રખાલદાસ બેનરજી

જ. ૧૨ એપ્રિલ, ૧૮૮૫ અ. ૨૩ મે, ૧૯૩૦ ભારતીય પુરાતત્ત્વવિદ, ઇતિહાસકાર અને સાહિત્યકાર રખાલદાસ બેનરજીનો જન્મ કૉલકાતાના મુર્શિદાબાદ જિલ્લાના બહેરામપુરમાં થયો હતો. પિતા માતીલાલ અને માતા કાલીમતી. પ્રાથમિક શિક્ષણ વતન બહેરામપુરામાં લીધું. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક થયા અને ત્યારબાદ એમ.એ.ની પદવી મેળવી. પ્રો. હરપ્રસાદ શાસ્ત્રી પાસે રહીને સંસ્કૃત, ભાષાશાસ્ત્ર અને લિપિવિદ્યાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. શરૂઆતમાં […]

જોહાનિસબર્ગ

દક્ષિણ આફ્રિકાનું મોટામાં મોટું નગર, ભૌગોલિક સ્થાન ૨૬° ૧૨´ દ. અ. અને ૨૮° ૦૫´ પૂ. રે.. સમૃદ્ધ ઔદ્યોગિક કેન્દ્ર. સોનાની ખાણો પર આધારિત ઉદ્યોગોનું મથક. તે ટ્રાન્સવાલ પ્રાંતના દક્ષિણે, સોનાનો જથ્થો ધરાવતી ટેકરીઓની હાર વચ્ચે, સમુદ્ર સપાટીથી ૧,૭૫૬ મી. ઊંચાઈ પર વસેલું છે. તેનું ક્ષેત્રફળ ૪૪૩ ચોકિમી. અને મહાનગરની વસ્તી ૪૮,૦૩,૨૬૨ (૨૦૨૨) છે. ઓગણીસમી સદીના […]

જામિની રૉય

જ. ૧૧ એપ્રિલ, ૧૮૮૭ અ. ૨૪ એપ્રિલ, ૧૯૭૨ બંગાળ શૈલીમાં ચિત્રસર્જન કરનાર એક અગ્રણી આધુનિક ભારતીય ચિત્રકાર. તદ્દન સપાટ (flat) ભાસતાં તેમનાં ચિત્રો પર બંગાળ અને ઓડિશામાં તદ્દન નજીવી કિંમતે વેચાતાં ‘બાઝાર’ (Bazaar) અને કાલીઘાટ ચિત્રો અને આધુનિક યુરોપિયન ચિત્રશૈલીઓમાંથી ‘ફોવીઝમ’ ચિત્રશૈલીનો પ્રભાવ છે. બાંકુરા જિલ્લાના સમૃદ્ધ કાયસ્થ બ્રાહ્મણ જમીનદાર પરિવારમાં તેમનો ઉછેર થયો. સોળ […]