સમાચાર આપતું સામયિક. ‘અખબાર’ શબ્દ ‘ખબર’નું બહુવચન છે. તે પરથી તેનો અર્થ ખબર કે સમાચાર આપનારું પત્ર થાય. કાગળ પર છપાઈને આવતું હોઈ તેને ‘છાપું’ પણ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં ખબર કે સમાચારને ‘વર્તમાન’ કહેવામાં આવે છે, તેથી છાપેલા સમાચારને ‘વર્તમાનપત્ર’ કહેવામાં આવે છે. અખબાર સમાચાર મેળવવા અને લખવા માટે પત્રકારોને રાખે છે. એમાં મોટા […]
જ. 20 ફેબ્રુઆરી, 1894 અ. 2 માર્ચ, 1980 બહુમુખી પ્રતિભા ધરાવનાર, સાહિત્યકાર જારોસ્લાવનો જન્મ કાલ્નિક પોલૅન્ડમાં થયો હતો. 1912માં કીવ વિશ્વવિદ્યાલયમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને સાથે સાથે સંગીતશાળામાં પણ તાલીમ લેવાનું ચાલુ રાખ્યું. 1918માં તેઓ પોલૅન્ડની રાજધાની વૉર્સોમાં રહેવા ચાલ્યા ગયા. અહીં તે ઊર્મિકવિઓના ‘સ્કમાન્દર’ નામના મંડળના સહસ્થાપક બન્યા. 1923થી 1925નાં બે વર્ષ દરમિયાન […]