વૈશાખ સુદ ત્રીજની પવિત્ર મનાતી તિથિ – અક્ષયતૃતીયા. અખાત્રીજને વણજોયું શુભ મુહૂર્ત લેખવામાં આવે છે; તેથી તે દિવસે કોઈ પણ નવું કાર્ય શરૂ કરાય તો તેમાં ફતેહ મળે તેવી શ્રદ્ધા લોકોમાં વ્યાપકપણે જોવા મળે છે. ‘અક્ષય’ એટલે ‘જેનો ક્ષય ન થાય તે’. આથી આ દિવસે શરૂ કરેલ કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે એવી માન્યતા છે. […]
જ. 23 ફેબ્રુઆરી, 1897 અ. 7 ફેબ્રુઆરી, 1992 બંગાળી લેખક, સંશોધક અને પ્રતિભાવંત રાજકીય કાર્યકર રાધારમણ મિત્રનો જન્મ કૉલકાતામાં મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. 1913માં તેઓ કૉલકાતાની હિન્દુ સ્કૂલમાંથી મૅટ્રિક થયા. 1915માં તેમણે ઇન્ટરમીડિયેટની પરીક્ષા ગોલ્ડ મેડલ સાથે પાસ કરી. 1917માં તેમણે સેન્ટ પાઉલસ કેથીડ્રલ મિશન કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન કર્યું હતું. કૉલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા બાદ ઉત્તરપ્રદેશમાં […]