Categories
વાચન સમૃદ્ધિ

શરદિંદુ બંદ્યોપાધ્યાય

જ. ૩૦ માર્ચ, ૧૮૯૯ અ. ૨૨ સપ્ટેમ્બર, ૧૯૭૦

શરદિંદુ બંદ્યોપાધ્યાય બંગાળી ભાષાના લેખક અને બંગાળી સિનેમા તેમજ બોલિવૂડ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. તેમનો જન્મ તારાભૂષણ અને બિજલીપ્રભા બંદ્યોપાધ્યાયને ત્યાં તેમનાં નાના-નાનીના ઘરે જૌનપુરમાં થયો હતો. તેમણે ૧૯૧૫માં બિહારના મુંગેરની એક શાળામાંથી મૅટ્રિક પાસ કરી કૉલકાતાની વિદ્યાસાગર કૉલેજમાં જોડાયા હતા. ત્યાં બંગાળી રંગભૂમિના દિગ્ગજ શિશિર ભાદુરી તેમના અંગ્રેજીના પ્રોફેસર હતા. સ્નાતક થયા બાદ તેઓ પટણા ખાતે કાયદાનો અભ્યાસ કરવા ગયા હતા. તેઓ માત્ર ત્રીસ વર્ષના હતા ત્યારે તેમણે પ્રૅક્ટિસ છોડી દીધી હતી અને લેખક તરીકે કામ શરૂ કર્યું હતું. ૧૯૨૮માં હિમાંશુ રૉયે તેમને પટકથા લખવા માટે મુંબઈ આમંત્રણ આપ્યું હતું. ૧૯૫૨ સુધી તેમણે ફિલ્મો લખી અને પછી લેખક તરીકે સંપૂર્ણ કારકિર્દી બનાવવા માટે પુણેમાં સ્થાયી થયા હતા. ‘શરદિંદુ ઓમ્નિબસ’ નામે પ્રતુલચંદ્ર ગુપ્તા દ્વારા ૧૨ ભાગોનું સંપાદન આનંદ પબ્લિશર્સ, કૉલકાતા દ્વારા પ્રકાશિત થયું છે. બંગાળીના સમકાલીન લેખકોમાં તેમના જેવું ઐતિહાસિક અને કાલ્પનિક કોઈ લખી શક્યું નથી. વ્યોમકેશ બક્ષી નામની ટીવી શ્રેણી બાસુ ચેટર્જી દ્વારા દિગ્દર્શિત હતી. બંગાળી ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષીના સર્જક શરદિંદુએ ટૂંકી વાર્તા, નવલકથાઓ, ડિટેક્ટિવ વાર્તાઓ, નાટકો અને પટકથાઓ લખી છે. તેમની પાસેથી ઘણાં કવિતાઓ અને ગીતો પણ મળે છે. સદાશીબ નામના છોકરાના કાલ્પનિક પાત્ર સાથે ટૂંકી વાર્તાની શ્રેણી આપી છે. ‘શજરૂર કાન્તા’, ‘સત્યન્વેશી’, ‘મેઘમુક્તિ’ અને ‘માયાબજાર’ જેવી બંગાળી ફિલ્મો અને ‘ત્રિશગ્નિ’ તેમજ ‘ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી’ જેવી હિંદી ફિલ્મો આપણને શરદિંદુ બંદ્યોપાધ્યાય પાસેથી પ્રાપ્ત થઈ છે.

Categories
વાચન સમૃદ્ધિ

ટેસ્ટ પોસ્ટ

ફક્જ્લ્ફ્ક્લજ્ફ જ્ફદ્સ્લ ફ્જ્લ્ક્ફ્જસ્દ્લ ફલ્જ્ફદ્સ્લ્ક ફ્જદ્સ્લ્ક્ફ્સફદ્સ્ન્ફદ્સ

ફ્નદ્સ્લ્જ્ફસ્લ્ક્ફ્જ અસ્જ્ફ

મ્વ્લ્દ્સ્ફ્ક્જ્સેઓફ્ર્જ્દ્સ્લ સ્દ્ફ્દ્સ

Categories
વાચન સમૃદ્ધિ

ઈર્ષા પરાજિત થઈ

સમગ્ર યુરોપમાં પ્રસિદ્ધ એવા માઇકલૅન્જેલોની ખ્યાતિ સાંભળીને એક ચિત્રકાર સતત બેચેન રહેતો હતો. ઍન્જેલોની લોકપ્રિયતા જેમ જેમ વધતી જતી, તેમ તેમ આ ચિત્રકારનો એના પ્રત્યેનો દ્વેષ વૃદ્ધિ પામતો. એ વિચારતો કે લોકો સમજ્યા વિના માઇકલૅન્જેલોની ચિત્રકલાનાં વખાણ કરે છે. જો એ સાચા કલાપારખુ હોય, તો એમને માઇકલૅન્જેલોનાં ચિત્રોમાં ઘણી ગંભીર ક્ષતિઓ જોવા મળે.

એક દિવસ આ ચિત્રકારે વિચાર્યું કે એક એવું ચિત્ર બનાવું કે જેથી લોકો માઇકલૅન્જેલોને ભૂલી જાય અને સમગ્ર યુરોપમાં કલાકાર તરીકે મારી નામના થાય. એણે સુંદર યુવતીનું ચિત્ર બનાવવાનું શરુ કર્યું અને માઇકલૅન્જેલોને માત કરવાની ધૂન સાથે કામ કરવા લાગ્યો. ચિત્ર પૂર્ણ થયું. ચિત્રકારે એ જોયું, પણ એને એમ લાગ્યું કે આમાં કંઈક ખામી છે ! યુવતીના સૌંદર્યના અનુભવમાં કશુંક ખૂટે કે ખટકે છે. ઘણો વિચાર કર્યો, પરંતુ પોતાના ચિત્રની ક્ષતિ એ જાતે ખોળી શક્યો નહીં.

એવામાં એક કલાપ્રેમી આ બાજુથી પસાર થતો હતો. એ આ ચિત્રકાર પાસે આવ્યો. આ ચિત્રકારે માઇકલૅન્જેલોને અગાઉ ક્યારેય જોયો નહોતો, તેથી એણે વિચાર્યું કે આ કલાપ્રેમીની સલાહ લઉં, કદાચ  પોતાની ભૂલની ભાળ મળે. એણે એ કલાપ્રેમીને વાત કરી, ત્યારે એણે હાથમાં પીંછી લીધી અને યુવતીની બંને આંખોમાં કાળું ટપકું કર્યું. આંખની કીકી લાગતાં જ ચિત્ર સજીવ થઈ ગયું. એટલે પેલા ચિત્રકારે ઍન્જેલોને કહ્યું, ‘તમારો ખૂબ આભાર. તમે સોનામાં સુગંધ ભેળવી આપી. તમે છો કોણ ?’

એણે કહ્યું, ‘મારું નામ માઇકલૅન્જેલો છે.’

આ સાંભળી ચિત્રકાર હેરાન-પરેશાન થઈ ગયો. એ બોલ્યો, ‘ભાઈ, મને ક્ષમા કરો. તમારી કીર્તિ અને કલા પ્રત્યેની ઈર્ષ્યાથી તમને પરાજિત કરવા માટે હું આ ચિત્ર દોરતો હતો, પરંતુ આજે તમારી કલાદૃષ્ટિ અને સૌજન્ય જોઈને ખરેખર શરિંમદો બન્યો છું.’

કુમારપાળ દેસાઈ