ભનુભાઈ ર. વ્યાસ ‘સ્વપ્નસ્થ’

જ. ૧૩ નવેમ્બર, ૧૯૧૩ અ. ૨૩ ઑક્ટોબર, ૧૯૭૦ કવિ, વાર્તાકાર ભનુભાઈનું બીજું નામ લક્ષ્મીનારાયણ હતું અને ‘મોહન શુક્લ’ તેમનું બીજું ઉપનામ હતું. રાજકોટમાં જન્મેલા આ કવિનું વતન જામનગર હતું. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધેલું. મૅટ્રિક સુધીનો અભ્યાસ કરેલો. ૧૯૩૩થી ૧૯૪૪ સુધી મુંબઈમાં ઝંડુ ફાર્માસ્યૂટિકલ વર્ક્સમાં કામ કરેલું. પછી થોડો સમય ‘વંદેમાતરમ્’ અને […]

શિયાળ

કૂતરાને મળતું આવતું વન્ય સસ્તન પ્રાણી. ભારતમાં લગભગ બધી જગાએ શિયાળ જોવા મળે છે. ગામના પાદરે, શહેર-વિસ્તારમાં, નિર્જન ઝાડી કે ગીચ જંગલમાં શિયાળ વસે છે. હિમાલયમાં અને ભરતી-ઓટવાળા પ્રદેશમાં પણ શિયાળ જોવા મળે છે. લોંકડી એ શિયાળને મળતું પ્રાણી છે. ગામના પાદરે રાત્રે તેની કિકિયારી (લાળી) ઘણી વાર સંભળાય છે. લોંકડી કે શિયાળ કૂતરાની માફક […]

પાંડુરંગ મહાદેવ બાપટ

જ. ૧૨ નવેમ્બર, ૧૮૮૦ અ. ૨૮ નવેમ્બર, ૧૯૬૭ ભારતના અગ્રણી ક્રાંતિવીર, સ્વાતંત્ર્યસેનાની અને સાહિત્યકાર. મુળશી સત્યાગ્રહ દરમિયાન તેમના નેતૃત્વના પરિણામે તેમને લોકો ‘સેનાપતિ બાપટ’ના નામથી સંબોધવા લાગ્યા. તેમનો જન્મ રત્નાગિરિ જિલ્લાના ગુહાગર ગામમાં થયો હતો. નિમ્ન મધ્યમવર્ગમાં જન્મેલા હોવાથી બાળપણ વિકટ આર્થિક પરિસ્થિતિમાં વિતાવ્યું. ૧૮૯૨માં પુણેની ન્યૂ ઇંગ્લિશ શાળામાં પાંચ વર્ષના શિક્ષણ પછી અહમદનગરની હાઈસ્કૂલમાં […]