જ. 2 જાન્યુઆરી, 1933 અ. 26 ડિસેમ્બર, 2017 ભારતીય લોકશાહીના લડવૈયા, વનસ્પતિશાસ્ત્રી અને કેળવણીકાર દેવેન્દ્રપ્રસાદનો જન્મ બિહારમાં થયો હતો. તેમણે 1942માં ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લીધો હતો. જેને પરિણામે તેમના અભ્યાસમાં થોડાંક વર્ષો માટે રુકાવટ આવી ગઈ હતી. 11 વર્ષની નાની વયે તેઓ કૉંગ્રેસ સેવાદળના 1944થી 1947ના સભ્ય બન્યા હતા, જેમાં તેમને સ્વયંસેવકની તાલીમ મળી હતી […]
હજરત ઇબ્રાહીમ એમ માનતા હતા કે પ્રત્યેક ધર્મ એ માનવીને નેકી અને ઈમાનદારીના રાહ પર ચાલવાનો સંદેશ આપે છે અને બૂરાઈથી બચવા માટેની જાતજાતની તરકીબ બતાવે છે. આથી ભલે ધર્મોનું બાહ્ય રૂપ ભિન્ન હોય, પરંતુ એનું આંતરિક રૂપ સમાન છે. સઘળા ધર્મોના પાયામાં માનવકલ્યાણની ભાવના જ રહેલી છે. હજરત ઇબ્રાહીમના મનમાં સતત એવી જિજ્ઞાસા રહેતી […]
જ. 1 જાન્યુઆરી, 1912 અ. 18 નવેમ્બર, 1988 ગુજરાતી સાહિત્યના સંનિષ્ઠ અધ્યાપક, તટસ્થ અને સમતોલ વિવેચક તથા સંપાદક શ્રી અનંતરાય રાવળનો જન્મ અમરેલીમાં મણિશંકર રાવળને ત્યાં થયો હતો. તેઓ માત્ર બે વર્ષના હતા ત્યારે માતા ગુમાવી દીધેલી. તેમને દાદીએ ઉછેરેલાં. તેમનું વતન વળા (વલભીપુર) પણ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં લીધેલું. ઈ. સ. 1928માં મૅટ્રિક અને 1932માં […]