Categories
વાચન સમૃદ્ધિ

શરદિંદુ બંદ્યોપાધ્યાય

જ. ૩૦ માર્ચ, ૧૮૯૯ અ. ૨૨ સપ્ટેમ્બર, ૧૯૭૦

શરદિંદુ બંદ્યોપાધ્યાય બંગાળી ભાષાના લેખક અને બંગાળી સિનેમા તેમજ બોલિવૂડ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. તેમનો જન્મ તારાભૂષણ અને બિજલીપ્રભા બંદ્યોપાધ્યાયને ત્યાં તેમનાં નાના-નાનીના ઘરે જૌનપુરમાં થયો હતો. તેમણે ૧૯૧૫માં બિહારના મુંગેરની એક શાળામાંથી મૅટ્રિક પાસ કરી કૉલકાતાની વિદ્યાસાગર કૉલેજમાં જોડાયા હતા. ત્યાં બંગાળી રંગભૂમિના દિગ્ગજ શિશિર ભાદુરી તેમના અંગ્રેજીના પ્રોફેસર હતા. સ્નાતક થયા બાદ તેઓ પટણા ખાતે કાયદાનો અભ્યાસ કરવા ગયા હતા. તેઓ માત્ર ત્રીસ વર્ષના હતા ત્યારે તેમણે પ્રૅક્ટિસ છોડી દીધી હતી અને લેખક તરીકે કામ શરૂ કર્યું હતું. ૧૯૨૮માં હિમાંશુ રૉયે તેમને પટકથા લખવા માટે મુંબઈ આમંત્રણ આપ્યું હતું. ૧૯૫૨ સુધી તેમણે ફિલ્મો લખી અને પછી લેખક તરીકે સંપૂર્ણ કારકિર્દી બનાવવા માટે પુણેમાં સ્થાયી થયા હતા. ‘શરદિંદુ ઓમ્નિબસ’ નામે પ્રતુલચંદ્ર ગુપ્તા દ્વારા ૧૨ ભાગોનું સંપાદન આનંદ પબ્લિશર્સ, કૉલકાતા દ્વારા પ્રકાશિત થયું છે. બંગાળીના સમકાલીન લેખકોમાં તેમના જેવું ઐતિહાસિક અને કાલ્પનિક કોઈ લખી શક્યું નથી. વ્યોમકેશ બક્ષી નામની ટીવી શ્રેણી બાસુ ચેટર્જી દ્વારા દિગ્દર્શિત હતી. બંગાળી ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષીના સર્જક શરદિંદુએ ટૂંકી વાર્તા, નવલકથાઓ, ડિટેક્ટિવ વાર્તાઓ, નાટકો અને પટકથાઓ લખી છે. તેમની પાસેથી ઘણાં કવિતાઓ અને ગીતો પણ મળે છે. સદાશીબ નામના છોકરાના કાલ્પનિક પાત્ર સાથે ટૂંકી વાર્તાની શ્રેણી આપી છે. ‘શજરૂર કાન્તા’, ‘સત્યન્વેશી’, ‘મેઘમુક્તિ’ અને ‘માયાબજાર’ જેવી બંગાળી ફિલ્મો અને ‘ત્રિશગ્નિ’ તેમજ ‘ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી’ જેવી હિંદી ફિલ્મો આપણને શરદિંદુ બંદ્યોપાધ્યાય પાસેથી પ્રાપ્ત થઈ છે.

Categories
વાચન સમૃદ્ધિ

ટેસ્ટ પોસ્ટ

ફક્જ્લ્ફ્ક્લજ્ફ જ્ફદ્સ્લ ફ્જ્લ્ક્ફ્જસ્દ્લ ફલ્જ્ફદ્સ્લ્ક ફ્જદ્સ્લ્ક્ફ્સફદ્સ્ન્ફદ્સ

