કુન્દનિકા કાપડિયા

જ. 11 જાન્યુઆરી, 1927 અ. 30 એપ્રિલ, 2020 ગુજરાતી સાહિત્યનાં અગ્રગણ્ય નવલકથાકાર, નવલિકાકાર અને નિબંધકાર કુન્દનિકા કાપડિયાનો જન્મ લીંબડીમાં થયો હતો. પિતા નરોત્તમદાસ અને માતા રંભાબહેન. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પંચમહાલના ગોધરામાં થયું હતું. તેમણે ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી 1948માં બી.એ.ની પદવી મેળવી. તેમણે 1942માં ‘હિંદ છોડો’ લડતમાં ભાગ લીધો હતો, આથી તેમને જેલ પણ […]

જીવ બળે તે સારું !

યહૂદી ધર્મગુરુ પાસે આવીને એક મોચીએ દયામણા ચહેરે અને ભીની આંખે કહ્યું, ‘આપ હંમેશાં અમને ઉપદેશ આપો છો અને કહો છો કે રોજ સવારે પ્રાર્થના કરવી જોઈએ, પણ મારે માટે અત્યંત મુશ્કેલ છે, હવે શું કરું ?’ ધર્મગુરુએ કારણ પૂછતાં મોચીએ કહ્યું, ‘રોજ સવારે પ્રાર્થના કરવાની ઇચ્છા હોય છે, પણ હું કરી શકતો નથી. આખી […]

એન. વી. ગાડગીલ

જ. 10 જાન્યુઆરી, 1896 અ. 12 જાન્યુઆરી, 1966 મહારાષ્ટ્રના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની, રાજકારણી અને સમાજસુધારક. તેમનું પૂરું નામ નરહર વિષ્ણુ ગાડગીલ. તેઓ ‘કાકાસાહેબ’ના હુલામણા નામથી પણ ઓળખાતા. જન્મ મંદસૌરના મલ્હારગઢમાં. શિક્ષણનો પ્રારંભ વેદ પાઠશાળામાં કર્યા બાદ પુણેના નૂતન મરાઠી વિદ્યાલયમાંથી મૅટ્રિક પાસ થઈ ઉચ્ચશિક્ષણ માટે વડોદરા કૉલેજમાં અને ત્યારબાદ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. બે […]