એ પ્રાર્થના નથી, જેમાં એકાગ્રતા નથી !

સંત કબીર રોજ સાંજે પ્રાર્થના કરતા હતા. પ્રાર્થના સમયની એમની તન્મયતા એવી કે આસપાસની સઘળી સૃષ્ટિ ભૂલી જતા. આંતરસૃષ્ટિમાં એકલીન બની જતા. કબીરનો પ્રાર્થનાનો સમય એમના વિરોધીઓ માટે પરેશાની કરવાનો ઉત્તમ સમય હતો. આ વિરોધીઓ એકત્રિત થઈને સંત કબીર અને એમના શિષ્યો સામે મોટેથી આક્ષેપો કરતા અને અપશબ્દો બોલતા, શોરબકોર અને ઠઠ્ઠામશ્કરી કરતા અને તાકીને […]

હરજી લવજી દામાણી ‘શયદા’

જ. ૨૪ ઑક્ટોબર, ૧૮૯૨ અ. ૩૧ મે, ૧૯૬૨ તેઓ ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને નાટ્યકાર હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ગઝલસ્વરૂપની કવિતાની શરૂઆત કરી હોવાથી તેઓ ગઝલસમ્રાટ તરીકે ઓળખાતા હતા. સૌરાષ્ટ્રની ખોજા શિયા ઇસ્ના અશરી જ્ઞાતિના, વતન ધોલેરાના  હરજીભાઈએ માત્ર ચાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૯૧૨માં પ્રથમ વખત […]

શારજાહ

સંયુક્ત આરબ અમીરાતમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે ૨૫° ૩૦´ ઉ. અ. અને ૫૫° ૩૦´ પૂ. રે. પર આવેલું છે. શારજાહ સંયુક્ત આરબ અમીરાત(UAE)માં આવેલાં દુબઈ અને અબુધાબી પછીનું ત્રીજા ક્રમનું મોટું શહેર છે. તે આરબ દ્વીપકલ્પ(peninsula)માં ઈરાની અખાતના ઉત્તર કિનારે આવેલું છે. તેનો વિસ્તાર લગભગ ૨૩૫ ચોકિમી. જેટલો છે અને વસ્તી લગભગ ૮,૯૦,૬૬૯ […]