકે હિંદી સિનેમાના મશહૂર હાસ્ય અભિનેતા તરીકે તેમણે દર્શકોનાં દિલ જીત્યાં છે, જેમાં ‘ગુડ્ડી’, ‘ગોલમાલ’, ‘નરમ-ગરમ’, ‘રંગબિરંગી’ અને ‘શૌકીન’ નોંધપાત્ર છે.

તેમના પ્રદાન માટે તેમને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા; જેમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (૧૯૭૦), ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ હાસ્ય અભિનેતા પુરસ્કાર (૧૯૮૦), બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ ઍસોસિયેશન પુરસ્કાર(૧૯૯૩)નો સમાવેશ થાય છે. ભારતીય ટપાલ ખાતાએ ૨૦૧૩માં તેમના ફોટા સાથે પાંચ રૂપિયાની ટિકિટ બહાર પાડી હતી.

રાજશ્રી મહાદેવિયા