મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન

જ. 15 માર્ચ, 1977 અ. 28 નવેમ્બર, 2008 2008ના મુંબઈના આતંકી હુમલા દરમિયાન ફક્ત 31 વર્ષે શહીદ થનારા ભારતીય સેનાના અધિકારી મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન બૅંગાલુરુમાં રહેતા મલયાલી નાયર પરિવારમાંથી હતા, જ્યાં તેઓ કેરળના કોઝિકોડથી સ્થળાંતરિત થયા હતા. તેઓ નિવૃત્ત ઇસરો અધિકારી કે. ઉન્નીકૃષ્ણન અને ધનલક્ષ્મી ઉન્નીકૃષ્ણના એકમાત્ર પુત્ર હતા. મેજરે બૅંગાલુરુની ફ્રેન્ક એન્થોની પબ્લિક સ્કૂલમાં […]

અપુચ્છ વાનરો (Apes)

પ્રાણીજગતમાં માણસ સાથે સૌથી વધારે સામ્ય ધરાવતાં પ્રાણીઓ. મનુષ્યની જેમ અપુચ્છ વાનર બુદ્ધિશાળી હોય છે. તેઓ સમૂહમાં રહે છે અને લાંબું જીવે છે. અપુચ્છ વાનરના બે પ્રકારો છે : એક પ્રકારમાં ગોરીલા, ચિમ્પાન્ઝી તથા ઉરાંગઉટાન અને બીજા પ્રકારમાં ગિબન્સ અને સિયામાંગ છે. ગોરીલાનું નિવાસસ્થાન આફ્રિકા છે. તે કૉંગો નદીના ખીણપ્રદેશનું વતની છે. તે ડુંગરાળ અને […]

બુરગુલા રામકૃષ્ણ રાવ

જ. 13 માર્ચ, 1899 અ. 14 સપ્ટેમ્બર, 1967 ભૂતપૂર્વ હૈદરાબાદ રાજ્યના બીજા અને છેલ્લા મુખ્યમંત્રી રજવાડાંઓના રાજકીય એકીકરણ પહેલાં તેઓ હૈદરાબાદ રજવાડાના નિઝામનો પ્રતિકાર કરનારા તેલુગુભાષી નેતાઓમાંના એક હતા. તેઓ સંસ્કૃત અને તેલુગુ ભાષાના વિદ્વાન હતા. તેમનો જન્મ પદકલ્લુ ગામ, કાલવાકુર્થ, હૈદરાબાદ રાજ્યમાં થયો હતો. તેમના પિતાનું નામ નરસિંહ રાવ અને માતાનું નામ રંગનાયકમ્મા હતું. […]