ઉત્તર-મધ્ય ઈરાનમાં થયેલા પર્શિયાના સૂફી સંત બાયજીદ બિસ્તામી ઈશ્વર વિશેના સ્પષ્ટ અને નિર્ભીક વિચારો માટે જાણીતા હતા. કોઈ ગ્રંથ સ્વરૂપે એમના કોઈ વિચારો પ્રાપ્ત થતા નથી, પરંતુ સૂફી પરંપરામાં એક મહત્ત્વના સૂફી સંત તરીકે તેઓ સ્થાન ધરાવે છે. એમના નિવાસસ્થાને જે કોઈ ઇસ્લામ ધર્મ વિશે ચર્ચા કરવા આવે, એમને આવકારતા; એટલું જ નહીં, પણ અલ્લાહની […]
જ. 27 ફેબ્રુઆરી, 1933 અ. 23 ઑગસ્ટ, 2016 કચ્છના પરંપરાગત ભારતકામને વિશ્વસ્તરે નવી ઓળખ આપનાર અને ‘શ્રુજન’ સંસ્થાનાં સ્થાપક ચંદાબહેન શ્રોફનો જન્મ અમદાવાદ જિલ્લાના માંડલમાં થયો હતો. પિતા સકરચંદભાઈ અને માતા શકરીબહેન. તેમણે નવ વર્ષની ઉંમરે માતાને ગુમાવ્યાં. પિતા ગાંધીવાદી હોવાથી ગાંધી વિચાર સરણીવાળા કુટુંબમાં ઉછેર થયો. તેમનું પ્રાથમિક શિક્ષણ રાજકોટ અને ભાવનગરમાં થયું. વડોદરાની […]
પારસી લોકોનું પવિત્ર ધર્મસ્થાન. અગિયારીમાંના તેમના પવિત્ર અગ્નિ(આતશ)ના પ્રકારો મુજબ ત્રણ દરજ્જા છે : ‘આતશે દાદગાહ’, ‘આતશે આદરાન’ અને ‘આતશે બહેરામ’. આતશની સેવા માટે નિયુક્ત થયેલા દસ્તૂર (ધર્મગુરુ) સિવાય કોઈ ગર્ભગૃહમાં જઈ શકતું નથી. અગિયારીની અંદર દર્શન કરવા માટે અન્ય ધર્મીઓને છૂટ હોતી નથી. સોની, લુહાર અને કુંભારની ભઠ્ઠીઓનો અગ્નિ એકત્ર કરીને તેના ઉપર જરથુષ્ટ્ર […]