Categories
વાચન સમૃદ્ધિ

પ્રેમ ધવન

જ. 13 જૂન 1923 અ. 7 મે, 2001

દેશભક્તિનાં ગીતો માટે જાણીતા પ્રેમ ધવનનો જન્મ હરિયાણા રાજ્યના અંબાલામાં થયો હતો. તેમણે કૉલેજનો અભ્યાસ લાહોરમાં પૂર્ણ કર્યો. આ સમય દરમિયાન તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની ગતિવિધિઓ સાથે સકિય હતા. 1946માં ખ્વાજા ખુર્શીદ અન્વરના સહાયક તરીકે તેમણે ‘આજ ઔર કલ’ ફિલ્મમાં કામ શરૂ કર્યું, પણ પછી ભાગલાના કારણે તેઓ મુંબઈ આવીને ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન સાથે જોડાયા. અહીં તેમણે પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકાર રવિશંકર પાસે શાસ્ત્રીય સંગીત શીખવાની તક ઝડપી લીધી. ‘ધરતી કે લાલ’ ગીતકાર તરીકે તેમની પ્રથમ ફિલ્મ રહી. તેમણે ‘તરાના’, ‘કાબુલીવાલા’, ‘આસમાન’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ વગેરે જેવી ફિલ્મો માટે ગીતો લખ્યાં. ‘શહીદ’ (1965) ફિલ્મમાં મનોજકુમારના અભિનય સાથે પ્રેમ ધવન દ્વારા લિખિત અને સંગીત સર્જિત ગીતોએ ખૂબ રંગ જમાવ્યો. ‘એ વતન એ વતન’ અને ‘મેરા રંગ દે બસંતી ચોલા’ જેવાં ગીતોને ખૂબ લોકપ્રિયતા સાંપડી. ‘પવિત્ર પાપી’ (1970) અને ‘નાનક દુઃખિયા સબ સંસાર’માં તેમની સંગીતકાર તરીકેની પ્રતિભા ઝળકી ઊઠી. સંગીતકાર અને ગીતકાર તરીકેની બેવડી કારકિર્દી ઉપરાંત તેમણે ‘લાજવાબ’ (1950) અને ‘ગૂંજ ઉઠી શહનાઈ’(1959)માં અભિનય કર્યો. ‘નયા દૌર’ (1957) અને અન્ય સાતેક ફિલ્મોમાં તેમણે નૃત્યદિગ્દર્શક તરીકે પણ કામ કર્યું. ગીતકાર તરીકે તમિલ ફિલ્મ ‘અપૂર્વ સગોધરાગલ’(1989)ની હિન્દી આવૃત્તિ ‘અપ્પુ રાજા’ તેમની અંતિમ ફિલ્મ રહી. હિન્દી સિનેમામાં લગભગ ચાર દાયકા જેટલો કાર્યકાળ ધરાવતા આ કલાકારને ભારત સરકાર તરફથી 1970માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1971માં શ્રેષ્ઠ ગીતો માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રેમ ધવન

જ. 13 જૂન 1923 અ. 7 મે, 2001

દેશભક્તિનાં ગીતો માટે જાણીતા પ્રેમ ધવનનો જન્મ હરિયાણા રાજ્યના અંબાલામાં થયો હતો. તેમણે કૉલેજનો અભ્યાસ લાહોરમાં પૂર્ણ કર્યો. આ સમય દરમિયાન તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની ગતિવિધિઓ સાથે સકિય હતા. 1946માં ખ્વાજા ખુર્શીદ અન્વરના સહાયક તરીકે તેમણે ‘આજ ઔર કલ’ ફિલ્મમાં કામ શરૂ કર્યું, પણ પછી ભાગલાના કારણે તેઓ મુંબઈ આવીને ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન સાથે જોડાયા. અહીં તેમણે પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકાર રવિશંકર પાસે શાસ્ત્રીય સંગીત શીખવાની તક ઝડપી લીધી. ‘ધરતી કે લાલ’ ગીતકાર તરીકે તેમની પ્રથમ ફિલ્મ રહી. તેમણે ‘તરાના’, ‘કાબુલીવાલા’, ‘આસમાન’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ વગેરે જેવી ફિલ્મો માટે ગીતો લખ્યાં. ‘શહીદ’ (1965) ફિલ્મમાં મનોજકુમારના અભિનય સાથે પ્રેમ ધવન દ્વારા લિખિત અને સંગીત સર્જિત ગીતોએ ખૂબ રંગ જમાવ્યો. ‘એ વતન એ વતન’ અને ‘મેરા રંગ દે બસંતી ચોલા’ જેવાં ગીતોને ખૂબ લોકપ્રિયતા સાંપડી. ‘પવિત્ર પાપી’ (1970) અને ‘નાનક દુઃખિયા સબ સંસાર’માં તેમની સંગીતકાર તરીકેની પ્રતિભા ઝળકી ઊઠી. સંગીતકાર અને ગીતકાર તરીકેની બેવડી કારકિર્દી ઉપરાંત તેમણે ‘લાજવાબ’ (1950) અને ‘ગૂંજ ઉઠી શહનાઈ’(1959)માં અભિનય કર્યો. ‘નયા દૌર’ (1957) અને અન્ય સાતેક ફિલ્મોમાં તેમણે નૃત્યદિગ્દર્શક તરીકે પણ કામ કર્યું. ગીતકાર તરીકે તમિલ ફિલ્મ ‘અપૂર્વ સગોધરાગલ’(1989)ની હિન્દી આવૃત્તિ ‘અપ્પુ રાજા’ તેમની અંતિમ ફિલ્મ રહી. હિન્દી સિનેમામાં લગભગ ચાર દાયકા જેટલો કાર્યકાળ ધરાવતા આ કલાકારને ભારત સરકાર તરફથી 1970માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1971માં શ્રેષ્ઠ ગીતો માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

