ઝલકારી બાઈ

જ. ૨૨ નવેમ્બર, ૧૮૩૦ અ. પ એપ્રિલ, ૧૮૫૮ ઇતિહાસનાં પાનાંઓમાં એક મહાન દલિત મહિલા યોદ્ધાની વાત છે, જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની મહિલાસેના દુર્ગાદલની સેનાપતિ હતી. ઝાંસીના ભોજલા ગામે એક નિર્ધન કોળી પરિવારમાં જન્મેલી ઝલકારી બાઈ પોતાની દૃઢતા અને સાહસથી એક આદરણીય યોદ્ધા બની ગઈ. ઝલકારીના પિતાએ નાનપણથી જ તેમને ઘોડેસવારી અને હથિયાર ચલાવવાની શિક્ષા આપી […]

અર્જુનમાં યોગ છે !

મહાભારતના ભીષણ યુદ્ધમાં આચાર્ય દ્રોણે રચેલા ચક્રવ્યૂહને ભેદવા માટે અર્જુનનો પુત્ર અને શ્રીકૃષ્ણનો ભાણેજ અભિમન્યુ વીરગતિ પામ્યો. કૌરવ પક્ષના છ મહારથીઓ સામે અપ્રતિમ પરાક્રમ દાખવી યુવાન અભિમન્યુ રણમેદાનમાં વીરની જેમ મૃત્યુ પામ્યો. બાણાવળી અર્જુનને આ સમાચાર મળ્યા, ત્યારે એણે પ્રતિજ્ઞા કરી કે આવતી કાલના સૂર્યાસ્ત પહેલાં હું જયદ્રથનો વધ કરીશ. અર્જુનના પ્રલયકારી શબ્દો પછી તત્કાળ […]

વૉલ્તેર

જ. ૨૧ નવેમ્બર, ૧૬૯૪ અ. ૩૦ મે, ૧૭૭૮ મહાન ફ્રેન્ચ તત્ત્વજ્ઞ વૉલ્તેરનો જન્મ પૅરિસમાં મધ્યમવર્ગના કુટુંબમાં થયો હતો. ૧૭૧૧થી ૧૭૧૩ સુધી તેમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તે પછી થોડો સમય હોલૅન્ડમાં ફ્રેન્ચ એલચીના સચિવ તરીકે કામ કર્યું. તેઓ માનવતાવાદી હતા અને સામાજિક, રાજકીય, ધાર્મિક સહિષ્ણુતા તથા સમભાવમાં માનતા હતા. વૉલ્તેરે ધર્મઝનૂન તથા નિરીશ્વરવાદનો વિરોધ કર્યો હતો. […]