શ્રીરામ લાગૂ

જ. 16 નવેમ્બર, 1927 અ. 17 ડિસેમ્બર, 2019 હિન્દી અને મરાઠીમાં ભારતીય ફિલ્મ અને થિયેટરના અભિનેતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે ભાવે હાઈસ્કૂલ, ફર્ગ્યુસન કૉલેજ, પુણે અને બી. જે. મેડિકલ કૉલેજ(પુણે યુનિવર્સિટી)માં અભ્યાસ કર્યો હતો. તેમણે એમ.બી.બી.એસ. અને ત્યારપછી એમ.એસ.નો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. બાળપણથી જ અભિનય પ્રત્યે […]

ઢાલશંકુ (shield cone)

જ્વાળામુખીના નિર્ગમમુખની આજુબાજુ ફક્ત ખડકોના ટુકડા કે ફક્ત લાવાપ્રવાહ અથવા આ બંને દ્રવ્યોથી બનતી લગભગ શંકુ આકારની રચના. ઢાલશંકુ એ જ્વાળામુખી શંકુનો જ એક પ્રકાર છે. તે એક જ સ્થાને જ્વાળામુખીકંઠની આજુબાજુ લાવા પ્રસ્ફુટનનાં વારંવારનાં આવર્તનોથી એકત્રિત થઈ શંકુ આકાર ધારણ કરે છે. જ્વાળામુખી પ્રસ્ફુટનની ક્રિયા શાંત કે વિસ્ફોટક પ્રકારની હોઈ શકે છે. આવા શંકુ […]

રાધા બર્નિયર

જ. 15 નવેમ્બર, 1923 અ. 31 ઑક્ટોબર, 2013 થિયૉસૉફિકલ સોસાયટીનાં પ્રમુખ રાધા બર્નિયરનો જન્મ તામિળનાડુના અડ્યારમાં થયો હતો. માતા ભાગીરથી. પિતા એન. શ્રીરામ થિયૉસૉફિકલ સોસાયટીના પાંચમા પ્રમુખ હતા. રાધાનું શિક્ષણ થિયૉસૉફિકલ શાળા નૅશનલ ગર્લ્સ હાઈસ્કૂલમાં થયું. તેમણે રુક્મિણી દેવી અરુંડેલના કલાક્ષેત્ર ફાઉન્ડેશનમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી હતી. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી બી.એ. થયાં અને […]