ચીનુભાઈ માધવલાલ બૅરોનેટ

જ. ૨૬ મે, ૧૮૬૪ અ. ૩ માર્ચ, ૧૯૧૬ બ્રિટિશ ભારતના પ્રથમ હિંદુ બૅરોનેટ, અમદાવાદના દાનવીર ઉદ્યોગપતિ ચીનુભાઈનો જન્મ અમદાવાદમાં માધવલાલ રણછોડલાલ તથા રેવાબાઈને ત્યાં નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગુજરાતના મિલઉદ્યોગના પિતા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલના તેઓ પૌત્ર થાય. ૧૮૮૨માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને કૉલેજમાં જોડાયા. તેઓ ગુજરાતી, ફારસી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં પારંગત હતા. થોડા […]

સાલારજંગ સંગ્રહાલય (મ્યુઝિયમ)

સાલારજંગ દીવાને કરેલા કલાસંગ્રહને અનુલક્ષીને આંધ્રમાં હૈદરાબાદ ખાતે સ્થપાયેલું અદ્વિતીય સંગ્રહાલય. ૧૯મી સદીના મધ્યભાગમાં હૈદરાબાદના નિઝામે એક દીવાનની નિયુક્તિ કરી જેને ‘સાલારજંગ’ની ઉપાધિ આપવામાં આવી. આ દીવાનનો પુત્ર સાલારજંગ બીજો અને પૌત્ર સાલારજંગ ત્રીજો પણ દીવાનપદે રહ્યા. આ સાલારજંગ ત્રીજાએ ત્રીસ વર્ષોમાં કરેલો સંગ્રહ તે સાલારજંગ સંગ્રહાલય તરીકે ઓળખાયો.  મીર યૂસુફ ખાન (સાલારજંગ ત્રીજો) કલાપ્રેમી […]

મકરંદ મહેતા

જ. ૨૫ મે, ૧૯૩૧ અ. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ ડૉ. મકરંદ જનકલાલ મહેતાનો જન્મ અમદાવાદ મુકામે નાગર પરિવારમાં થયો હતો. તેમણે માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ વડોદરા, અમદાવાદ અને અમેરિકામાં લીધુ હતું. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી ૧૯૨૫માં ઇતિહાસ વિષય સાથે બી.એ.ની અને ૧૯૫૫માં એમ.એ.ની ડિગ્રી મેળવી. ૧૯૬૫માં અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી આર્થિક અને વ્યાપાર-વાણિજ્યના ઇતિહાસમાં ફરીથી એમ.એ.ની ડિગ્રી મેળવી. […]