દત્તોપંત ઠેંગડી

જ. 10 નવેમ્બર, 1920 અ. 14 ઑક્ટોબર, 2004 લેખક, કુશળ સંગઠક, વક્તા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક દત્તોપંત ઠેંગડીનો જન્મ મહારાષ્ટ્રના આર્વીમાં થયો હતો. પિતા બાપૂરાવ વકીલ હતા. માતા જાનકીદેવી ભગવાન દત્તાત્રેયનાં ભક્ત હતાં. દત્તોપંતજીએ શાળેય શિક્ષણ આર્વી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં મેળવ્યું. 15 વર્ષની ઉંમરે તેમણે ‘વાનરસેના’ અને આર્વીની મ્યુનિસિપલ હાઈસ્કૂલના વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે કાર્ય […]

સ્વયંસંચાલન

આપમેળે નિયંત્રિત રીતે કાર્યો થાય તેવી વ્યવસ્થા. ઉત્પાદનક્ષેત્રે અનેક પરિવર્તનો થતાં રહ્યાં છે. તેમાં સ્વયંસંચાલન એ ખૂબ મહત્ત્વની શોધ છે. ઉત્પાદનક્ષેત્રે મોટા જથ્થાના ઉત્પાદનમાં તેમ જ નાના ઉત્પાદનમાં સ્વયંસંચાલન એ મોટી ક્રાંતિ ગણાય છે. મોટા ભાગે કારખાનામાં યંત્રોમાં તથા યંત્રોનું સંચાલન કરનાર તંત્રમાં સ્વયંસંચાલનનો ઉપયોગ થાય છે. એક યંત્રને ચાલુ કરવામાં આવે ત્યાર પછી તેનું […]

ઇમરે કેરતેસ

જ. 9 નવેમ્બર, 1929 અ. 31 માર્ચ, 2016 ઇમરેનો જન્મ હંગેરીના પાટનગર બુડાપેસ્ટમાં થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે હજારો યહૂદીઓને પકડીને પોલૅન્ડની આશવિઝ શિબિરમાં મૂક્યા હતા, તેમાં કેરતેસ પણ હતા. ત્યારબાદ તેમને જર્મનીની શિબિરમાં મૂક્યા. યુદ્ધ પૂરું થયું અને મુક્તિ મળી પણ કેરતેસને શિક્ષણ મળ્યું જ નહીં. 19 વર્ષની વયે તેમણે સમાચારપત્રમાં કામ કર્યું. […]