સુભદ્રાબહેન શ્રોફ

જ. 9 ફેબ્રુઆરી, 1915, અ. 26 માર્ચ, 2006 ગુજરાતનાં સ્વાતંત્ર્યસેનાની અને કન્યાકેળવણીના પાયાનાં કાર્યકર સુભદ્રાબહેન શ્રોફનો જન્મ સૌરાષ્ટ્રના જેતલસર ગામમાં થયો હતો. પિતા ચીમનલાલ શ્રોફ વડોદરાના કલાભવનના પ્રિન્સિપાલ હતા. સુભદ્રાબહેને મૅટ્રિક સુધીનું શિક્ષણ વડોદરામાં લીધું હતું. 1936માં તેઓ અંગ્રેજી વિષય સાથે એમ.એ. થયાં. એ પછી તેઓ નડિયાદના વિઠ્ઠલ કન્યા-વિદ્યાલયમાં જોડાયાં, પરંતુ રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા […]

હૈદરાબાદ (ભારત)

આંધ્રપ્રદેશ તથા તેલંગણા રાજ્યનું પાટનગર. તે ૧૭° ૨૫´ ઉ. અ. અને ૭૮° ૩૦´ પૂ. રે.ની આજુબાજુનો ૫૬૨ ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની વસ્તી આશરે ૧,૧૨,૦૦,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે. તે ભારતનું મહત્ત્વનું શહેર તથા વેપારનું કેન્દ્ર છે. હૈદરાબાદની આબોહવા પ્રમાણમાં ગરમ અને સૂકી રહે છે. શિયાળા મધ્યમ રહે છે. સરેરાશ વરસાદ લગભગ ૯૦૦ મિમી. […]

આશારામ દલીચંદ શાહ

જ. 8 ફેબ્રુઆરી, 1842 અ. 26 માર્ચ, 1921 મોરબી, માળિયા, લાઠી રાજ્યોના કારભારી અને શિક્ષક આશારામનો જન્મ રાજકોટમાં. પિતા દલીચંદ અને માતા વખતબા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં થયું. 1859માં પ્રાંતમાં યોજાયેલી પ્રથમ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા પાસ કરી 17 વર્ષની ઉંમરે લીંબડીમાં શિક્ષક થયા. 1863માં જામનગર બદલી થઈ. 1865માં શિક્ષણ વિભાગમાંથી રાજીનામું આપી જામનગર […]