Categories
વાચન સમૃદ્ધિ

બળવંત પાંડુરંગ કિર્લોસ્કર

જ. ૩૧ માર્ચ, ૧૮૪૩ અ. ૨ નવેમ્બર, ૧૮૮૫

મરાઠી ભાષાના પ્રથમ ઉત્તમ સંગીત નાટ્યકાર અને સંગીત નાટ્યભૂમિના શિલ્પી બળવંત કિર્લોસ્કરનો જન્મ ધારવાડમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અણ્ણાસાહેબના નામથી જાણીતા આ ઉત્કૃષ્ટ રંગમંચના અભિનેતા, સંગીતકાર અને કવિ પણ હતા. તેમણે બાર વર્ષો સુધી કાનડી અને મરાઠી ભાષાનું અધ્યયન ઘરમાં જ કર્યું. પુણેમાં ઉચ્ચશિક્ષણ લીધું. વિદ્યાર્થીકાળથી જ નાટકો પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા. તેઓ નાટકમંડળીઓ માટે ગીતો રચી આપતા. સમય જતાં તેમણે પોતાની કિર્લોસ્કર નાટકમંડળીની સ્થાપના કરી, પરંતુ તેમાં સફળતા ન મળતાં પાછા પોતાને ગામ આવ્યા. ત્યાં તેમણે ‘શંકરદિગ્વિજય’ નાટક લખ્યું (૧૮૭૩). ‘અભિજ્ઞાન શાકુંતલમ્’નો મરાઠી અનુવાદ કરી તેમાં પોતાની રચનાઓ ઉમેરીને તે ભજવ્યું. તેને ખૂબ સફળતા મળતાં કિર્લોસ્કર નાટક મંડળી પુનર્જીવિત કરી. ૧૮૮૨માં ‘સંગીત સૌરભ નાટક લખ્યું અને સફળતાપૂર્વક ભજવ્યું, જે ખૂબ લોકપ્રિય બન્યું. ૧૮૮૪માં લખેલું ‘રામરાજ્યવિયોગ’ નાટક તેમની અંતિમ કૃતિ હતી. તેઓ કુશળ નટ અને દિગ્દર્શક પણ હતા. મહારાષ્ટ્રની અત્યંત પ્રચલિત સંગીતનાટક પ્રવૃત્તિના તેઓ જનક હતા. પ્રસંગ અને હાવભાવને અનુરૂપ ગીતરચના કરવામાં તેઓ કાબેલ હતા. તેઓ શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. તેમણે અનેક આખ્યાનોની પણ રચના કરી છે. બેલગામ ખાતે તેમણે સ્થાપેલી ‘ભરતનાટ્યોત્તેજક મંડળી’એ તેમનાં નાટકો સફળતાપૂર્વક ભજવ્યાં. સાંગલીકર નાટકમંડળી માટે તેમણે ‘શ્રીકૃષ્ણ પારિજાત’ નામનું નાટક લખ્યું. તેમણે શિવાજી મહારાજ પર ૫૦૦ આર્યા ધરાવતું ખંડકાવ્ય રચ્યું હતું. ૧૯૪૩માં મહારાષ્ટ્રમાં તેમની જન્મશતાબ્દી ધામધૂમથી ઊજવવામાં આવી હતી. પુણે ખાતે તેમના ચાહકોએ ‘કિર્લોસ્કર નાટ્યગૃહ’ની રચના કરીને તેમને ભાવભીની અંજલિ અર્પી. ઉત્તમ નાટ્યલેખન, નાટ્યપ્રયોગ, સંગીત વગેરેને કારણે તેઓ મરાઠી સંગીત રંગભૂમિના આદ્યશિલ્પી ગણાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

શરદિંદુ બંદ્યોપાધ્યાય

જ. ૩૦ માર્ચ, ૧૮૯૯ અ. ૨૨ સપ્ટેમ્બર, ૧૯૭૦

શરદિંદુ બંદ્યોપાધ્યાય બંગાળી ભાષાના લેખક અને બંગાળી સિનેમા તેમજ બોલિવૂડ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. તેમનો જન્મ તારાભૂષણ અને બિજલીપ્રભા બંદ્યોપાધ્યાયને ત્યાં તેમનાં નાના-નાનીના ઘરે જૌનપુરમાં થયો હતો. તેમણે ૧૯૧૫માં બિહારના મુંગેરની એક શાળામાંથી મૅટ્રિક પાસ કરી કૉલકાતાની વિદ્યાસાગર કૉલેજમાં જોડાયા હતા. ત્યાં બંગાળી રંગભૂમિના દિગ્ગજ શિશિર ભાદુરી તેમના અંગ્રેજીના પ્રોફેસર હતા. સ્નાતક થયા બાદ તેઓ પટણા ખાતે કાયદાનો અભ્યાસ કરવા ગયા હતા. તેઓ માત્ર ત્રીસ વર્ષના હતા ત્યારે તેમણે પ્રૅક્ટિસ છોડી દીધી હતી અને લેખક તરીકે કામ શરૂ કર્યું હતું. ૧૯૨૮માં હિમાંશુ રૉયે તેમને પટકથા લખવા માટે મુંબઈ આમંત્રણ આપ્યું હતું. ૧૯૫૨ સુધી તેમણે ફિલ્મો લખી અને પછી લેખક તરીકે સંપૂર્ણ કારકિર્દી બનાવવા માટે પુણેમાં સ્થાયી થયા હતા. ‘શરદિંદુ ઓમ્નિબસ’ નામે પ્રતુલચંદ્ર ગુપ્તા દ્વારા ૧૨ ભાગોનું સંપાદન આનંદ પબ્લિશર્સ, કૉલકાતા દ્વારા પ્રકાશિત થયું છે. બંગાળીના સમકાલીન લેખકોમાં તેમના જેવું ઐતિહાસિક અને કાલ્પનિક કોઈ લખી શક્યું નથી. વ્યોમકેશ બક્ષી નામની ટીવી શ્રેણી બાસુ ચેટર્જી દ્વારા દિગ્દર્શિત હતી. બંગાળી ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષીના સર્જક શરદિંદુએ ટૂંકી વાર્તા, નવલકથાઓ, ડિટેક્ટિવ વાર્તાઓ, નાટકો અને પટકથાઓ લખી છે. તેમની પાસેથી ઘણાં કવિતાઓ અને ગીતો પણ મળે છે. સદાશીબ નામના છોકરાના કાલ્પનિક પાત્ર સાથે ટૂંકી વાર્તાની શ્રેણી આપી છે. ‘શજરૂર કાન્તા’, ‘સત્યન્વેશી’, ‘મેઘમુક્તિ’ અને ‘માયાબજાર’ જેવી બંગાળી ફિલ્મો અને ‘ત્રિશગ્નિ’ તેમજ ‘ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી’ જેવી હિંદી ફિલ્મો આપણને શરદિંદુ બંદ્યોપાધ્યાય પાસેથી પ્રાપ્ત થઈ છે.

Categories
વાચન સમૃદ્ધિ

ટેસ્ટ પોસ્ટ

ફક્જ્લ્ફ્ક્લજ્ફ જ્ફદ્સ્લ ફ્જ્લ્ક્ફ્જસ્દ્લ ફલ્જ્ફદ્સ્લ્ક ફ્જદ્સ્લ્ક્ફ્સફદ્સ્ન્ફદ્સ

ફ્નદ્સ્લ્જ્ફસ્લ્ક્ફ્જ અસ્જ્ફ

મ્વ્લ્દ્સ્ફ્ક્જ્સેઓફ્ર્જ્દ્સ્લ સ્દ્ફ્દ્સ