જ. 3 ફેબ્રુઆરી, 1929 અ. 14 ઑક્ટોબર, 2020 ગુજરાતી સુગમસંગીતને લોકપ્રિય બનાવનાર, કુંવર નંદલાલ મુન્શી અને અનુબહેન મુન્શીના છઠ્ઠા સંતાન તરીકે જન્મેલ કૌમુદી મુન્શીના દાદા માધવલાલ મુન્શી બ્રિટિશ વાઇસરૉય લૉર્ડ મિન્ટોના સલાહકાર સમિતિના સભ્ય હતા અને મામા રમણલાલ વસંતલાલ દેસાઈ ગુજરાતી સાહિત્યના ખૂબ જાણીતા લેખક હતા. દેખીતી રીતે જ ઘરમાં સાહિત્ય અને સંગીતનું વાતાવરણ હતું. […]
ઉત્તરાખંડ રાજ્યમાં ગંગાકાંઠે આવેલું પવિત્ર યાત્રાધામ. તે ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં ૩૦° ૦૭´ ઉ. અ. અને ૭૮° ૧૮´ પૂ. રે. પર આવેલું છે. હરિદ્વારથી ઉત્તર તરફ તે ૨૪ કિમી.ને અંતરે સ્થિત છે. હૃષીકેશ સમુદ્રસપાટીથી ૩૯૨ મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનો કુલ વિસ્તાર ૧૧.૫ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી ૧,૪૮,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે. હરિદ્વાર અને હૃષીકેશ […]