Categories
વાચન સમૃદ્ધિ

અરુણા દેસાઈ

જ. 13 મે, 1924 અ. 16 ફેબ્રુઆરી, 2007

મહિલાઓનાં સ્વાતંત્ર્ય અને રક્ષણ માટે જીવન સમર્પિત કરનાર સમાજસેવિકા અરુણાબહેનનો જન્મ જૂનાગઢમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. 1946માં માનસશાસ્ત્રના વિષય સાથે તેઓ સ્નાતક બન્યાં હતાં. માત્ર ત્રણ વર્ષની વયે માતાનું અવસાન થતાં ફોઈ પુષ્પાબહેનની છત્રછાયામાં ઉછેર થયો. પુષ્પાબહેન ગુજરાતનાં સુપ્રસિદ્ધ સમાજસેવિકા હતાં. અરુણાબહેનને પુષ્પાબહેન પાસેથી બાળપણથી જ જીવનઘડતરના પાઠ શીખવા મળ્યા અને તેમણે આજીવન સમાજસેવાનો ભેખ લઈ લીધો. પુષ્પાબહેનના વિકાસગૃહનાં કાર્યોમાં મદદ કરતાં. તેઓ સ્વાતંત્ર્યચળવળમાં પણ પુષ્પાબહેનની પ્રવૃત્તિઓમાં સહકાર આપતાં. 1945માં પુષ્પાબહેને વઢવાણમાં સ્થાપેલા વિકાસ વિદ્યાલયમાં સમાજસેવાની જવાબદારી અરુણાબહેને ઉપાડી લીધી હતી. અહીં અનાથ નિરાધાર બાળકો, ત્યક્તાઓ, વિધવાઓ, તિરસ્કૃત સ્ત્રીઓને આશ્રય અપાતો. તેઓ વઢવાણની ભૂમિ પર બાળકો ભણીગણીને પોતાના પગ પર ઊભા રહી સ્વતંત્ર રીતે જીવન જીવી શકે તે માટે પ્રયત્નશીલ હતાં. આવી બાળાઓનું ખૂબ સુંદર જીવનઘડતર કરતાં. સમાજસેવા અને સ્ત્રીઉન્નતિ સાથે તેના પાયા સમી આર્થિક વિકાસની સમસ્યાને હલ કરવા ખૂબ પરિશ્રમ કર્યો. અરુણાબહેનના કઠિન પરિશ્રમને કારણે વિકાસ વિદ્યાલય આજે એક મોટું સેવાશ્રમ બની રહ્યું છે. આ સંસ્થાની ઘણી શાખાઓ ગુજરાતમાં સ્થપાઈ છે. વઢવાણની ધરતી પરથી ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી તેમનાં સત્કાર્યોની સુવાસ પહોંચી. તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા, જેમાં મુખ્યત્વે 1981માં બાલકલ્યાણક્ષેત્રે રાજ્ય સરકાર તરફથી પુરસ્કાર, 1989માં મહિલા સુરક્ષા પુરસ્કાર, 2002માં રાજીવ ગાંધી માનવસેવા પુરસ્કાર અને 2005માં જમનાલાલ બજાજ ઍવૉર્ડ ફોર ડેવલપમેન્ટ ઍન્ડ વેલ્ફેર ઑવ્ વિમેન ઍન્ડ ચિલ્ડ્રન ઍવૉર્ડનો સમાવેશ થાય છે.

Categories
સાંપ્રત કાર્યક્રમો

બારીએથી વિશ્વ (પોડકાસ્ટ)

`આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાહિત્યસર્જન’ વિશે દીપક મહેતા અને ખેવના દેસાઈ સાથે દીપ્તિ જોષીનો સંવાદ

તારીખ : 15-05-2026, સાંજના 5-30

Categories
સાંપ્રત કાર્યક્રમો

ચિત્રકલા, શિલ્પકલા અને તસવીરકલાની પ્રસ્તુતિ માટેનું નવું સરનામું

નવા રૂપ-રંગ અને સુવિધા સાથે વિશ્વકોશ લલિતકલા કેન્દ્રની કલાવીથિકા(આર્ટ ગૅલરી)નો શુભારંભ

અમિત અંબાલાલ, એમ. એફ. હુસેન, ગોપાલ પરમાર, ઘનશ્યા રાઠોડ, જતીન દાસ, જ્યોતિ ભટ્ટ, તૃપ્તિ દવે, થોટા વૈકુંઠમ, નબીબક્ષ મન્સૂરી, નીલેશ સુથાર, પ્રશાંત સીતાપરા, બાલકૃષ્ણ દોશી, ભૈરવી મોદી, મનહર કાપડિયા, મનીષ ચાવડા, મનુ પારેખ, માધવી પારેખ, મિલન દેસાઈ, રાકેશ પટેલ, રાજેશ અહલાવત, રોમા પટેલ, વૃંદાવન સોલંકી, શિખા ચાવડા, સીમા કોહલી, સોનલ અંબાણી

આ કલાકારોના ગણેશનાં ચિત્રોનું પ્રદર્શન

આર્ટ ગૅલરીની સાથે સભાખંડ અને પાવર પૉઈન્ટ પ્રેઝન્ટેશનની સુવિધા પણ ઉપલબ્ધ

ઉદ્ઘાટક : અમિત અંબાલાલ, હિરેન પટેલ

પ્રાસંગિક : કુમારપાળ દેસાઈ, અનિલ રેલિયા, વૃંદાવન સોલંકી

સમય 6-00 શુભેચ્છા વક્તવ્ય – 6-30 ચિત્રપ્રદર્શનનું ઉદ્ઘાટન