હસ્તપ્રત

હાથે કરેલા કોઈ લખાણવાળી મૂળ પ્રત (મૅન્યુસ્ક્રિપ્ટ). સદીઓ પહેલાં મુદ્રણયંત્રની શોધ થઈ નહોતી. એ સમયમાં કવિઓ–વિદ્વાનો હાથ વડે ગ્રંથો લખતા. તેમની હસ્તપ્રતોની લહિયાઓ નકલો કરતા અને પેઢી-દર-પેઢી હસ્તપ્રતો જળવાઈ રહેતી. આવી હસ્તપ્રતો દ્વારા પ્રાચીન ઇતિહાસ તથા સંસ્કૃતિ વિશેની ઘણી માહિતી પ્રાપ્ત થાય છે. ગ્રંથકાર પહેલાં કાચું લખાણ પથ્થરની કે લાકડાની પાટી પર કરતા. આમાં સુધારા […]

મહાવીર ત્યાગી

જ. 31 ડિસેમ્બર, 1899 અ. 22 મે, 1980 ઉત્તરપ્રદેશના અગ્રણી લોકનેતા, સ્વાતંત્ર્યસૈનિક, રચનાત્મક કાર્યકર મહાવીર ત્યાગીનો જન્મ ધબરસી, ઉત્તરપ્રદેશમાં થયો હતો. પિતાનું નામ શિવનાથસિંહ અને માતાનું નામ જાનકીદેવી હતું. તેમનો વ્યવસાય ખેતી હતો. પ્રાથમિક શિક્ષણ પોતાની ગામની શાળામાં લીધું અને માધ્યમિક શિક્ષણ લેવા મેરઠ ગયા. ત્યારબાદ તેઓ ભારતીય લશ્કરમાં જોડાયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઈરાનના યુદ્ધક્ષેત્રે […]

તૃષ્ણાની દોડ

પ્રાતઃકાળના ખુશનુમા વાતાવરણમાં જાગ્યા પછી તમે આસપાસ વહેતા પવનનો આભાર માન્યો છે ખરો ? એણે બક્ષેલી જિંદગી માટે સહેજે ઉપકારભાવ સેવ્યો છે ખરો ? આમ તો આ હવા વિના આપણે ત્રણ મિનિટથી વધુ જીવી શકીએ તેમ નથી, છતાં એના પ્રત્યે આદરભાવ સેવ્યો છે ખરો ? ક્યારેય તમે ભોજન કે નિદ્રાને ‘થૅન્ક યૂ’ કહ્યું છે ખરું […]