જ. 20 માર્ચ, 1922 અ. 30 જાન્યુઆરી, 2001 લોકપ્રિય મરાઠી નાટ્યકાર વસંત કાનેટકરનો જન્મ સતારા જિલ્લાના રહીમતપુર ગામમાં થયો હતો. માતા ઉમા અને પિતા શંકર કાનેટકર જે મરાઠી કવિ હતા અને ‘ગિરીશ’ ઉપનામથી લખતા હતા. તેમનું શિક્ષણ સાંગલી અને પુણેમાં થયું હતું. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી બી.એ. અને સાંગલીની વિલિંગ્ડન કૉલેજમાંથી એમ.એ. થયા. 1946માં નાશિકની હંસરાજ […]
ખડકમાંથી કોતરી કાઢેલાં અબુ સિમ્બલનાં મંદિરો. આ વિરાટકાય સ્થાપત્યો દુનિયાભરમાં વિરલ ગણાય છે. ૩૦૦૦ વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં બંધાયેલાં આ પથ્થરની વિરાટ મૂર્તિઓવાળાં મંદિરો આશ્ચર્યચકિત કરી દે છે. અબુ સિમ્બલનાં મંદિરો નાઇલ નદીના પશ્ચિમ કાંઠે આવેલાં છે. અત્યારે નદી ઉપર બાંધેલા બંધને લીધે ૫૫૦ કિમી. લાંબા નાસર સરોવરમાં તે અડધાં ડૂબેલાં છે. પોતાની […]