ટેલિફોન
-
-
ઈમેલ:
vishvakoshad1@gmail.com
-
સંપર્ક કરો
અમદાવાદ. ભારત
ટેલિફોન
ઈમેલ:
સંપર્ક કરો
જ. ૩૧ માર્ચ, ૧૮૪૩ અ. ૨ નવેમ્બર, ૧૮૮૫ મરાઠી ભાષાના પ્રથમ ઉત્તમ સંગીત નાટ્યકાર અને સંગીત નાટ્યભૂમિના શિલ્પી બળવંત કિર્લોસ્કરનો જન્મ ધારવાડમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અણ્ણાસાહેબના નામથી જાણીતા આ ઉત્કૃષ્ટ રંગમંચના અભિનેતા, સંગીતકાર અને કવિ પણ હતા. તેમણે બાર વર્ષો સુધી કાનડી અને મરાઠી ભાષાનું અધ્યયન ઘરમાં જ કર્યું. પુણેમાં ઉચ્ચશિક્ષણ લીધું. વિદ્યાર્થીકાળથી જ […]
જૉડ્રલ-બૅંક નામના સ્થળે આવેલી યુનાઇટેડ કિંગ્ડમ(બ્રિટન)ની રેડિયો-ખગોલીય વેધશાળા. સંખ્યાબંધ રેડિયો-દૂરબીનો ધરાવતી અને વિશાળ વિસ્તારમાં પથરાયેલી આ વેધશાળા ચેશાયર પરગણામાં અને માંચેસ્ટર નગરથી દક્ષિણે આશરે ૪૦ કિમી. દૂર આવેલી છે. આ વેધશાળાની સ્થાપના ૧૯૪૫માં એટલે કે રેડિયો-ખગોળશાસ્ત્ર જ્યારે આરંભિક તબક્કામાં હતું તેવા સમયે માંચેસ્ટર યુનિવર્સિટી દ્વારા થઈ હતી. ત્યારથી એનું સંચાલન આ યુનિવર્સિટીના રેડિયો-ખગોળશાસ્ત્ર વિભાગ દ્વારા […]
જ. ૩૦ માર્ચ, ૧૮૯૯ અ. ૨૨ સપ્ટેમ્બર, ૧૯૭૦ શરદિંદુ બંદ્યોપાધ્યાય બંગાળી ભાષાના લેખક અને બંગાળી સિનેમા તેમજ બોલિવૂડ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. તેમનો જન્મ તારાભૂષણ અને બિજલીપ્રભા બંદ્યોપાધ્યાયને ત્યાં તેમનાં નાના-નાનીના ઘરે જૌનપુરમાં થયો હતો. તેમણે ૧૯૧૫માં બિહારના મુંગેરની એક શાળામાંથી મૅટ્રિક પાસ કરી કૉલકાતાની વિદ્યાસાગર કૉલેજમાં જોડાયા હતા. ત્યાં બંગાળી રંગભૂમિના દિગ્ગજ શિશિર […]