ફ્નદ્સ્લ્જ્ફસ્લ્ક્ફ્જ અસ્જ્ફ

મ્વ્લ્દ્સ્ફ્ક્જ્સેઓફ્ર્જ્દ્સ્લ સ્દ્ફ્દ્સ

Categories
વાચન સમૃદ્ધિ

ઉત્પલ દત્ત

જ. ૨૯ માર્ચ, ૧૯૨૯ અ. ૧૯ ઑગસ્ટ, ૧૯૯૩

ભારતીય અભિનેતા, નિર્દેશક, લેખક અને નાટ્યકાર. તેમનો જન્મ બારીસાલ, બંગાળ(હાલ બાંગ્લાદેશ)માં થયો હતો. પ્રારંભિક શિક્ષણ સેંટ એડમંડ સ્કૂલ, શિલાંગમાં પ્રાપ્ત કરી ૧૯૪૫માં સેંટ ઝેવિયર્સ કૉલેજિયેટ સ્કૂલ, કૉલકાતાથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ ૧૯૪૯માં કલકત્તા વિશ્વવિદ્યાલયની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી.

શાળાના અભ્યાસ દરમિયાન ૧૯૪૩માં શેક્સપિયરના ‘હૅમ્લેટ’માં ઘોરખોદિયાની ભૂમિકા દ્વારા નાટ્યક્ષેત્રમાં પદાર્પણ કર્યું. ૧૯૪૭માં ‘ધ શેક્સપિયરીયન’ નામે નાટકમંડળી શરૂ કરી. ૧૯૪૯માં તેમણે ‘લિટલ થિયેટર ગ્રૂપ’ની સ્થાપના કરી.  શેક્સપિયર, બર્નાર્ડ શૉ, ટાગોર, ઇબ્સન અને ગોર્કીનાં નાટકોનું નિર્માણ કર્યું. ૧૯૫૦માં ન્યૂ એમ્પાયર ખાતે ઇબ્સનનું ‘ઘોસ્ટ્સ’ નાટક બંગાળીમાં ભજવી બંગાળી રંગભૂમિમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ ટાગોરનું ‘અચલાયતન’, ગિરીશચંદ્ર ઘોષનું ‘સિરાજુદૌલા’, માઇકલ મધુસૂદનનાં ૧૯મી સદીનાં નાટકો બંગાળી ભાષામાં રજૂ કર્યાં. ૧૯૫૧માં ‘ઇપ્ટા’(ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન)માં જોડાયા, પણ સમયાંતરે મતભેદો સર્જાતાં ઇપ્ટા છોડી દીધું.

૧૯૫૯માં ‘રેપરટરી થિયેટર મૂવમેન્ટ’થી બંગાળી રંગભૂમિમાં નવો ચીલો પાડ્યો. ૧૯૬૮માં ‘રાઇફલ’ નાટક દ્વારા ‘જાત્રા’ના પારંપરિક સ્વરૂપમાં નાટકો લખવાં-ભજવવાં શરૂ કર્યાં, જેમાં ‘નીલરક્ત’, ‘બૈશાખી મેઘ’, ‘મુક્તિદીક્ષા’, ‘બીબીઘર’ વગેરે જાણીતાં છે. તેમણે કેટલીક બંગાળી ફિલ્મોમાં અભિનય કરેલો જેમાં સત્યજિત રેની ફિલ્મો પણ છે. જોકે હિંદી સિનેમાના મશહૂર હાસ્ય અભિનેતા તરીકે તેમણે દર્શકોનાં દિલ જીત્યાં છે, જેમાં ‘ગુડ્ડી’, ‘ગોલમાલ’, ‘નરમ-ગરમ’, ‘રંગબિરંગી’ અને ‘શૌકીન’ નોંધપાત્ર છે.

તેમના પ્રદાન માટે તેમને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા; જેમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (૧૯૭૦), ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ હાસ્ય અભિનેતા પુરસ્કાર (૧૯૮૦), બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ ઍસોસિયેશન પુરસ્કાર(૧૯૯૩)નો સમાવેશ થાય છે. ભારતીય ટપાલ ખાતાએ ૨૦૧૩માં તેમના ફોટા સાથે પાંચ રૂપિયાની ટિકિટ બહાર પાડી હતી.

રાજશ્રી મહાદેવિયા