સી. કે. નાગરાજ રાવ

જ. 12 જૂન, 1915 અ. 10 એપ્રિલ, 1998

ચલ્લાકેરે કૃષ્ણમૂર્તિ રાવ નાગરાજ રાવનો જન્મ ચિત્રદુર્ગ જિલ્લાના ચલ્લાકેરેમાં સી. એસ. કૃષ્ણમૂર્તિ રાવ અને શ્રીમતી પુટ્ટમ્માને ત્યાં થયો હતો. તેઓ લેખક, નાટ્યકાર, રંગમંચ કલાકાર, દિગ્દર્શક, પત્રકાર અને સામાજિક કાર્યકર હતા. તેમણે કન્નડ ભાષામાં સાહિત્ય પીરસ્યું હતું. તેમનું બાળપણ ભારતનાં વિવિધ શહેરોમાં વીત્યું હતું. તેમને કર્ણાટકના સમૃદ્ધ કલા અને સાંસ્કૃતિક વારસામાં ઊંડો રસ હતો. ગાંધીજી સાથેની મુલાકાતે તેમનામાં ભારતની સ્વતંત્રતા અને જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટે ભક્તિ જગાવી હતી. તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆત તેમની એક દલિત સંગીતપ્રેમી વિશેની તેમની ટૂંકી વાર્તા ‘કાડુમલ્લિગે’ માટે શાળા સ્પર્ધા જીતી ત્યારથી થઈ. ત્યારબાદ તેમણે કન્નડ પુસ્તકપ્રિન્ટર અને પ્રકાશક સત્યશોધન પુસ્તક ભંડાર સાથે કામ કર્યું. તેમના કાકા શ્રીનિવાસ રાવના માર્ગદર્શન હેઠળ તેમને કર્ણાટકના અગ્રણી લેખકો અને સાહિત્યકારો સાથે ભળવાની તક મળી હતી. તેમણે કન્નડ સાહિત્ય પરિષદના સચિવ તરીકે પણ જવાબદારીઓ સંભાળી હતી. સી. કે. નાગરાજ રાવના વ્યાપક સંશોધનને કારણે તેમણે ઘણા સંશોધનપત્રો પ્રકાશિત કર્યા હતા. તેમના સંશોધનપુસ્તક ‘કવિ લક્ષ્મીશાન કલા મટ્ટુ સ્થલા’ને કર્ણાટક સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ચાલુક્ય, ગંગા અને હોયસાલા રાજવંશો પર પણ ઘણા સંશોધનપત્રો લખ્યા હતા. જે જર્નલો અને અખબારોમાં પ્રકાશિત થયા હતા. 1983માં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા તેમની મહાન કૃતિ ‘પટ્ટમહાદેવી શાંતલાદેવી’ને પુરસ્કૃત કરવામાં આવી હતી. આ જ કૃતિને 1978માં કર્ણાટક સાહિત્ય અકાદમી દ્વારા ‘શ્રેષ્ઠ સર્જનાત્મક સાહિત્યિક કૃતિ’ પુરસ્કાર મળ્યો હતો. તેમણે બૅંગાલુરુમાં યુનાઇટેડ આર્ટિસ્ટ્સ નામનું પોતાનું મંડળ બનાવ્યું હતું. તેમણે ટી. પી. કૈલાસમ્, કપ્પલી વેંકટપ્પાગૌડા પુટ્ટપ્પા અને અન્ય જાણીતા કન્નડ નાટ્યકારોનાં નાટકોનું દિગ્દર્શન કર્યું હતું. તેઓ તેમના સમયના શ્રેષ્ઠ મેક-અપ કલાકારોમાંના એક તરીકે ઓળખાયા હતા. તેઓ ઑલ ઇન્ડિયા રેડિયો, બૅંગાલુરુ સાથે પણ સંકળાયેલા હતા. તેઓ મિથિક સોસાયટી સાથે પણ જોડાયેલા હતા. તેમણે કર્ણાટક લેખકાર સંઘની સ્થાપના કરી હતી અને ‘કાવ્યરામ’ નામના માસિક સાથે કામ કર્યું હતું. તેઓ લેખકોના વિશ્વવ્યાપી સંગઠન પી. ઈ. એન.ના સભ્ય હતા.